ETV Bharat / state

જામનગરમાં વરૂણદેવને રીઝવવા વેપારી સંસ્થાની અનોખી પ્રણાલિ, જાણો શું છે આ પ્રણાલિ - the trading house made 7000 ladus

જામનગરમાં વરુણદેવને રીઝવવા શહેરની વેપારી સંસ્થા ઘી સીડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશન દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગાયો અને મજૂર ભાઈઓ માટે લાડુ બનાવી તેનું વિતરણ કરવામાં આવે છે., In order to indulge Varundev in Jamnagar,

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 6, 2024, 5:04 PM IST

જામનગરમાં વરૂણદેવને રીઝવવા વેપારી સંસ્થાની અનોખી પ્રણાલિ
જામનગરમાં વરૂણદેવને રીઝવવા વેપારી સંસ્થાની અનોખી પ્રણાલિ (Etv Bharat Gujarat)
જામનગરમાં વરૂણદેવને રીઝવવા વેપારી સંસ્થાની અનોખી પ્રણાલિ (Etv Bharat Gujarat)

જામનગર: શ્રી વરુણદેવને રીઝવવા આજ રોજ જામનગર શહેરની વેપારી સંસ્થા ઘી સીડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશન દ્વારા તેમની વર્ષોની પ્રણાલિકા મુજબ અષાઢી બીજ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. તેમની આ પ્રણાલિને અનુસરીને આ વર્ષે પણ સંસ્થા દ્વારા જામનગરની જુદી જુદી ગૌશાળાઓમાં ઘઉંના લોટના લાડુ બનાવીને વિતરણ કરવામાં આવશે. જેમાં 720 કિલો ઘંઉનો લોટ, 150 કિલો દેશી ગોળ, 150 કિલો ઘી, અને 150 કિલો તેલના આશરે 7000 નંગ ઘંઉના લાડુ ગાયો માટે બનાવવામાં આવે છે. તેમજ મજૂર ભાઈઓ માટે 80 કિલો ચણાના લોટની આશરે 1500 નંગ બુંદીના લાડુ બનાવી તેનું અષાઢી બીજ નિમિતે વિતરણ કરવામાં આવશે.

ઉપરાંત જામનગરમાં એવી પણ લોકમાન્યતા છે કે વેપારી સંસ્થા દ્વારા ગાયોને લાડુ ખવડાવવામાં આવે ત્યારબાદ જામનગર પંથકમાં સારો એવો વરસાદ થાય છે, છેલ્લા 60 વર્ષથી જામનગરની વેપારી સંસ્થા દ્વારા ગાયોને લાડુ ખવડાવવામાં આવે છે. જામનગર પંથકના 15 જેટલા ગૌશાળામાં આ લાડુનું વિતરણ કરવામાં આવે છે.

  1. રાજકોટના જેતપુરમાં નકલી પનીર અને અખાદ્ય દૂધના ચાલતા વેપલાનો પર્દાફાશ, ફુડ વિભાગની મોટી કાર્યવાહી - Fake cheese manufacturing caught

જામનગરમાં વરૂણદેવને રીઝવવા વેપારી સંસ્થાની અનોખી પ્રણાલિ (Etv Bharat Gujarat)

જામનગર: શ્રી વરુણદેવને રીઝવવા આજ રોજ જામનગર શહેરની વેપારી સંસ્થા ઘી સીડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશન દ્વારા તેમની વર્ષોની પ્રણાલિકા મુજબ અષાઢી બીજ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. તેમની આ પ્રણાલિને અનુસરીને આ વર્ષે પણ સંસ્થા દ્વારા જામનગરની જુદી જુદી ગૌશાળાઓમાં ઘઉંના લોટના લાડુ બનાવીને વિતરણ કરવામાં આવશે. જેમાં 720 કિલો ઘંઉનો લોટ, 150 કિલો દેશી ગોળ, 150 કિલો ઘી, અને 150 કિલો તેલના આશરે 7000 નંગ ઘંઉના લાડુ ગાયો માટે બનાવવામાં આવે છે. તેમજ મજૂર ભાઈઓ માટે 80 કિલો ચણાના લોટની આશરે 1500 નંગ બુંદીના લાડુ બનાવી તેનું અષાઢી બીજ નિમિતે વિતરણ કરવામાં આવશે.

ઉપરાંત જામનગરમાં એવી પણ લોકમાન્યતા છે કે વેપારી સંસ્થા દ્વારા ગાયોને લાડુ ખવડાવવામાં આવે ત્યારબાદ જામનગર પંથકમાં સારો એવો વરસાદ થાય છે, છેલ્લા 60 વર્ષથી જામનગરની વેપારી સંસ્થા દ્વારા ગાયોને લાડુ ખવડાવવામાં આવે છે. જામનગર પંથકના 15 જેટલા ગૌશાળામાં આ લાડુનું વિતરણ કરવામાં આવે છે.

  1. રાજકોટના જેતપુરમાં નકલી પનીર અને અખાદ્ય દૂધના ચાલતા વેપલાનો પર્દાફાશ, ફુડ વિભાગની મોટી કાર્યવાહી - Fake cheese manufacturing caught
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.