ETV Bharat / state

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની અસ્વચ્છતા: જૂનાગઢના દામોદર કુંડમાં દેખાઈ સ્વચ્છતાનો સદંતર અભાવ - Unsanitary in Junagadh Damodar Kund

author img

By ETV Bharat Gujarati Team

Published : 7 hours ago

જૂનાગઢની ગિરનાર તળેટીમાં આવેલું પવિત્ર દામોદર કુંડ યાત્રાધામ વિકાસ બોર્ડની ઉદાસીનતાના કારણે અસ્વચ્છતાનો ઉદગમ બની રહ્યો છે. બુધવારથી શ્રાદ્ધ પર્વ શરૂ થયું છે અહીંના પિતૃ તર્પણ કાર્યને સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ યાત્રાધામ વિકાસ બોર્ડની આળસુ નીતિના કારણે દામોદર કુંડ અસ્વચ્છતાના કુંડ તરીકે પ્રસ્થાપિત થયો છે. જાણો. Damodar Kund of Junagadh

જૂનાગઢના દામોદર કુંડમાં દેખાઈ સ્વચ્છતાનો સદંતર અભાવ
જૂનાગઢના દામોદર કુંડમાં દેખાઈ સ્વચ્છતાનો સદંતર અભાવ (Etv Bharat Gujarat)
પવિત્ર દામોદર કુંડ યાત્રાધામ વિકાસ બોર્ડની અસ્વછતાનો ઉદગમ બની રહ્યો છે (Etv Bharat Gujarat)

જૂનાગઢ: ગિરનારની તળેટીમાં આવેલો અને પ્રાગ ઐતિહાસિક ધાર્મિક મહત્વ ધરાવતો પવિત્ર દામોદર કુંડ આજે અસ્વચ્છતાનું પ્રતીક બની રહ્યો છે. દામોદર કુંડની સફાઈની જવાબદારી રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ ને આપવામાં આવી છે, પરંતુ વિકાસ બોર્ડના અધિકારીઓ જાણે કે જૂનાગઢમાં આવેલો દામોદર કુંડ તેમની યાદીમાંથી અચાનક અદ્રશ્ય થઈ ગયો હોય તે પ્રકારે સ્વચ્છતાને લઈને દુર્લક્ષ સેવી રહ્યું છે.

જૂનાગઢના દામોદર કુંડમાં દેખાઈ સ્વચ્છતાનો સદંતર અભાવ
જૂનાગઢના દામોદર કુંડમાં દેખાઈ સ્વચ્છતાનો સદંતર અભાવ (Etv Bharat Gujarat)

અસ્વચ્છતાનું પ્રતીક બન્યો દામોદર કુંડ: ચોમાસામાં પડેલા અતિભારે વરસાદ અને હાલ પણ ગિરનારની પહાડીમાંથી સતત વરસાદી પાણી પ્રવાહીત થઈ રહ્યું છે જેને કારણે દામોદર કુંડમાં ઠેર ઠેર લીલનું સમ્રાજ્ય જોવા મળે છે પરિણામે અહીંથી એક ડગલું ચાલીને નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે અહીંના સ્થાનિક તીર્થગોર અને લોકો દ્વારા તાકિદે યાત્રાધામ વિકાસ બોર્ડ તેની જવાબદારી સમજે અને દામોદર કુંડની પવિત્રતા અડીખમ રહે તે પ્રકારે સ્વચ્છતા અભિયાન હાથ ધરે તેવી માંગ કરી છે.

જૂનાગઢના દામોદર કુંડમાં દેખાઈ સ્વચ્છતાનો સદંતર અભાવ
જૂનાગઢના દામોદર કુંડમાં દેખાઈ સ્વચ્છતાનો સદંતર અભાવ (Etv Bharat Gujarat)

સ્વચ્છતાની ઉજવણીમાં દામોદર કુંડ વિસરાયો: સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢમાં પણ સ્વચ્છતા મહાપર્વ ચાલી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ગણાતો દામોદર કુંડ સ્વચ્છતા માટે જાણે કે ભૂલાયો હોય તેવો માહોલ પણ જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી સ્વચ્છતા અભિયાન સતત ચાલતું જોવા મળે છે જેમાં જૂનાગઢ શહેરના સ્વચ્છ અને જ્યાં દરરોજ સાફ-સફાઈ થાય છે તેમજ અહીં પાણીનો કોઈપણ પ્રકારનો ભરાવો થતો નથી તેવા સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. પરંતુ વાસ્તવમાં જે જગ્યા પર સ્વચ્છતાની ખાસ જરૂર છે અને જે સ્થળનું ધાર્મિક મહત્વ પણ સમગ્ર દેશ વિદેશમાં છે તેવા દામોદર કુંડને આજે પણ ભૂલી જવામાં આવ્યો છે જેને કારણે સ્થાનિક લોકો અને દામોદર કુંડના તીર્થ પુરોહિતો યાત્રાધામ વિકાસ બોર્ડ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરીને તાકિદે દામોદર કુંડની સફાઈ શરૂ કરે નહીંતર જૂનાગઢના લોકો અને તીર્થ પુરોહિતો યાત્રાધામ વિકાસ બોર્ડ સામે આંદોલન પર પણ ઉતરી શકે છે તેવી માર્મીક વિનંતી યાત્રાધામ વિકાસ બોર્ડને કરી છે.

જૂનાગઢના દામોદર કુંડમાં દેખાઈ સ્વચ્છતાનો સદંતર અભાવ
જૂનાગઢના દામોદર કુંડમાં દેખાઈ સ્વચ્છતાનો સદંતર અભાવ (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. ડાકોરના ઉમેરઠમાં શનિદેવના મંદિરમાં તોડફોડ, આભૂષણો તેમજ દાન પેટીમાંથી પૈસા ચોરાતા લોકોમાં રોષ - Vandalism of Shanidev temple
  2. અમદાવાદનું એ ગામ જ્યાં ખેડૂતો માટે પાણી જ પળોજણ બન્યું, અસંખ્ય રજૂઆત છતાં કોઈના પેટનું 'પાણી' ન હલ્યું - Viral Video of Gujarat Farmer

પવિત્ર દામોદર કુંડ યાત્રાધામ વિકાસ બોર્ડની અસ્વછતાનો ઉદગમ બની રહ્યો છે (Etv Bharat Gujarat)

જૂનાગઢ: ગિરનારની તળેટીમાં આવેલો અને પ્રાગ ઐતિહાસિક ધાર્મિક મહત્વ ધરાવતો પવિત્ર દામોદર કુંડ આજે અસ્વચ્છતાનું પ્રતીક બની રહ્યો છે. દામોદર કુંડની સફાઈની જવાબદારી રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ ને આપવામાં આવી છે, પરંતુ વિકાસ બોર્ડના અધિકારીઓ જાણે કે જૂનાગઢમાં આવેલો દામોદર કુંડ તેમની યાદીમાંથી અચાનક અદ્રશ્ય થઈ ગયો હોય તે પ્રકારે સ્વચ્છતાને લઈને દુર્લક્ષ સેવી રહ્યું છે.

જૂનાગઢના દામોદર કુંડમાં દેખાઈ સ્વચ્છતાનો સદંતર અભાવ
જૂનાગઢના દામોદર કુંડમાં દેખાઈ સ્વચ્છતાનો સદંતર અભાવ (Etv Bharat Gujarat)

અસ્વચ્છતાનું પ્રતીક બન્યો દામોદર કુંડ: ચોમાસામાં પડેલા અતિભારે વરસાદ અને હાલ પણ ગિરનારની પહાડીમાંથી સતત વરસાદી પાણી પ્રવાહીત થઈ રહ્યું છે જેને કારણે દામોદર કુંડમાં ઠેર ઠેર લીલનું સમ્રાજ્ય જોવા મળે છે પરિણામે અહીંથી એક ડગલું ચાલીને નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે અહીંના સ્થાનિક તીર્થગોર અને લોકો દ્વારા તાકિદે યાત્રાધામ વિકાસ બોર્ડ તેની જવાબદારી સમજે અને દામોદર કુંડની પવિત્રતા અડીખમ રહે તે પ્રકારે સ્વચ્છતા અભિયાન હાથ ધરે તેવી માંગ કરી છે.

જૂનાગઢના દામોદર કુંડમાં દેખાઈ સ્વચ્છતાનો સદંતર અભાવ
જૂનાગઢના દામોદર કુંડમાં દેખાઈ સ્વચ્છતાનો સદંતર અભાવ (Etv Bharat Gujarat)

સ્વચ્છતાની ઉજવણીમાં દામોદર કુંડ વિસરાયો: સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢમાં પણ સ્વચ્છતા મહાપર્વ ચાલી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ગણાતો દામોદર કુંડ સ્વચ્છતા માટે જાણે કે ભૂલાયો હોય તેવો માહોલ પણ જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી સ્વચ્છતા અભિયાન સતત ચાલતું જોવા મળે છે જેમાં જૂનાગઢ શહેરના સ્વચ્છ અને જ્યાં દરરોજ સાફ-સફાઈ થાય છે તેમજ અહીં પાણીનો કોઈપણ પ્રકારનો ભરાવો થતો નથી તેવા સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. પરંતુ વાસ્તવમાં જે જગ્યા પર સ્વચ્છતાની ખાસ જરૂર છે અને જે સ્થળનું ધાર્મિક મહત્વ પણ સમગ્ર દેશ વિદેશમાં છે તેવા દામોદર કુંડને આજે પણ ભૂલી જવામાં આવ્યો છે જેને કારણે સ્થાનિક લોકો અને દામોદર કુંડના તીર્થ પુરોહિતો યાત્રાધામ વિકાસ બોર્ડ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરીને તાકિદે દામોદર કુંડની સફાઈ શરૂ કરે નહીંતર જૂનાગઢના લોકો અને તીર્થ પુરોહિતો યાત્રાધામ વિકાસ બોર્ડ સામે આંદોલન પર પણ ઉતરી શકે છે તેવી માર્મીક વિનંતી યાત્રાધામ વિકાસ બોર્ડને કરી છે.

જૂનાગઢના દામોદર કુંડમાં દેખાઈ સ્વચ્છતાનો સદંતર અભાવ
જૂનાગઢના દામોદર કુંડમાં દેખાઈ સ્વચ્છતાનો સદંતર અભાવ (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. ડાકોરના ઉમેરઠમાં શનિદેવના મંદિરમાં તોડફોડ, આભૂષણો તેમજ દાન પેટીમાંથી પૈસા ચોરાતા લોકોમાં રોષ - Vandalism of Shanidev temple
  2. અમદાવાદનું એ ગામ જ્યાં ખેડૂતો માટે પાણી જ પળોજણ બન્યું, અસંખ્ય રજૂઆત છતાં કોઈના પેટનું 'પાણી' ન હલ્યું - Viral Video of Gujarat Farmer
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.