ETV Bharat / state

વહેલી પરોઢે કચ્છની ધરા ધ્રુજી : ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે 4.0 તીવ્રતાનો ભૂકંપનો આંચકો

કચ્છમાં ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક વહેલી પરોઢે 3:54 કલાકે 4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 47 કિલોમીટર નોર્થ, નોર્થ-ઇસ્ટમાં નોંધાયું છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

વહેલી પરોઢે કચ્છની ધરા ધ્રુજી
વહેલી પરોઢે કચ્છની ધરા ધ્રુજી (ETV Bharat Gujarat)

કચ્છ : ગુજરાતના સરહદી વિસ્તાર એવા કચ્છની ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક વહેલી પરોઢે 3:54 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં નાના નાના આંચકાનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે પશ્ચિમ કચ્છના ખાવડા વિસ્તારમાં 4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. સવારના 3:54 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

કચ્છની ધરા ધ્રુજી : વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. આજે વહેલી સવારે 3:54 કલાકે 4 ની તીવ્રતા સાથેના ભૂકંપના આંચકાથી કચ્છના ખાવડા વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 47 કિલોમીટર નોર્થ, નોર્થ-ઇસ્ટમાં નોંધાયું છે.

4 તીવ્રતાનો આંચકો : ઉલ્લેખનીય છે કે, કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઇન પર જ નોંધાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલા ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0 ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈ અને ધોળાવીરાની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકા અનુભવાતા હોય છે. આજે સવારે ફરી પશ્ચિમ કચ્છના ખાવડા વિસ્તાર પાસે આંચકો અનુભવાયો હતો.

વાગડની ફોલ્ટ લાઈન : કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે સક્રિય થઈ છે. તેની આસપાસ જ છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા. પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

  1. જાણો શા માટે કચ્છની ધરા પર અવારનવાર અનુભવાય છે આંચકાઓ
  2. જુનાગઢ ભાજપમાં ભૂકંપ, જવાહર ચાવડાએ પીએમ મોદીને લખ્યો પત્ર

કચ્છ : ગુજરાતના સરહદી વિસ્તાર એવા કચ્છની ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક વહેલી પરોઢે 3:54 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં નાના નાના આંચકાનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે પશ્ચિમ કચ્છના ખાવડા વિસ્તારમાં 4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. સવારના 3:54 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

કચ્છની ધરા ધ્રુજી : વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. આજે વહેલી સવારે 3:54 કલાકે 4 ની તીવ્રતા સાથેના ભૂકંપના આંચકાથી કચ્છના ખાવડા વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 47 કિલોમીટર નોર્થ, નોર્થ-ઇસ્ટમાં નોંધાયું છે.

4 તીવ્રતાનો આંચકો : ઉલ્લેખનીય છે કે, કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઇન પર જ નોંધાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલા ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0 ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈ અને ધોળાવીરાની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકા અનુભવાતા હોય છે. આજે સવારે ફરી પશ્ચિમ કચ્છના ખાવડા વિસ્તાર પાસે આંચકો અનુભવાયો હતો.

વાગડની ફોલ્ટ લાઈન : કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે સક્રિય થઈ છે. તેની આસપાસ જ છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા. પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

  1. જાણો શા માટે કચ્છની ધરા પર અવારનવાર અનુભવાય છે આંચકાઓ
  2. જુનાગઢ ભાજપમાં ભૂકંપ, જવાહર ચાવડાએ પીએમ મોદીને લખ્યો પત્ર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.