સી. આર. પાટીલની વિજય સંકલ્પ રેલી યોજાઈ (Etv Bharat Gujarat) નવસારીઃ ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠક ઉમેદવાર સી. આર. પાટીલ દ્વારા નવસારી લોકસભા અંતર્ગત આવતી ત્રણેય વિધાનસભાઓમાં અંદાજે 50 થી વધુ ગામડાઓને આવરી લઈ વિજય સંકલ્પ રેલી યોજવામાં આવી હતી. જેમાં ત્રીજા તબક્કાની રેલી આજે સવારે 9:00 વાગ્યાથી શરૂ થઈ જલાલપોરના કાંઠાના ગામડાઓમાં ફરી નવસારી શહેરમાં પ્રવેશી હતી.
સી. આર. પાટીલની વિજય સંકલ્પ રેલી યોજાઈ (Etv Bharat Gujarat) 100 કિમીથી વધુ લાંબો રુટઃ અંદાજે 100 કિલોમીટરથી વધુના આ રૂટ પર ભાજપ ઉમેદવાર સી. આર. પાટીલ સાથે જલાલલોરના ધારાસભ્ય આર. સી. પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના આગેવાનો વિજય સંકલ્પ રથમાં સવાર થઈ મતદારો સુધી પહોંચ્યા હતા. જ્યાં ગામડાઓમાં ભાજપી આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકોએ મોટી સંખ્યામાં સી. આર. પાટીલને સમર્થન જાહેર કર્યુ હતું. સૌથી લાંબા રૂટ ઉપર ચૂંટણી પ્રચાર કરી જલાલપોરના મંદિર ગામે વિજય સંકલ્પ રેલીનું સમાપન કરાયું હતું. અંદાજે 50 થી વધુ ગામડાઓને આવરી લઈ વિજય સંકલ્પ રેલી યોજવામાં આવી હતી. જેમાં ત્રીજા તબક્કાની રેલી આજે સવારે 9:00 વાગ્યાથી શરૂ થઈ જલાલપોરના કાંઠાના ગામડાઓમાં ફરી નવસારી શહેરમાં પ્રવેશી હતી.
સી. આર. પાટીલની વિજય સંકલ્પ રેલી યોજાઈ (Etv Bharat Gujarat) જલાલપુરના ધારાસભ્ય આર.સી. પટેલે જણાવ્યું હતું કે નવસારી લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલે આજે ત્રીજા તબક્કાનો પોતાનો પ્રચાર શરૂ કર્યો હતો. જેમાં નવસારી જલાલપોર વિધાનસભામાં આવતા તમામ ગામોનો સંપર્ક કર્યો હતો. જેમાં લોકોએ પણ તેઓને ખૂબ આવકાર્યા છે જેથી મને ખાતરી છે કે સાત તારીખે દરેક મતદાર મતદાન કરશે. જેનું ઘણું સારું પરિણામ આવશે અને સી. આર. પટેલ જંગી લીડથી વિજયી થશે.
- હીરાના યુનિટમાં પહોંચી રત્નકલાકારોને મળતા નિમુબેન : ક્યાં મુદ્દાઓ રજૂ કર્યા મત મેળવવા જાણો - Bhavnagar Lok Sabha Seat
- સુરત સિવાય ભારતના અન્ય શહેરોમાં પણ ભાજપે ફળ અને શાકભાજી વિક્રેતાઓને બનાવ્યા બ્રાન્ડ એમ્બેસેડર - Loksabha Electioin 2024