ETV Bharat / state

Holi 2024: સુરત પાંજરાપોળ દ્વારા ગાયના છાણમાંથી 70 હજાર કિલો જેટલી હોલી સ્ટિક(ગૌ કાષ્ટ) તૈયાર કરાઈ - Holi 2024

પર્યાવરણ લક્ષી વૈદિક હોળી ઉજવવા માટે સુરત પાંજરાપોળ દ્વારા તરછોડાયેલી ગીર ગાય સહિતની 11 હજારથી વધુ ગાયોના છાણમાંથી 70,000 કિલોગ્રામ જેટલી હોલી સ્ટિક(ગૌ કાષ્ટ) બનાવવામાં આવી રહી છે. હવે લોકોમાં આ કિફાયતી અને પર્યાવરણ લશ્રી ગૌ કાષ્ટ વિશે અવેરનેસ જોવા મળી રહી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Holi 2024 Surat Panjarapole Gau Kashta Holi Stick Cow Dung

સુરત પાંજરાપોળ દ્વારા ગાયના છાણમાંથી 70 હજાર કિલો હોલી સ્ટિક તૈયાર કરાઈ
સુરત પાંજરાપોળ દ્વારા ગાયના છાણમાંથી 70 હજાર કિલો હોલી સ્ટિક તૈયાર કરાઈ
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 18, 2024, 5:23 PM IST

સુરત પાંજરાપોળ દ્વારા ગાયના છાણમાંથી 70 હજાર કિલો હોલી સ્ટિક તૈયાર કરાઈ

સુરતઃ વૈદિક હોળીથી વાતાવરણમાં રહેલા આરોગ્યને નુકસાન કરતા વાયુ અને વિષાણુઓનો નાશ થાય છે. તેથી સુરત પાંજરાપોળમાં હજારોની સંખ્યામાં તરછોડેલી ગાયોના છાણમાંથી પાંજરાપોળમાં હાલ ખાસ હોલી સ્ટિક(ગૌ કાષ્ટ) બનાવવામાં આવી રહી છે. હોલિકા દહન પર આ વખતે લોકો આ જ ગૌ કાષ્ટનો ઉપયોગ કરે તો હજારો વૃક્ષોનું નિકંદન અટકાવી શકાય છે. આ ઉપરાંત જે તે વિસ્તારમાં વૈદિક હોળીની સંકલ્પના પણ સાકાર કરી શકાય.

ગૌ કાષ્ટની ડિમાન્ડ વધીઃ સુરત પાંજરાપોળ તરછોડાયેલી કુલ 11,000 ગાયના છાણમાંથી ગૌ કાષ્ટ બનાવી રહી છે. આ ગાયોમાં અનેક ગીર ગાયો પણ છે. અત્યારે લોકોમાં હોલી સ્ટિક(ગૌ કાષ્ટ) અંગે અવેરનેસ વધી હોવાથી તેની ડિમાન્ડ પણ વધી છે. સુરત પાંજરાપોળના જનરલ મેનેજર અતુલ વોરાએ જણાવ્યુ હતું કે, ગાયના છાણમાંથી તૈયાર સ્ટીક પર્યાવરણ માટે ખૂબ જ અનુકૂળ છે. તેનાથી પર્યાવરણમાં રહેલા હાનિકારક વિષાણુ નાશ પામે છે. પર્યાવરણ શુદ્ધ થાય છે અને આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. અમારી પાસે 11,000થી પણ વધુ પશુઓ છે. અમે છેલ્લા 6 મહિનાથી ગાયના છાણમાંથી આ સ્ટીક બનાવવાની શરૂઆત કરી દીધી છે. હાલ લોકોમાં આ અંગે ખૂબ જ જાગૃતિ અને ડિમાન્ડ પણ જોવા મળી રહી છે. ગયા વર્ષે અમારું 60ટન પ્રોડક્શન હતું જે વધીને 70ટન થયું છે.

સુરત પાંજરાપોળ દ્વારા ગાયના છાણમાંથી 70 હજાર કિલો હોલી સ્ટિક તૈયાર કરાઈ
સુરત પાંજરાપોળ દ્વારા ગાયના છાણમાંથી 70 હજાર કિલો હોલી સ્ટિક તૈયાર કરાઈ

શરુઆત 10 ટનથી થઈ હતીઃ સુરત પાંજરાપોળના અનોખા હોલી સ્ટિક(ગૌ કાષ્ટ) વિશે જનરલ મેનેજર અતુલ વોરાએ જણાવ્યુ હતું કે,અમે શરુઆતમાં 10000, 15000 અને બાદમાં 35000 કિલો ગૌ કાષ્ટ બનાવી હતી. જો કે ડિમાન્ડને જોતા આ વર્ષે 70 ટન એટલે કે 70 હજાર કિલોગ્રામ ગૌ કાષ્ટ બનાવી રહ્યા છીએ. જેમાંથી મોટા ભાગની બની ગઈ છે. સુરત જ નહિ ગુજરાત સહિત અન્ય રાજ્યોના શહેરોમાં પણ ગૌ કાષ્ટની ડિમાન્ડ છે. આ ગૌકાષ્ટ વેચીને જે પણ આવક થશે તેનો ઉપયોગ અમે અમારા પાંજરાપોળમાં રહેલા તમામ પશુઓના સ્વાસ્થ્ય માટે ખર્ચ કરીશું. લોકો 1 કિલો લાકડા પાછળ 50થી 55 રુપિયા ચૂકવે છે જ્યારે આ હોલી સ્ટિક પ્રતિ કિલોએ 25 રુપિયાની કિંમતમાં અવાઈલેબલ છે. હોળીમાં ગૌ કાષ્ટનો ઉપયોગ કરવાથી પર્યાવરણની પણ શુદ્ધિ થશે.

  1. Holi Special Trains: હોળી પર ગુજરાતથી મુંબઈ અને ગુજરાતથી UP વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડશે, જાણો શેડ્યૂલ
  2. અહીંના લોકો દેવ દિવાળીથી લઈને હોળી સુધી મનાવે છે તહેવાર, આદીવાસી સમાજની અનોખી પરંપરા

સુરત પાંજરાપોળ દ્વારા ગાયના છાણમાંથી 70 હજાર કિલો હોલી સ્ટિક તૈયાર કરાઈ

સુરતઃ વૈદિક હોળીથી વાતાવરણમાં રહેલા આરોગ્યને નુકસાન કરતા વાયુ અને વિષાણુઓનો નાશ થાય છે. તેથી સુરત પાંજરાપોળમાં હજારોની સંખ્યામાં તરછોડેલી ગાયોના છાણમાંથી પાંજરાપોળમાં હાલ ખાસ હોલી સ્ટિક(ગૌ કાષ્ટ) બનાવવામાં આવી રહી છે. હોલિકા દહન પર આ વખતે લોકો આ જ ગૌ કાષ્ટનો ઉપયોગ કરે તો હજારો વૃક્ષોનું નિકંદન અટકાવી શકાય છે. આ ઉપરાંત જે તે વિસ્તારમાં વૈદિક હોળીની સંકલ્પના પણ સાકાર કરી શકાય.

ગૌ કાષ્ટની ડિમાન્ડ વધીઃ સુરત પાંજરાપોળ તરછોડાયેલી કુલ 11,000 ગાયના છાણમાંથી ગૌ કાષ્ટ બનાવી રહી છે. આ ગાયોમાં અનેક ગીર ગાયો પણ છે. અત્યારે લોકોમાં હોલી સ્ટિક(ગૌ કાષ્ટ) અંગે અવેરનેસ વધી હોવાથી તેની ડિમાન્ડ પણ વધી છે. સુરત પાંજરાપોળના જનરલ મેનેજર અતુલ વોરાએ જણાવ્યુ હતું કે, ગાયના છાણમાંથી તૈયાર સ્ટીક પર્યાવરણ માટે ખૂબ જ અનુકૂળ છે. તેનાથી પર્યાવરણમાં રહેલા હાનિકારક વિષાણુ નાશ પામે છે. પર્યાવરણ શુદ્ધ થાય છે અને આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. અમારી પાસે 11,000થી પણ વધુ પશુઓ છે. અમે છેલ્લા 6 મહિનાથી ગાયના છાણમાંથી આ સ્ટીક બનાવવાની શરૂઆત કરી દીધી છે. હાલ લોકોમાં આ અંગે ખૂબ જ જાગૃતિ અને ડિમાન્ડ પણ જોવા મળી રહી છે. ગયા વર્ષે અમારું 60ટન પ્રોડક્શન હતું જે વધીને 70ટન થયું છે.

સુરત પાંજરાપોળ દ્વારા ગાયના છાણમાંથી 70 હજાર કિલો હોલી સ્ટિક તૈયાર કરાઈ
સુરત પાંજરાપોળ દ્વારા ગાયના છાણમાંથી 70 હજાર કિલો હોલી સ્ટિક તૈયાર કરાઈ

શરુઆત 10 ટનથી થઈ હતીઃ સુરત પાંજરાપોળના અનોખા હોલી સ્ટિક(ગૌ કાષ્ટ) વિશે જનરલ મેનેજર અતુલ વોરાએ જણાવ્યુ હતું કે,અમે શરુઆતમાં 10000, 15000 અને બાદમાં 35000 કિલો ગૌ કાષ્ટ બનાવી હતી. જો કે ડિમાન્ડને જોતા આ વર્ષે 70 ટન એટલે કે 70 હજાર કિલોગ્રામ ગૌ કાષ્ટ બનાવી રહ્યા છીએ. જેમાંથી મોટા ભાગની બની ગઈ છે. સુરત જ નહિ ગુજરાત સહિત અન્ય રાજ્યોના શહેરોમાં પણ ગૌ કાષ્ટની ડિમાન્ડ છે. આ ગૌકાષ્ટ વેચીને જે પણ આવક થશે તેનો ઉપયોગ અમે અમારા પાંજરાપોળમાં રહેલા તમામ પશુઓના સ્વાસ્થ્ય માટે ખર્ચ કરીશું. લોકો 1 કિલો લાકડા પાછળ 50થી 55 રુપિયા ચૂકવે છે જ્યારે આ હોલી સ્ટિક પ્રતિ કિલોએ 25 રુપિયાની કિંમતમાં અવાઈલેબલ છે. હોળીમાં ગૌ કાષ્ટનો ઉપયોગ કરવાથી પર્યાવરણની પણ શુદ્ધિ થશે.

  1. Holi Special Trains: હોળી પર ગુજરાતથી મુંબઈ અને ગુજરાતથી UP વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડશે, જાણો શેડ્યૂલ
  2. અહીંના લોકો દેવ દિવાળીથી લઈને હોળી સુધી મનાવે છે તહેવાર, આદીવાસી સમાજની અનોખી પરંપરા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.