ETV Bharat / state

સરકારે સ્વીકાર્યું...એકપણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પરથી જતી નથી: શક્તિસિંહ ગોહિલ - Shaktisinh Gohils questions

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 5, 2024, 7:32 PM IST

આજે સંસદ શક્તિસિંહ ગોહિલના પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું કે, રાજકોટ ખાતે રાજકોટ (હીરાસર) ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા પાછળ રૂપિયા 1240 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે જમીન સંપાદન કરી કેન્દ્ર સરકારને આપી તેના પૈસા અલગ છે. આમ છતાં, એકપણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ રાજકોટ (હીરાસર) એરપોર્ટ પરથી જતી નથી. જાણો. Shaktisinh Gohils questions

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા પાછળ રૂપિયા 1240 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા પાછળ રૂપિયા 1240 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો (Etv Bharat Gujarat)

અમદાવાદ: રાજકોટમાં બનાવમાં આવેલા એરપોર્ટ મુદ્દે શક્તિસિંહ ગોહિલ દ્વારા અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના વળતાં જવાબ તરીકે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે ઉત્તરો આપ્યા હતા.

શક્તિસિંહ ગોહિલે પૂછેલા પ્રશ્નો:

  1. ગુજરાતમાં રાજકોટ (હીરાસર) ખાતે નવું એરપોર્ટ બનાવવા માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે?
  2. જમીન સંપાદનમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે?
  3. ઇમારતો અને રનવેના નિર્માણમાં અને એરપોર્ટ પર અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં કેટલી હદ સુધી યોગદાન આપવામાં આવ્યું છે?
  4. હાલમાં આ એરપોર્ટ પરથી કેટલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવે છે?

કોઈ સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય કામગીરી થઈ રહી નથી: શક્તિસિંહ ગોહિલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે લિખેતમાં આપતા જણાવ્યું કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ ગુજરાત સરકારના સહયોગથી રાજકોટ (હીરાસર) ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવ્યું છે. જે અંતર્ગત 1405 કરોડના અંદાજિત પ્રોજેક્ટ ખર્ચમાંથી, જૂન 2024 ના અંત સુધીમાં હવાઈના વિકાસ માટે લગભગ 1240 કરોડ રૂપિયા ખર્ચવાના છે. ગુજરાત સરકારે પ્રોજેક્ટના વિકાસ માટે સંપાદિત કરવામાં આવેલી જરૂરી જમીન AAIને વિનામૂલ્યે અને તમામ બોજો મુક્ત કરી આપી છે. ઉપરાંત હાલમાં, રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કોઈ સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય કામગીરી થઈ રહી નથી.

  1. કોંગ્રેસની 'ન્યાય યાત્રા' 9 ઓગસ્ટથી ગુજરાતમાં શરુ કરાશે, જાણો કોણ કોણ જોડાશે આ યાત્રામાં - CONGRESS GUJARAT NYAY YATRA
  2. મહેસાણામાં અનાજ માફિયાઓએ માજા મુકી, શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો પોર્ટુગલ મોકલવાનું કૌભાંડ ઝડપાયું - scam of government grain

અમદાવાદ: રાજકોટમાં બનાવમાં આવેલા એરપોર્ટ મુદ્દે શક્તિસિંહ ગોહિલ દ્વારા અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના વળતાં જવાબ તરીકે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે ઉત્તરો આપ્યા હતા.

શક્તિસિંહ ગોહિલે પૂછેલા પ્રશ્નો:

  1. ગુજરાતમાં રાજકોટ (હીરાસર) ખાતે નવું એરપોર્ટ બનાવવા માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે?
  2. જમીન સંપાદનમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે?
  3. ઇમારતો અને રનવેના નિર્માણમાં અને એરપોર્ટ પર અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં કેટલી હદ સુધી યોગદાન આપવામાં આવ્યું છે?
  4. હાલમાં આ એરપોર્ટ પરથી કેટલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવે છે?

કોઈ સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય કામગીરી થઈ રહી નથી: શક્તિસિંહ ગોહિલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે લિખેતમાં આપતા જણાવ્યું કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ ગુજરાત સરકારના સહયોગથી રાજકોટ (હીરાસર) ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવ્યું છે. જે અંતર્ગત 1405 કરોડના અંદાજિત પ્રોજેક્ટ ખર્ચમાંથી, જૂન 2024 ના અંત સુધીમાં હવાઈના વિકાસ માટે લગભગ 1240 કરોડ રૂપિયા ખર્ચવાના છે. ગુજરાત સરકારે પ્રોજેક્ટના વિકાસ માટે સંપાદિત કરવામાં આવેલી જરૂરી જમીન AAIને વિનામૂલ્યે અને તમામ બોજો મુક્ત કરી આપી છે. ઉપરાંત હાલમાં, રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કોઈ સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય કામગીરી થઈ રહી નથી.

  1. કોંગ્રેસની 'ન્યાય યાત્રા' 9 ઓગસ્ટથી ગુજરાતમાં શરુ કરાશે, જાણો કોણ કોણ જોડાશે આ યાત્રામાં - CONGRESS GUJARAT NYAY YATRA
  2. મહેસાણામાં અનાજ માફિયાઓએ માજા મુકી, શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો પોર્ટુગલ મોકલવાનું કૌભાંડ ઝડપાયું - scam of government grain
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.