ETV Bharat / state

15 લાખ ઉધાર લીધા વ્યાજ 3.5 કરોડઃ જામનગરના જસપાલ-યશપાલ જાડેજા બ્રદર જેલ હવાલે - JASPAL AND YASHPAL JADEJA CASE

જાણો બંને શખ્સોનું સમગ્ર કારસ્તાન...

જામનગરના જસપાલ-યશપાલ જાડેજા બ્રદર જેલ હવાલે
જામનગરના જસપાલ-યશપાલ જાડેજા બ્રદર જેલ હવાલે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2025, 9:26 PM IST

જામનગરઃ જામનગરમાં ગુજસીટોક કેસમાં સંડોવાયેલા જાડેજા બંધુઓ જસપાલ જાડેજા અને યશપાલ જાડેજા સામે વિભાપરના એક ખેડૂતને ધાકધમકી આપી 15 લાખ રૂપિયાનું સાડા ત્રણ કરોડ જેટલું વ્યાજ વસૂલવા માટે ધમકી અપાઇ હોવાની અને તેની 6 વીઘા ખેતીની જમીન પચાવી પાડવા અંગેનું કાવતરું સામે આવતા કુલ ત્રણ સામે ગુનો નોંધાવામાં આવ્યો છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આ જાડેજા બ્રદર્સ

હજુ જમીન પર છૂટયા અને બંને ભાઈ ફરી જેલ હવાલે

પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો પ્રમાણે, જામનગર તાલુકાના વિભાપર ગામમાં રહેતા પટેલ ખેડૂત કે જેઓને અગાઉ પૈસાની જરૂરિયાત પડતા જામનગરના યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા જસપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા અશોક ચંદારાણા નામના શખ્સે ખેડૂતને 15 લાખ રૂપિયા વ્યાજે આપ્યા બાદ તેનું આશરે સાડા ત્રણ કરોડ જેટલું રાક્ષસી વ્યાજ માગ્યું હતું. સાથે જ ખેડૂતને ધાક ધમકી અપાઈ હતી. એટલું જ માત્ર નહીં, ત્રણેય આરોપીઓએ ખેડૂતની આશરે 6 વિધા જેટલી વિભાપર ગામમાં આવેલી ખેતીની જમીન પણ પચાવી પાડવા માટેનો કારસો રચ્યો હતો.

શું કહે છે IPS પ્રેમસુખ ડેલુ, જામનગર SP (Etv Bharat Gujarat)

આખરે આ મામલો જિલ્લા પોલીસવડા સમક્ષ લઈ જવાયો હતો અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ આ સંદર્ભમાં સીટી બી. ડિવિઝનના પી.આઇ. પી.પી. ઝાને તાત્કાલિક અસરથી ગુનો નોંધવા માટે આદેશ કર્યો હતો. જે આદેશ અનુસાર સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં યશપાલસિંહ જાડેજા અને જસપાલસિંહ જાડેજા તેમજ અશોક ચંદારણા સહિત ત્રણેય સામે ગેરકાયદે નાણાં ધિરધાર કરવા ઉપરાંત ખેતીની જમીન પચાવી પાડવાનો કારસો રચવા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

  1. સંઘપ્રદેશની દમણગંગા નદીમાં અચાનક પાણીનો રંગ બદલાયો, સાંસદ તાત્કાલિક દોડી આવ્યા
  2. નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂર્ણિમાની ઉજવણી: બોર ઉછાળવાની શું છે પરંપરા

જામનગરઃ જામનગરમાં ગુજસીટોક કેસમાં સંડોવાયેલા જાડેજા બંધુઓ જસપાલ જાડેજા અને યશપાલ જાડેજા સામે વિભાપરના એક ખેડૂતને ધાકધમકી આપી 15 લાખ રૂપિયાનું સાડા ત્રણ કરોડ જેટલું વ્યાજ વસૂલવા માટે ધમકી અપાઇ હોવાની અને તેની 6 વીઘા ખેતીની જમીન પચાવી પાડવા અંગેનું કાવતરું સામે આવતા કુલ ત્રણ સામે ગુનો નોંધાવામાં આવ્યો છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આ જાડેજા બ્રદર્સ

હજુ જમીન પર છૂટયા અને બંને ભાઈ ફરી જેલ હવાલે

પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો પ્રમાણે, જામનગર તાલુકાના વિભાપર ગામમાં રહેતા પટેલ ખેડૂત કે જેઓને અગાઉ પૈસાની જરૂરિયાત પડતા જામનગરના યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા જસપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા અશોક ચંદારાણા નામના શખ્સે ખેડૂતને 15 લાખ રૂપિયા વ્યાજે આપ્યા બાદ તેનું આશરે સાડા ત્રણ કરોડ જેટલું રાક્ષસી વ્યાજ માગ્યું હતું. સાથે જ ખેડૂતને ધાક ધમકી અપાઈ હતી. એટલું જ માત્ર નહીં, ત્રણેય આરોપીઓએ ખેડૂતની આશરે 6 વિધા જેટલી વિભાપર ગામમાં આવેલી ખેતીની જમીન પણ પચાવી પાડવા માટેનો કારસો રચ્યો હતો.

શું કહે છે IPS પ્રેમસુખ ડેલુ, જામનગર SP (Etv Bharat Gujarat)

આખરે આ મામલો જિલ્લા પોલીસવડા સમક્ષ લઈ જવાયો હતો અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ આ સંદર્ભમાં સીટી બી. ડિવિઝનના પી.આઇ. પી.પી. ઝાને તાત્કાલિક અસરથી ગુનો નોંધવા માટે આદેશ કર્યો હતો. જે આદેશ અનુસાર સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં યશપાલસિંહ જાડેજા અને જસપાલસિંહ જાડેજા તેમજ અશોક ચંદારણા સહિત ત્રણેય સામે ગેરકાયદે નાણાં ધિરધાર કરવા ઉપરાંત ખેતીની જમીન પચાવી પાડવાનો કારસો રચવા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

  1. સંઘપ્રદેશની દમણગંગા નદીમાં અચાનક પાણીનો રંગ બદલાયો, સાંસદ તાત્કાલિક દોડી આવ્યા
  2. નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂર્ણિમાની ઉજવણી: બોર ઉછાળવાની શું છે પરંપરા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.