ETV Bharat / state

સરકારે વિપક્ષનો અવાજ દબાવવા વિપક્ષના અનેક સવાલો રદ કર્યા - અમિત ચાવડા - Gujarat Assembly Session

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 21, 2024, 4:24 PM IST

લોકોના પ્રશ્નોને વાચા મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ટૂંકી મુદતના પ્રશ્નો પૂંછવામાં આવ્યા છે, ત્યારે તે પૈકીના મોટા ભાગના પ્રશ્નો રદ કરી દેવામાં આવ્યા છે. જેને લઇને કોંગ્રેસ દ્વારા વિધાનસભાના પ્રાંગણમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. Gujarat Assembly Session

સરકારે વિપક્ષનો અવાજ દબાવવા વિપક્ષના અનેક સવાલો રદ કર્યા
સરકારે વિપક્ષનો અવાજ દબાવવા વિપક્ષના અનેક સવાલો રદ કર્યા (Etv Bharat Gujarat)
સરકારે વિપક્ષનો અવાજ દબાવવા વિપક્ષના અનેક સવાલો રદ કર્યા (Etv Bharat Gujarat)

ગાંધીનગર: સરકારે ટૂંકી નોટિસથી સત્રની જાહેરાત કરી છે. ટૂંકી નોટિસના સત્રની જાહેરાત થયા બાદ પણ રાજકોટનો અગ્નિકાંડ, ફોરેસ્ટ ભરતી પરીક્ષાના કૌભાંડ, નકલી કચેરીઓના કૌભાંડ હોય, ભુમાફિયા બેફામ થયા હોય, ખેડૂતોના પ્રશ્ન, ભરતી પ્રક્રિયાના પ્રશ્ન સહિતના અનેક પ્રશ્નોથી ગુજરાતની જનતા પરેશાન છે. આ પ્રશ્નોને વાચા મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા જે ટૂંકી મુદતના પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. તે પૈકી મોટાભાગના પ્રશ્નો રદ કરી દેવામાં આવ્યા છે.

તાકીદના મુદ્દાઓને લઇને ટૂંકી મુદતના પ્રશ્નો પૂછાય: વિધાનસભાના નિયમ અનુસાર તારાંકિત પ્રશ્નોત્તરી દાખલ કરવામાં આવતી હોય છે. ચૂંટાયેલા ધારાસભ્ય અલગ અલગ વિભાગના પ્રશ્ન પૂછી શકતા હોય છે. પરંતુ જ્યારે ટૂંકી મુદતની નોટિસથી સત્ર બોલાવવામાં આવે છે ત્યારે તારાંકિત પ્રશ્નો થઈ શકતા નથી. ટૂંકી નોટિસથી સત્ર બોલાવવામાં આવે છે ત્યારે તાકીદના મુદ્દાઓને લઈને ટૂંકી મુદતના પ્રશ્નો પુછાય છે. ટૂંકી મુદતના પ્રશ્નમાં જે તે વિભાગના મંત્રી સહમત ન થાય તે પ્રશ્ન દાખલ થતા નથી.

પ્રશ્નો ચર્ચામાં ન આવે તેવા પ્રયત્નો થાય છે: કોંગ્રેસ પક્ષ દ્વારા કેવડિયામાં આદિવાસી યુવાનની હત્યાનો પ્રશ્ન, રાજકોટ અગ્નિકાંડનો પ્રશ્ન, સરસ્વતી સાધના યોજનામાં સાયકલની ખરીદીનું કૌભાંડ, ડ્રગ્સ વગેરે મુદ્દે અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્ન પર વિધાનસભામાં ચર્ચા થાય અને તેની હકીકતો રજૂ થાય તે માટે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ટૂંકી મુદતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ટૂંકી મુદતના મોટાભાગના પ્રશ્નોના જવાબ આપવામાં મંત્રીઓ સહમત થયા નથી. તેથી આ પ્રશ્ન ચર્ચામાં ન આવે તેવો પ્રયત્ન થઈ રહ્યો છે.

  1. આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુરમાં ભારત બંધને મળ્યો મિશ્ર પ્રતિસાદ - BHARAT BANDH
  2. સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, વિપક્ષનો અવાજ દબાવવાનો આરોપ - 3 day session of Gujarat Assembly

સરકારે વિપક્ષનો અવાજ દબાવવા વિપક્ષના અનેક સવાલો રદ કર્યા (Etv Bharat Gujarat)

ગાંધીનગર: સરકારે ટૂંકી નોટિસથી સત્રની જાહેરાત કરી છે. ટૂંકી નોટિસના સત્રની જાહેરાત થયા બાદ પણ રાજકોટનો અગ્નિકાંડ, ફોરેસ્ટ ભરતી પરીક્ષાના કૌભાંડ, નકલી કચેરીઓના કૌભાંડ હોય, ભુમાફિયા બેફામ થયા હોય, ખેડૂતોના પ્રશ્ન, ભરતી પ્રક્રિયાના પ્રશ્ન સહિતના અનેક પ્રશ્નોથી ગુજરાતની જનતા પરેશાન છે. આ પ્રશ્નોને વાચા મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા જે ટૂંકી મુદતના પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. તે પૈકી મોટાભાગના પ્રશ્નો રદ કરી દેવામાં આવ્યા છે.

તાકીદના મુદ્દાઓને લઇને ટૂંકી મુદતના પ્રશ્નો પૂછાય: વિધાનસભાના નિયમ અનુસાર તારાંકિત પ્રશ્નોત્તરી દાખલ કરવામાં આવતી હોય છે. ચૂંટાયેલા ધારાસભ્ય અલગ અલગ વિભાગના પ્રશ્ન પૂછી શકતા હોય છે. પરંતુ જ્યારે ટૂંકી મુદતની નોટિસથી સત્ર બોલાવવામાં આવે છે ત્યારે તારાંકિત પ્રશ્નો થઈ શકતા નથી. ટૂંકી નોટિસથી સત્ર બોલાવવામાં આવે છે ત્યારે તાકીદના મુદ્દાઓને લઈને ટૂંકી મુદતના પ્રશ્નો પુછાય છે. ટૂંકી મુદતના પ્રશ્નમાં જે તે વિભાગના મંત્રી સહમત ન થાય તે પ્રશ્ન દાખલ થતા નથી.

પ્રશ્નો ચર્ચામાં ન આવે તેવા પ્રયત્નો થાય છે: કોંગ્રેસ પક્ષ દ્વારા કેવડિયામાં આદિવાસી યુવાનની હત્યાનો પ્રશ્ન, રાજકોટ અગ્નિકાંડનો પ્રશ્ન, સરસ્વતી સાધના યોજનામાં સાયકલની ખરીદીનું કૌભાંડ, ડ્રગ્સ વગેરે મુદ્દે અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્ન પર વિધાનસભામાં ચર્ચા થાય અને તેની હકીકતો રજૂ થાય તે માટે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ટૂંકી મુદતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ટૂંકી મુદતના મોટાભાગના પ્રશ્નોના જવાબ આપવામાં મંત્રીઓ સહમત થયા નથી. તેથી આ પ્રશ્ન ચર્ચામાં ન આવે તેવો પ્રયત્ન થઈ રહ્યો છે.

  1. આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુરમાં ભારત બંધને મળ્યો મિશ્ર પ્રતિસાદ - BHARAT BANDH
  2. સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, વિપક્ષનો અવાજ દબાવવાનો આરોપ - 3 day session of Gujarat Assembly
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.