ETV Bharat / state

'શું હવે ફરિયાદ નોંધવા DGને કોર્ટમાં બોલાવવા પડશે?', ભાજપ MLA સામે દુષ્કર્મના કેસમાં ગુજરાત HCએ ખખડાવ્યા

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું કે, જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તે ખૂબ જ ડિસ્ટર્બિંગ છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર
ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર (ETV Bharat Gujarat)

અમદાવાદ: પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની સામે દુષ્કર્મની ફરિયાદ અંગે થયેલી અરજી મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન સરકારી વકીલે આ મુદ્દે વધુ સમયની માંગ કરતા હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઇકોર્ટ ટકોર કરતા કહ્યું કે, અમે જરા પણ સમય આપવા માંગતા નથી.

કોર્ટની પોલીસને ટકોર
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું કે, જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તે ખૂબ જ ડિસ્ટર્બિંગ છે અને સરકારી વકીલે માત્ર બે દિવસનો સમય માંગ્યો હતો તો પણ હજી સુધી આ કેસને ગંભીરતાથી લેવામાં આવ્યો નથી. હાઇકોર્ટે ટકોર કરી કે, મહિલાએ લેખિત ફરિયાદ આપ્યા છતાં પી. આઈએ મહિલાને નિવેદન માટે બોલાવી હતી. હાઇકોર્ટે સવાલ કર્યો કે, શું હવે ફરિયાદ નોંધવા માટે ડીજીને કોર્ટમાં બોલાવવા પડશે? આ મામલે કોર્ટે વધુ ત્રણ દિવસનો સમય આપ્યો આ સમગ્ર મામલે હવે 17 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

પોલીસે ધારાસભ્યને આપી હતી ક્લીનચીટ
ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ બાદ ધારાસભ્યને ક્લીન ચીટ આપવામાં આવી હતી. ત્યાર પછી આ મામલે પીડિત મહિલા તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક રીટ અરજી કરવામાં આવી હતી. તે અંગે ગત સુનવણી દરમિયાન જસ્ટિસ નીરલ મહેતાએ સરકાર અને પોલીસની ટીકા કરી હતી અને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ધારાસભ્યને બચાવવા માટે પોલીસ અને સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મહિલાની ફરિયાદ ન નોંધાતા હાઈકોર્ટ લાલઘુમ
હાઇકોર્ટે કહ્યું હતું કે, મહિલા બ્લેકમેલ કરી રહી હોવાના બહાને તમે ધારાસભ્યનો બચાવ કરો છો? દુષ્કર્મ જેવો આ ગંભીર કેસ હોવા છતાં પોલીસ કેમ ફરિયાદ નોંધતી નથી? હાઇકોર્ટે આગળ કહ્યું હતું કે, પોલીસને સૌપ્રથમ આવા દુષ્કર્મ જેવા ગંભીર કેસો માટે એફઆઇઆર દાખલ કરવી પડે તેમ કરવાના બદલે પોલીસે આનાથી ઉલટા એફઆઈઆર પહેલા તપાસ કરી, ઇન્કવાયરી બાદ ધારાસભ્યને ક્લિનચીટ પણ આપી દીધી. હાઇકોર્ટે પ્રશ્ન કર્યો કે, ધારાસભ્યને બચાવવા માટે FIR પહેલા તપાસ કેવી રીતે થઈ શકે? હાઇકોર્ટે આ સમગ્ર મામલે 14 ઓક્ટોબરે જવાબ રજૂ કરવા માટે સરકારને હુકમ કર્યો હતો.

આ અંગેની સુનાવણી દરમિયાન સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, મહિલાને તપાસ માટે નિવેદન માટે ચાર વખત બોલાવવામાં આવી હતી અને સમાધાનની વાતો ચાલતી હોવાનું જણાવીને હાજર થઈ નહોતી. ત્યાર પછી પીડિત મહિલાએ એફિડેવિટ આપી હતી કે, આ કેસમાં સમાધાન થઈ ગયું છે અને આગળ વધારવા નથી માંગતી. ત્યારબાદ એક વર્ષ પછી આ મુદ્દે ફરિયાદ કરવાનું કહે છે એટલે આ મહિલા દ્વારા બ્લેકમેલનો ત્રીજી વાર પ્રયાસ કર્યો છે. આને સાંભળીને હાઇકોર્ટે કહ્યું હતું કે, દુષ્કર્મના કેસના પ્રાથમિક તપાસ દરમિયાન ત્રણ થી ચાર વખત નિવેદન માટે શું કામ બોલાવવામાં આવી હતી? આ તો કોઈ અજુગતિ બાબત છે. પોલીસને હાઇકોર્ટે કહ્યું કે, પોલીસમાં કોઈક નમ્રતા હોવી જોઈએ. જ્યારે કોઈ મહિલા ફરિયાદ નોંધવા આવે ત્યારે નમ્રતા દાખવીને વારંવાર પોલીસ મથક એમને બોલાવાય નહીં અને પોલીસને જાતે તપાસ કરવા જવું પડે. તમારે તરત જ ફરિયાદ લેવી જોઈએ અને જ્યારે તે ખોટી સાબિત થાય તો કોર્ટમાં તે બાબતે રિપોર્ટ રજૂ કરવો જોઈએ. હાઇકોર્ટે એમ પણ કહ્યું કે, મહિલાના ચરિત્ર હનન કરવાનો પોલીસને કોઈ હક નથી, બ્લેકમેલ કરવાના બહાને તમે ધારાસભ્યને બચાવો છો.

આ પણ વાંચો:

  1. અમદાવાદ: હત્યા કેસમાં પૈસા લઈ ખોટી જુબાની આપનાર બે ભાઈઓને કોર્ટે જેલની સજા અને દંડ ફટકાર્યો
  2. અંકલેશ્વર ડ્રગ્સ કેસમાં 5 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર, દિલ્હીની તપાસમાં કેવી રીતે ખુલ્યુ ગુજરાત કનેક્શન?

અમદાવાદ: પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની સામે દુષ્કર્મની ફરિયાદ અંગે થયેલી અરજી મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન સરકારી વકીલે આ મુદ્દે વધુ સમયની માંગ કરતા હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઇકોર્ટ ટકોર કરતા કહ્યું કે, અમે જરા પણ સમય આપવા માંગતા નથી.

કોર્ટની પોલીસને ટકોર
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું કે, જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તે ખૂબ જ ડિસ્ટર્બિંગ છે અને સરકારી વકીલે માત્ર બે દિવસનો સમય માંગ્યો હતો તો પણ હજી સુધી આ કેસને ગંભીરતાથી લેવામાં આવ્યો નથી. હાઇકોર્ટે ટકોર કરી કે, મહિલાએ લેખિત ફરિયાદ આપ્યા છતાં પી. આઈએ મહિલાને નિવેદન માટે બોલાવી હતી. હાઇકોર્ટે સવાલ કર્યો કે, શું હવે ફરિયાદ નોંધવા માટે ડીજીને કોર્ટમાં બોલાવવા પડશે? આ મામલે કોર્ટે વધુ ત્રણ દિવસનો સમય આપ્યો આ સમગ્ર મામલે હવે 17 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

પોલીસે ધારાસભ્યને આપી હતી ક્લીનચીટ
ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ બાદ ધારાસભ્યને ક્લીન ચીટ આપવામાં આવી હતી. ત્યાર પછી આ મામલે પીડિત મહિલા તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક રીટ અરજી કરવામાં આવી હતી. તે અંગે ગત સુનવણી દરમિયાન જસ્ટિસ નીરલ મહેતાએ સરકાર અને પોલીસની ટીકા કરી હતી અને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ધારાસભ્યને બચાવવા માટે પોલીસ અને સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મહિલાની ફરિયાદ ન નોંધાતા હાઈકોર્ટ લાલઘુમ
હાઇકોર્ટે કહ્યું હતું કે, મહિલા બ્લેકમેલ કરી રહી હોવાના બહાને તમે ધારાસભ્યનો બચાવ કરો છો? દુષ્કર્મ જેવો આ ગંભીર કેસ હોવા છતાં પોલીસ કેમ ફરિયાદ નોંધતી નથી? હાઇકોર્ટે આગળ કહ્યું હતું કે, પોલીસને સૌપ્રથમ આવા દુષ્કર્મ જેવા ગંભીર કેસો માટે એફઆઇઆર દાખલ કરવી પડે તેમ કરવાના બદલે પોલીસે આનાથી ઉલટા એફઆઈઆર પહેલા તપાસ કરી, ઇન્કવાયરી બાદ ધારાસભ્યને ક્લિનચીટ પણ આપી દીધી. હાઇકોર્ટે પ્રશ્ન કર્યો કે, ધારાસભ્યને બચાવવા માટે FIR પહેલા તપાસ કેવી રીતે થઈ શકે? હાઇકોર્ટે આ સમગ્ર મામલે 14 ઓક્ટોબરે જવાબ રજૂ કરવા માટે સરકારને હુકમ કર્યો હતો.

આ અંગેની સુનાવણી દરમિયાન સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, મહિલાને તપાસ માટે નિવેદન માટે ચાર વખત બોલાવવામાં આવી હતી અને સમાધાનની વાતો ચાલતી હોવાનું જણાવીને હાજર થઈ નહોતી. ત્યાર પછી પીડિત મહિલાએ એફિડેવિટ આપી હતી કે, આ કેસમાં સમાધાન થઈ ગયું છે અને આગળ વધારવા નથી માંગતી. ત્યારબાદ એક વર્ષ પછી આ મુદ્દે ફરિયાદ કરવાનું કહે છે એટલે આ મહિલા દ્વારા બ્લેકમેલનો ત્રીજી વાર પ્રયાસ કર્યો છે. આને સાંભળીને હાઇકોર્ટે કહ્યું હતું કે, દુષ્કર્મના કેસના પ્રાથમિક તપાસ દરમિયાન ત્રણ થી ચાર વખત નિવેદન માટે શું કામ બોલાવવામાં આવી હતી? આ તો કોઈ અજુગતિ બાબત છે. પોલીસને હાઇકોર્ટે કહ્યું કે, પોલીસમાં કોઈક નમ્રતા હોવી જોઈએ. જ્યારે કોઈ મહિલા ફરિયાદ નોંધવા આવે ત્યારે નમ્રતા દાખવીને વારંવાર પોલીસ મથક એમને બોલાવાય નહીં અને પોલીસને જાતે તપાસ કરવા જવું પડે. તમારે તરત જ ફરિયાદ લેવી જોઈએ અને જ્યારે તે ખોટી સાબિત થાય તો કોર્ટમાં તે બાબતે રિપોર્ટ રજૂ કરવો જોઈએ. હાઇકોર્ટે એમ પણ કહ્યું કે, મહિલાના ચરિત્ર હનન કરવાનો પોલીસને કોઈ હક નથી, બ્લેકમેલ કરવાના બહાને તમે ધારાસભ્યને બચાવો છો.

આ પણ વાંચો:

  1. અમદાવાદ: હત્યા કેસમાં પૈસા લઈ ખોટી જુબાની આપનાર બે ભાઈઓને કોર્ટે જેલની સજા અને દંડ ફટકાર્યો
  2. અંકલેશ્વર ડ્રગ્સ કેસમાં 5 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર, દિલ્હીની તપાસમાં કેવી રીતે ખુલ્યુ ગુજરાત કનેક્શન?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.