ETV Bharat / state

દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકોએ ગરમી વધારી : સુરતથી ભાજપે ખાતું ખોલ્યું, બાકી ચારમાં રાજકીય ચકમક - Lok Sabha Election 2024 Result

દક્ષિણ ગુજરાતની સુરત, ભરૂચ, બારડોલી, વલસાડ અને નવસારી આ પાંચ લોકસભા બેઠક પૈકીની બે બેઠકો અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે. જોકે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતા લોકસભા ચૂંટણી 2024 માં દેશભરમાં ભાજપે સુરત બેઠક મેળવી ખાતું ખોલાવ્યું છે. રાજ્યમાં સુરતના બિનહરીફ ચૂંટણી જંગ ભાજપ માટે વિવાદનું કારણ પણ બન્યો. અહીં પ્રસ્તુત છે, 2024 લોકસભા ચૂંટણીમાં કોણ બની શકે છે વિજેતા અને કેમ હારી શકે છે ઉમેદવાર...

author img

By ETV Bharat Gujarati Team

Published : May 31, 2024, 6:55 AM IST

દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકોએ ગરમી વધારી
દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકોએ ગરમી વધારી (ETV Bharat)
  • સુરત લોકસભા બેઠક : ચૂંટણી મતદાન પહેલા ભાજપની જીત

લોકસભાની દ્રષ્ટિએ સુરત એ મહત્વની રાજકીય બેઠક છે. 2024 લોકસભા ચૂંટણીમાં છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી નામંજૂર થવા સાથે અન્ય સાત ઉમેદવાર પણ કોઇ અગમ્ય કારણોસર પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. આ સાથે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થતા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે નિવેદન કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ કમળની ભેટ અમે આ બેઠકથી આપી છે. આ નિવેદન રાજ્ય અને દેશમાં ભાજપ કેવી રીતે ચૂંટણી લડશે એની દિશા આપનારું ગણી શકાય. સુરત બેઠક બિનહરીફ જાહેર થતા તેની હકારાત્મક અસર દક્ષિણ ગુજરાતની અન્ય બેઠકો સાથે રાજ્યમાં ન પડી એ ઉલ્લેખનીય છે.

  • ભરૂચ લોકસભા બેઠક : વસાવા વિરુદ્ધ વસાવા જંગમાં AAP ગુજરાતમાં ખોલાવી શકે છે ખાતુ

ઉમેદવાર : મનસુખ વસાવા (ભાજપ) વિરુદ્ધ ચૈતર વસાવા (આપ)

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 પર સૌની મીટ જે બેઠક પર છે એ બેઠક ભરૂચ છે. એક સમયે કોંગ્રેસના અહેમદ પટેલ અને ત્યારબાદ ભાજપના ચંદુભાઈ દેસમુખ આ બેઠક પરથી જીતતા આવ્યા છે. 2024માં ભાજપના મનસુખ વસાવા સળંગ સાતમી વાર લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે, તો કોંગ્રેસે પહેલી વાર ભરૂચ બેઠક પોતાના ઈન્ડિયા ગઠબંધનના સાથી આમ આદમી પાર્ટી માટે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા માટે છોડી છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવારની જાહેરાત થતા અહેમદ પટેલના પુત્ર-પુત્રીએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે ત્યારબાદ કોંગ્રેસે ચૈતર વસાવાને વિજયી બનાવવા માટે કાર્ય કર્યું. આદિવાસી અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ ધરાવતી ભરૂચ બેઠક પર ભાજપ સતત 10 વખતથી જીતે છે. પણ 2024માં ભાજપ સામે આમ આદમી પાર્ટીએ પડકાર સર્જ્યો છે. ભરૂચ લોકસભા મતક્ષેત્ર અંતર્ગત આવતી સાત વિધાનસભા બેઠકો પૈકી છ બેઠક ભાજપ પાસે છે, જ્યારે નર્મદા જિલ્લાની ડેડીયાપાડા વિધાનસભા બેઠક આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જીત્યા છે.

આપના ચૈતર વસાવાને સરકારી અધિકારીને ધમકી આપવાના કેસમાં જેલની સજા પણ થઈ છે. 2024માં ચૈતર વસાવાની લોકપ્રિયતા ભરૂચ લોકસભા બેઠક પર ચરમસીમાએ છે. ચૈતર વસાવાએ બોગસ સરકારી ઓફિસના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આદિવાસી યુવા મતદારોમાં ચૈતર વસાવા પ્રમાણિક આગેવાન તરીકેની છાપ ધરાવે છે. આપ અને ચૈતર વસાવાના ચાહકોએ 2024 લોકસભા ચૂંટણીમાં સારું બૂથ મેનેજમેન્ટ કર્યું છે, જેના થકી કુલ મતદાન 69.16 ટકા નોંધાયું છે. એવું મનાય છે કે, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની અસર ભરુચના પરંપરાગત આદિવાસી અને મુસ્લિમ સમાજ પર પડી હતી.

વર્તમાન સાંસદ મનસુખ વસાવાના સરકારી અધિકારીઓ સાથેના ઘર્ષણના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મનસુખ વસાવાના વિવિધ મુદ્દે વિવાદ અને છેલ્લી ટર્મમાં તેમની વિકાસ અંગેની નિષ્ક્રિયતાના કારણે ભાજપ સામે આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરી શકે એવી આશા છે. હાલ ભરૂચ લોકસભા બેઠક પર આપ આદમી પાર્ટીના ચૈતર વસાવા માટે જનમત વધુ દેખાઈ રહ્યો છે.

  • બારડોલી લોકસભા બેઠક : મૂળે બે કોંગ્રેસી ઉમેદવારો વચ્ચે જંગ, ભાજપ હેટ્રીક નોંધાવી શકશે ?

ઉમેદવાર : પ્રભુ વસાવા (ભાજપ) વિરુદ્ધ સિદ્ધાર્થ ચૌધરી (કોંગ્રેસ)

બારડોલી એટલે ગુજરાતનો ખાંડનો પ્યાલો. સુગરમીલોના કારણે બારડોલીમાં સહકારનું રાજકારણ ધમધમે છે. દેશના લોંખડી પુરુષ સરદાર પટેલનું બારડોલી આંદોલન દેશભરમાં જાણીતું છે. બારડોલી લોકસભા મતક્ષેત્ર પર 2024 નો ચૂંટણી જંગ પૂર્વ કોંગ્રેસી અને છેલ્લી બે ટર્મના સાંસદ એવા પ્રભુ વસાવા અને કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી વચ્ચે રહ્યો હતો.

બારડોલી લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ સમાજના ઉમેદવાર માટે અનામત બેઠક છે. આદિવાસી સમાજનું પ્રભુત્વ ધરાવતી બારડોલી બેઠક પર હળપતિ, ગામીત, વસાવા, ચૌધરી મતદારો નિર્ણાયક બનતા રહે છે. બારડોલી મતક્ષેત્ર હેઠળની સાત વિધાનસભા બેઠકો પૈકી માંગરોળ, માંડવી, નિઝર, બારડોલી, વ્યારા, મહુવા અને નિઝર એમ છ બેઠકો આદિવાસી સમાજ માટે અનામત છે.

2024માં 64.81 ટકા મતદાન નોંધાયું છે. પ્રમાણમાં ઓછો જન સંપર્ક ધરાવતા ભાજપના પ્રભુ વસાવા માંડવી વિસ્તાર બહાર ઓછો સંપર્ક ધરાવે છે. ઉપરાંત સ્થાનિક સમસ્યા પર ઓછું કામ કર્યું છે અને વિકાસ કાર્યોની ઓછી હાજરી તેમના વિરુદ્ધ જઈ શકે છે. તો નરેન્દ્ર મોદીનો ચહેરો, મોદી ગેરંટી અને કોંગ્રેસના નબળા સંગઠનનો લાભ પ્રભુ વસાવાને મળી શકે છે.

સિદ્ધાર્થ ચૌધરી સુમુલ ડેરી સાથે સંકળાયેલા છે. એમબીએ અને એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા સિદ્ધાર્થ ચૌધરી સુરત અને તાપી જિલ્લામાં લોકપ્રિય છે અને પૂર્વ કોંગ્રેસી અમરસિંહ ઝેડ. ચૌધરીના પુત્ર છે. સિદ્ધાર્થ ચૌધરીને સુમૂલ ડેરી થકી સહકારી રાજકારણનો લાભ, શિક્ષિત અને યુવા ચહેરો, પિતા અમરસિંહ ઝેડ. ચૌધરીના નામ-કામ ફાયદો કરાવી શકે છે. તો સુરતમાં વિખેરાતું જતું કોંગ્રેસનું સંગઠન, મજબૂત સ્થાનિક મુદ્દાઓને મતદારો સુધી લઈ જવામાં નિષ્ક્રીયતા પડકારરૂપ છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન જે માહોલ સર્જ્યો હતો, એ મતમાં રૂપાંતર થાય તો પ્રભુ વસાવાને ત્રીજી ટર્મમાં વિજય ન મળી શકે અને બારડોલીને સિદ્ધાર્થ ચૌધરી તરીકે શિક્ષિત -યુવા સાંસદ મળી શકે છે.

  • નવસારી લોકસભા બેઠક : સવાલ ફક્ત વિજયી માર્જિનનો રહેશે, કોંગ્રેસ ફરીથી નિરાશ થશે

ઉમેદવાર : સી. આર. પાટીલ (ભાજપ) વિરુદ્ધ નૈષધ દેસાઈ (કોંગ્રેસ)

ગુજરાતની નવસારી લોકસભા દેશમાં VIP બેઠક ગણાય છે. સાથે ભાજપ માટે સૌથી સલામત બેઠક પૈકી બીજા નંબરની સુરક્ષિત બેઠક છે. નવસારી બેઠકનો મોટાભાગનો મતવિસ્તાર સુરત શહેરની લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાસી વિધાનસભા બેઠક હેઠળ આવે છે. જ્યારે નવસારી જિલ્લાની નવસારી, જલાલપોર અને ગણદેવી વિધાનસભા બેઠક નવસારી લોકસભા મતક્ષેત્રનો ભાગ છે. 2022 વિધાનસભા ચૂંટણીમાં નવસારી બેઠક હેઠળની સાતેય વિધાનસભા બેઠક ભાજપે જીતી હતી.

નવસારીથી 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, કોંગ્રેસના નૈષધ દેસાઈ સામે ચૂંટણી લડે છે. કોંગ્રેસ પણ નવસારી બેઠક પર ફક્ત માર્જિન હારનું ઘટાડવા માટે લડતી હોય એમ ચૂંટણી લડી છે. 2019માં ભાજપના સી. આર. પાટીલે કોંગ્રેસના ધર્મેશ પટેલને 6.89 લાખની વિક્રમી લીડથી હરાવી દેશમાં જાણીતા થયા હતા. અગાઉ 2014 માં સી. આર. પાટીલે કોંગ્રેસના મકસુદ મિર્ઝાને 5.58 લાખ મતે હરાવ્યા હતા. હવે 2024 ની ચૂંટણી જાહેર થતાં જ નવસારી લોકસભાના મતદારોમાં એક જ ચર્ચા છે કે, આ વખતે કોંગ્રેસ કેટલા લાખ મતોથી હારશે.

કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ આરંભમાં પ્રચાર અને મતક્ષેત્રમાં જે ઉત્સાહ દર્શાવ્યો હતો એવો ઉત્સાહ મતદાનના 15 દિવસ પહેલા દેખાડ્યો નહીં. સી.આર. પાટીલ સતત સાડા પાંચ લાખથી વધુ મતોથી સતત જીતતા આવે છે, છતાં પણ તમામ વિધાનસભા બેઠક પર પ્રચાર કર્યો અને ચુસ્ત બૂથ મેનેજમેન્ટ કર્યું. જેના થકી નવસારી લોકસભા બેઠક પર 2024 માં કુલ મતદાન 59.66 ટકા થવા પામ્યું છે. ઓછું મતદાન પણ ભાજપ અને સી. આર. પાટીલ તરફી થયું હોય એમ જણાય છે.

નવસારી બેઠક પર ભાજપના 2,000 બુથ પર પેજ પ્રમુખોની સક્રિયતા, નગરપાલિકાથી જિલ્લા પંચાયત સુધી ભાજપનું શાસન, નવસારી નગરપાલિકા દ્વારા સંપન્ન કરેલા રૂપિયા એક હજાર કરોડના વિકાસ કાર્યો અને બેઠક હેઠળની સાતેય વિધાનસભા બેઠકો પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સી. આર. પાટીલનો રોડ-શો જીતના કારણો બની શકે છે.

જ્યારે કોંગ્રેસ ઉમેદવાર નૈષદ દેસાઈએ મતદારો અને કાર્યકરોના દિલ જીતવા માટે મહાત્મા ગાંધીની વેશભુષા ધારણ કરી હતી. 2024માં નવસારી બેઠક પર પરિણામની આશા ફક્ત ભાજપના સી. આર. પાટીલ કેટલી લીડથી જીતે છે એ જાણવા સુધી જ સીમિત રહી છે. ભાજપ ચોક્કસથી નવસારી બેઠક જીતે છે.

  • વલસાડ લોકસભા બેઠક : પરિણામના દિવસે જ જાણ થશે કોણ રહ્યો છે બળીયો

ઉમેદવાર : ધવલ પટેલ (ભાજપ) વિરુદ્ધ અનંત પટેલ (કોંગ્રેસ)

વલસાડ લોકસભા બેઠકની એક વાસ્તવિકતા છે કે જે પક્ષ વલસાડમાં લોકસભા બેઠક જીતે છે એ પક્ષની દેશમાં સરકાર રચાય છે. સાથે એ પણ સત્ય છે કે ગાંધી પરિવારનું કોઈ એક સભ્ય લોકસભા ચૂંટણી દરમિયાન વલસાડ ખાતે જાહેર સભા કરે જ છે. વલસાડ લોકસભા મતક્ષેત્ર હેઠળની સાત પૈકી ડાંગ, વાંસદા, ધરમપુર, કપરાડા અને ઉમરગાંવ એમ પાંચ વિધાનસભા બેઠકો આદિવાસી સમાજના ઉમેદવાર માટે અનામત બેઠક છે.

2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 6 અને કોંગ્રેસે 1 બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના ડો. કે. સી. પટેલે કોંગ્રેસના જીતુભાઈ ચૌધરીને 3.53 લાખ મતે હરાવ્યા હતા. જ્યારે 2014ની મોદી લહેરની ચૂંટણીમાં ભાજપનો વિજય 2.08 લાખ મતે નોંધાયો હતો. 2024 લોકસભા ચૂંટણી કોંગ્રેસ જીતી શકે એવી બેઠકો પૈકી એક બેઠક એ રાજ્યના છેવાડાના વિસ્તારની મહત્વની બેઠક એટલે વલસાડ બેઠક.

એક સમયે ડાંગ-વલસાડ બેઠક તરીકે ઓળખાતી વલસાડ બેઠક તેની હાફુસ કેરી, વલસાડી ચીકુ અને કેમિકલ ઉદ્યોગો માટે જાણીતું છે. 2024માં ભાજપ અને કોંગ્રેસે નવા ચહેરાને મેદાને ઉતાર્યા છે. ભાજપે શિક્ષણ ધવલ પટેલને તો કોંગ્રેસ આદિવાસી વિસ્તારમાં ડેમ અને વિકાસના મુદ્દે આંદોલન કરનાર વાંસદા વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી હતી. 2014 અને 2019 ના વલસાડના સાંસદ કે. સી. પટેલ સાથેના વિવાદો અને સ્થાનિક સ્તરે પક્ષમાં વિરોધ થતા ભાજપે આયાતી ઉમેદવાર ધવલ પટેલ પર પસંદગી ઉતારી, તો કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ પણ નવસારી જિલ્લાના છે.

2024માં કોંગ્રેસ વલસાડ બેઠકથી જીતની આશા રાખે છે. પાર-નર્મદા ડેમ આંદોલનના કારણે અનંત પટેલ આદિવાસી મતદારોમાં જાણીતા અને લોકપ્રિય બન્યા છે. રાહુલ ગાંધીએ પણ વલસાડના ધરમપુર ખાતે જાહેર સભા યોજી અને કોંગ્રેસના પરંપરાગત મતદારોને ફરી કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે પ્રેર્યા હતા. 2024માં વલસાડ બેઠક પર રાજ્યમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે. ગરમી હોવા છતાં વલસાડ લોકસભા બેઠકના મતદારોએ 72.17 ટકા મતદાન નોંધાવીને કોણ જીતશે, કોણ હારશે એ અંગે રહસ્ય સર્જાયું છે. વધુ મતદાનથી કોંગ્રેસને આશા છે કે મતદાન પરિવર્તન માટે છે. જ્યારે ભાજપ મોદી ગેરંટીને કારણ જીત નક્કી હોવાનું માને છે. ભાજપ-કોંગ્રેસ વચ્ચેના મત જંગમાં કોંગ્રેસે વિજય માટે આશા રાખવા જેવી આ બેઠક છે.

  • સુરત લોકસભા બેઠક : ચૂંટણી મતદાન પહેલા ભાજપની જીત

લોકસભાની દ્રષ્ટિએ સુરત એ મહત્વની રાજકીય બેઠક છે. 2024 લોકસભા ચૂંટણીમાં છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી નામંજૂર થવા સાથે અન્ય સાત ઉમેદવાર પણ કોઇ અગમ્ય કારણોસર પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. આ સાથે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થતા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે નિવેદન કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ કમળની ભેટ અમે આ બેઠકથી આપી છે. આ નિવેદન રાજ્ય અને દેશમાં ભાજપ કેવી રીતે ચૂંટણી લડશે એની દિશા આપનારું ગણી શકાય. સુરત બેઠક બિનહરીફ જાહેર થતા તેની હકારાત્મક અસર દક્ષિણ ગુજરાતની અન્ય બેઠકો સાથે રાજ્યમાં ન પડી એ ઉલ્લેખનીય છે.

  • ભરૂચ લોકસભા બેઠક : વસાવા વિરુદ્ધ વસાવા જંગમાં AAP ગુજરાતમાં ખોલાવી શકે છે ખાતુ

ઉમેદવાર : મનસુખ વસાવા (ભાજપ) વિરુદ્ધ ચૈતર વસાવા (આપ)

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 પર સૌની મીટ જે બેઠક પર છે એ બેઠક ભરૂચ છે. એક સમયે કોંગ્રેસના અહેમદ પટેલ અને ત્યારબાદ ભાજપના ચંદુભાઈ દેસમુખ આ બેઠક પરથી જીતતા આવ્યા છે. 2024માં ભાજપના મનસુખ વસાવા સળંગ સાતમી વાર લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે, તો કોંગ્રેસે પહેલી વાર ભરૂચ બેઠક પોતાના ઈન્ડિયા ગઠબંધનના સાથી આમ આદમી પાર્ટી માટે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા માટે છોડી છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવારની જાહેરાત થતા અહેમદ પટેલના પુત્ર-પુત્રીએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે ત્યારબાદ કોંગ્રેસે ચૈતર વસાવાને વિજયી બનાવવા માટે કાર્ય કર્યું. આદિવાસી અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ ધરાવતી ભરૂચ બેઠક પર ભાજપ સતત 10 વખતથી જીતે છે. પણ 2024માં ભાજપ સામે આમ આદમી પાર્ટીએ પડકાર સર્જ્યો છે. ભરૂચ લોકસભા મતક્ષેત્ર અંતર્ગત આવતી સાત વિધાનસભા બેઠકો પૈકી છ બેઠક ભાજપ પાસે છે, જ્યારે નર્મદા જિલ્લાની ડેડીયાપાડા વિધાનસભા બેઠક આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જીત્યા છે.

આપના ચૈતર વસાવાને સરકારી અધિકારીને ધમકી આપવાના કેસમાં જેલની સજા પણ થઈ છે. 2024માં ચૈતર વસાવાની લોકપ્રિયતા ભરૂચ લોકસભા બેઠક પર ચરમસીમાએ છે. ચૈતર વસાવાએ બોગસ સરકારી ઓફિસના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આદિવાસી યુવા મતદારોમાં ચૈતર વસાવા પ્રમાણિક આગેવાન તરીકેની છાપ ધરાવે છે. આપ અને ચૈતર વસાવાના ચાહકોએ 2024 લોકસભા ચૂંટણીમાં સારું બૂથ મેનેજમેન્ટ કર્યું છે, જેના થકી કુલ મતદાન 69.16 ટકા નોંધાયું છે. એવું મનાય છે કે, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની અસર ભરુચના પરંપરાગત આદિવાસી અને મુસ્લિમ સમાજ પર પડી હતી.

વર્તમાન સાંસદ મનસુખ વસાવાના સરકારી અધિકારીઓ સાથેના ઘર્ષણના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મનસુખ વસાવાના વિવિધ મુદ્દે વિવાદ અને છેલ્લી ટર્મમાં તેમની વિકાસ અંગેની નિષ્ક્રિયતાના કારણે ભાજપ સામે આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરી શકે એવી આશા છે. હાલ ભરૂચ લોકસભા બેઠક પર આપ આદમી પાર્ટીના ચૈતર વસાવા માટે જનમત વધુ દેખાઈ રહ્યો છે.

  • બારડોલી લોકસભા બેઠક : મૂળે બે કોંગ્રેસી ઉમેદવારો વચ્ચે જંગ, ભાજપ હેટ્રીક નોંધાવી શકશે ?

ઉમેદવાર : પ્રભુ વસાવા (ભાજપ) વિરુદ્ધ સિદ્ધાર્થ ચૌધરી (કોંગ્રેસ)

બારડોલી એટલે ગુજરાતનો ખાંડનો પ્યાલો. સુગરમીલોના કારણે બારડોલીમાં સહકારનું રાજકારણ ધમધમે છે. દેશના લોંખડી પુરુષ સરદાર પટેલનું બારડોલી આંદોલન દેશભરમાં જાણીતું છે. બારડોલી લોકસભા મતક્ષેત્ર પર 2024 નો ચૂંટણી જંગ પૂર્વ કોંગ્રેસી અને છેલ્લી બે ટર્મના સાંસદ એવા પ્રભુ વસાવા અને કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી વચ્ચે રહ્યો હતો.

બારડોલી લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ સમાજના ઉમેદવાર માટે અનામત બેઠક છે. આદિવાસી સમાજનું પ્રભુત્વ ધરાવતી બારડોલી બેઠક પર હળપતિ, ગામીત, વસાવા, ચૌધરી મતદારો નિર્ણાયક બનતા રહે છે. બારડોલી મતક્ષેત્ર હેઠળની સાત વિધાનસભા બેઠકો પૈકી માંગરોળ, માંડવી, નિઝર, બારડોલી, વ્યારા, મહુવા અને નિઝર એમ છ બેઠકો આદિવાસી સમાજ માટે અનામત છે.

2024માં 64.81 ટકા મતદાન નોંધાયું છે. પ્રમાણમાં ઓછો જન સંપર્ક ધરાવતા ભાજપના પ્રભુ વસાવા માંડવી વિસ્તાર બહાર ઓછો સંપર્ક ધરાવે છે. ઉપરાંત સ્થાનિક સમસ્યા પર ઓછું કામ કર્યું છે અને વિકાસ કાર્યોની ઓછી હાજરી તેમના વિરુદ્ધ જઈ શકે છે. તો નરેન્દ્ર મોદીનો ચહેરો, મોદી ગેરંટી અને કોંગ્રેસના નબળા સંગઠનનો લાભ પ્રભુ વસાવાને મળી શકે છે.

સિદ્ધાર્થ ચૌધરી સુમુલ ડેરી સાથે સંકળાયેલા છે. એમબીએ અને એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા સિદ્ધાર્થ ચૌધરી સુરત અને તાપી જિલ્લામાં લોકપ્રિય છે અને પૂર્વ કોંગ્રેસી અમરસિંહ ઝેડ. ચૌધરીના પુત્ર છે. સિદ્ધાર્થ ચૌધરીને સુમૂલ ડેરી થકી સહકારી રાજકારણનો લાભ, શિક્ષિત અને યુવા ચહેરો, પિતા અમરસિંહ ઝેડ. ચૌધરીના નામ-કામ ફાયદો કરાવી શકે છે. તો સુરતમાં વિખેરાતું જતું કોંગ્રેસનું સંગઠન, મજબૂત સ્થાનિક મુદ્દાઓને મતદારો સુધી લઈ જવામાં નિષ્ક્રીયતા પડકારરૂપ છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન જે માહોલ સર્જ્યો હતો, એ મતમાં રૂપાંતર થાય તો પ્રભુ વસાવાને ત્રીજી ટર્મમાં વિજય ન મળી શકે અને બારડોલીને સિદ્ધાર્થ ચૌધરી તરીકે શિક્ષિત -યુવા સાંસદ મળી શકે છે.

  • નવસારી લોકસભા બેઠક : સવાલ ફક્ત વિજયી માર્જિનનો રહેશે, કોંગ્રેસ ફરીથી નિરાશ થશે

ઉમેદવાર : સી. આર. પાટીલ (ભાજપ) વિરુદ્ધ નૈષધ દેસાઈ (કોંગ્રેસ)

ગુજરાતની નવસારી લોકસભા દેશમાં VIP બેઠક ગણાય છે. સાથે ભાજપ માટે સૌથી સલામત બેઠક પૈકી બીજા નંબરની સુરક્ષિત બેઠક છે. નવસારી બેઠકનો મોટાભાગનો મતવિસ્તાર સુરત શહેરની લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાસી વિધાનસભા બેઠક હેઠળ આવે છે. જ્યારે નવસારી જિલ્લાની નવસારી, જલાલપોર અને ગણદેવી વિધાનસભા બેઠક નવસારી લોકસભા મતક્ષેત્રનો ભાગ છે. 2022 વિધાનસભા ચૂંટણીમાં નવસારી બેઠક હેઠળની સાતેય વિધાનસભા બેઠક ભાજપે જીતી હતી.

નવસારીથી 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, કોંગ્રેસના નૈષધ દેસાઈ સામે ચૂંટણી લડે છે. કોંગ્રેસ પણ નવસારી બેઠક પર ફક્ત માર્જિન હારનું ઘટાડવા માટે લડતી હોય એમ ચૂંટણી લડી છે. 2019માં ભાજપના સી. આર. પાટીલે કોંગ્રેસના ધર્મેશ પટેલને 6.89 લાખની વિક્રમી લીડથી હરાવી દેશમાં જાણીતા થયા હતા. અગાઉ 2014 માં સી. આર. પાટીલે કોંગ્રેસના મકસુદ મિર્ઝાને 5.58 લાખ મતે હરાવ્યા હતા. હવે 2024 ની ચૂંટણી જાહેર થતાં જ નવસારી લોકસભાના મતદારોમાં એક જ ચર્ચા છે કે, આ વખતે કોંગ્રેસ કેટલા લાખ મતોથી હારશે.

કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ આરંભમાં પ્રચાર અને મતક્ષેત્રમાં જે ઉત્સાહ દર્શાવ્યો હતો એવો ઉત્સાહ મતદાનના 15 દિવસ પહેલા દેખાડ્યો નહીં. સી.આર. પાટીલ સતત સાડા પાંચ લાખથી વધુ મતોથી સતત જીતતા આવે છે, છતાં પણ તમામ વિધાનસભા બેઠક પર પ્રચાર કર્યો અને ચુસ્ત બૂથ મેનેજમેન્ટ કર્યું. જેના થકી નવસારી લોકસભા બેઠક પર 2024 માં કુલ મતદાન 59.66 ટકા થવા પામ્યું છે. ઓછું મતદાન પણ ભાજપ અને સી. આર. પાટીલ તરફી થયું હોય એમ જણાય છે.

નવસારી બેઠક પર ભાજપના 2,000 બુથ પર પેજ પ્રમુખોની સક્રિયતા, નગરપાલિકાથી જિલ્લા પંચાયત સુધી ભાજપનું શાસન, નવસારી નગરપાલિકા દ્વારા સંપન્ન કરેલા રૂપિયા એક હજાર કરોડના વિકાસ કાર્યો અને બેઠક હેઠળની સાતેય વિધાનસભા બેઠકો પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સી. આર. પાટીલનો રોડ-શો જીતના કારણો બની શકે છે.

જ્યારે કોંગ્રેસ ઉમેદવાર નૈષદ દેસાઈએ મતદારો અને કાર્યકરોના દિલ જીતવા માટે મહાત્મા ગાંધીની વેશભુષા ધારણ કરી હતી. 2024માં નવસારી બેઠક પર પરિણામની આશા ફક્ત ભાજપના સી. આર. પાટીલ કેટલી લીડથી જીતે છે એ જાણવા સુધી જ સીમિત રહી છે. ભાજપ ચોક્કસથી નવસારી બેઠક જીતે છે.

  • વલસાડ લોકસભા બેઠક : પરિણામના દિવસે જ જાણ થશે કોણ રહ્યો છે બળીયો

ઉમેદવાર : ધવલ પટેલ (ભાજપ) વિરુદ્ધ અનંત પટેલ (કોંગ્રેસ)

વલસાડ લોકસભા બેઠકની એક વાસ્તવિકતા છે કે જે પક્ષ વલસાડમાં લોકસભા બેઠક જીતે છે એ પક્ષની દેશમાં સરકાર રચાય છે. સાથે એ પણ સત્ય છે કે ગાંધી પરિવારનું કોઈ એક સભ્ય લોકસભા ચૂંટણી દરમિયાન વલસાડ ખાતે જાહેર સભા કરે જ છે. વલસાડ લોકસભા મતક્ષેત્ર હેઠળની સાત પૈકી ડાંગ, વાંસદા, ધરમપુર, કપરાડા અને ઉમરગાંવ એમ પાંચ વિધાનસભા બેઠકો આદિવાસી સમાજના ઉમેદવાર માટે અનામત બેઠક છે.

2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 6 અને કોંગ્રેસે 1 બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના ડો. કે. સી. પટેલે કોંગ્રેસના જીતુભાઈ ચૌધરીને 3.53 લાખ મતે હરાવ્યા હતા. જ્યારે 2014ની મોદી લહેરની ચૂંટણીમાં ભાજપનો વિજય 2.08 લાખ મતે નોંધાયો હતો. 2024 લોકસભા ચૂંટણી કોંગ્રેસ જીતી શકે એવી બેઠકો પૈકી એક બેઠક એ રાજ્યના છેવાડાના વિસ્તારની મહત્વની બેઠક એટલે વલસાડ બેઠક.

એક સમયે ડાંગ-વલસાડ બેઠક તરીકે ઓળખાતી વલસાડ બેઠક તેની હાફુસ કેરી, વલસાડી ચીકુ અને કેમિકલ ઉદ્યોગો માટે જાણીતું છે. 2024માં ભાજપ અને કોંગ્રેસે નવા ચહેરાને મેદાને ઉતાર્યા છે. ભાજપે શિક્ષણ ધવલ પટેલને તો કોંગ્રેસ આદિવાસી વિસ્તારમાં ડેમ અને વિકાસના મુદ્દે આંદોલન કરનાર વાંસદા વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી હતી. 2014 અને 2019 ના વલસાડના સાંસદ કે. સી. પટેલ સાથેના વિવાદો અને સ્થાનિક સ્તરે પક્ષમાં વિરોધ થતા ભાજપે આયાતી ઉમેદવાર ધવલ પટેલ પર પસંદગી ઉતારી, તો કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ પણ નવસારી જિલ્લાના છે.

2024માં કોંગ્રેસ વલસાડ બેઠકથી જીતની આશા રાખે છે. પાર-નર્મદા ડેમ આંદોલનના કારણે અનંત પટેલ આદિવાસી મતદારોમાં જાણીતા અને લોકપ્રિય બન્યા છે. રાહુલ ગાંધીએ પણ વલસાડના ધરમપુર ખાતે જાહેર સભા યોજી અને કોંગ્રેસના પરંપરાગત મતદારોને ફરી કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે પ્રેર્યા હતા. 2024માં વલસાડ બેઠક પર રાજ્યમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે. ગરમી હોવા છતાં વલસાડ લોકસભા બેઠકના મતદારોએ 72.17 ટકા મતદાન નોંધાવીને કોણ જીતશે, કોણ હારશે એ અંગે રહસ્ય સર્જાયું છે. વધુ મતદાનથી કોંગ્રેસને આશા છે કે મતદાન પરિવર્તન માટે છે. જ્યારે ભાજપ મોદી ગેરંટીને કારણ જીત નક્કી હોવાનું માને છે. ભાજપ-કોંગ્રેસ વચ્ચેના મત જંગમાં કોંગ્રેસે વિજય માટે આશા રાખવા જેવી આ બેઠક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.