ETV Bharat / state

શું ચાઈનીઝ લસણ ખાવાથી કેન્સર થવાની શક્યતા છે ? જાણો રસાયણશાસ્ત્રના અધ્યાપક વિભાકર જાનીએ શું કહ્યું.... - Side effects of Chinese garlic

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2024, 3:59 PM IST

Updated : Sep 12, 2024, 12:59 PM IST

ભારત સરકાર દ્વારા ચાઇનીઝ લસણ ઉપર 2014માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેના કારણમાં તેમાં રહેલી ફૂગ અને ઊંચા પ્રમાણમાં વપરાતા કેમિકલયુક્ત જંતુનાશકોની આરોગ્ય ઉપર આડઅસરો માટેની તકેદારી હતી. ગુજરાતનાં સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણનો જથ્થો છે એવા ક્લેમ સાથે ખેડૂતોના વિરોધનાં અહેવાલો સામે આવ્યા બાદ માર્કેટ યાર્ડસમાં લસણની હરાજી રોકવામાં આવી છે. તેનાથી સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ થાય છે. ભારતમાં આ લસણ કેવી રીતે આવ્યું એના ઠોસ પુરાવા હજુ તંત્રની તપાસનો વિષય છે. આ સમયે જૂનાગઢના રસાયણશાસ્ત્રના અધ્યાપક વિભાકર જાનીએ ચાઇનીઝ લસણના કેમિકલ ઘટકો અને તેની આરોગ્ય ઉપર અસરો અંગે ઈટીવી ભારત સાથે વિસ્તારપૂર્વક વાત કરી હતી. Side effects of Chinese garlic

જાણો ચાઇનીઝ લસણના ગેરફાયદા
જાણો ચાઇનીઝ લસણના ગેરફાયદા (Etv Bharat Gujarat)

જૂનાગઢ: સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ ચાઇનીઝ લસણની હોવાનો દાવો કરી અને તેનો વિરોધ નોંધાવતા મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ કરી દેવાની ફરજ પડી હતી. ભારતીય લસણની સામે ચાઇનામાં ઉત્પાદિત થતું લસણ કેટલું નુકસાનકારક છે. તએ મુદ્દે ઈટીવી ભારત દ્વારા કેમિસ્ટ્રીના પ્રોફેસર વિભાકર જાની સાથે વિસ્તૃત વાતચીત કરવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર જે કેમિકલનો તેમાં ઉપયોગ થાય છે એ કેમિકલ્સ કેન્સર થવા માટે જવાબદાર કેમિકલ્સ છે. જો કે ભારતમાં ક્યાંય હજુ સુધી ચાઇનીઝ લસણની કેમિકલ એજન્ટ્સ વિષે કોઈ રિસર્ચ રિપોર્ટ્સ જાહેર થયા નથી.

ચાઇનીઝ લસણ ભારતમાંં પ્રતિબંધિત છે. (Etv Bharat Gujarat)

ચાઈનીઝ લસણ ચર્ચાના એરણે: 2 દિવસ પહેલા ઉપલેટાના એક ખેડૂતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી વખતે ચાઈનીઝ લસણ મુકાયા હોવાના દાવાઓને પગલે APMCમાં ખળભળાટ વ્યાપી ગયો હતો. જો કે, ભારત સરકારે ચાઇનાથી ઉત્પાદિત થતાં લસણની ભારતમાં આયાત કરવા ઉપર 2024 માં પ્રતિબંધ મૂક્યો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવેલા લસણનો રંગ અને દેશી લસણથી જુદો દેખાવને મુદ્દે માર્કેટિંગ યાર્ડમાં આ લસણની હાજરી વિષે શંકા પેદા થઈ છે. આ ઘટના બાદ ભારતના મોટાભાગની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં લસણની હરાજી તત્કાળ ધોરણે અટકાવી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ વિરોધ નોંધાવી અને આ લસણ ચાઇનીઝ લસણ હોવાનો દાવો કર્યો હતો.

ચાઇનીઝ લસણ ભારતમાંં પ્રતિબંધિત છે.
ચાઇનીઝ લસણ ભારતમાંં પ્રતિબંધિત છે. (Etv Bharat Gujarat)

લસણની હરાજી બંધ: સૌરાષ્ટ્રમાં ખેડૂતોના વિરોધને પગલે રાજકોટ, ગોંડલ અને જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ કરવામાં આવી છે. ભારત સરકારે ચાઈનાથી ઉત્પાદિત થતું લસણ ભારતમાં તમામ સ્તર પર પ્રતિબંધિત જાહેર કર્યું છે. તેમ છતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવેલું લસણ ચાઇનીઝ છે તો એ કેવી રીતે આવ્યું એ અત્યારે તપાસનો વિષય બન્યો છે.

ચાઇનીઝ લસણ ભારતમાંં પ્રતિબંધિત છે.
ચાઇનીઝ લસણ ભારતમાંં પ્રતિબંધિત છે. (Etv Bharat Gujarat)

ચાઈનીઝ લસણમાં જોવા મળતા હાનિકારક તત્વો: ચાઈનીઝ લસણની ઓળખ કેવી રીતે કરવામાં આવે છે? એકદમ સફેદ રંગ આપવા માટે ચાઈનીઝ લસણને ક્લોરીન યુક્ત બનાવવામાં આવે છે. જેથી તે એકદમ સફેદ અને પ્રથમ દૃષ્ટિએ જોતા જ સૌ કોઈને ગમી જાય. વધુમાં ચાઈનીઝ લસણમાં હાનિકારક ધાતુ એટલે કે શિશુ અને આર્સેનિકની હાજરી હોય છે. વિજ્ઞાનની ભાષામાં તેને કાર્સીનોજન તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્સીનોજન કેન્સર થવા માટે જવાબદાર તત્વ છે તેવું અનેક સંશોધનમાં સામે આવ્યું છે. ક્લોરીનની સાથે શિશુ અને આર્સેનિક ધરાવtતા ચાઈનીઝ લસણ ખાવાથી આરોગ્ય પર વિપરીત અસરો ઊભી થાય છે એવા અહેવાલોને પગલે આ લસણમાં રહેલા તત્વો કેન્સર થવા માટે જવાબદાર બને તેની શકયાતાઓ રહેલી છે.

ભારતીય લસણ આરોગ્ય માટે સર્વશ્રેષ્ઠ: ભારતમાં ઉત્પાદિત થતું દેશી લસણ સ્વાદ અને સુગંધ માટે સર્વોત્તમ માનવામાં આવે છે. ભારતીય લસણમાં એલિસિન નામનું રસાયણ હોય છે. જેને સલ્ફર તરીકે ઓળખવામાં આવે છે. જે લસણની તીવ્ર ગંધ માટે પણ જવાબદાર માનવામાં આવે છે. એલિસિન એન્ટી બેકટેરિયા અને એન્ટી ફંગલ તરીકે પણ કામ કરે છે. તબીબી ભાષામાં કહીએ તો લસણ એન્ટિબાયોટિકનું કામ કરે છે. એલિસિન તત્વ લોહીમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરે છે. જેને કારણે હૃદય સંબંધી બીમારીઓ ભારતીય લસણમાં હાજર રહેલા એલિસિન તત્વને કારણે દૂર રાખવામાં ખૂબ મદદ મળે છે એવું રસાયણ શાસ્ત્રીઓ જણાવે છે.

ચાઇનીઝ લસણ ભારતમાંં પ્રતિબંધિત છે.
ચાઇનીઝ લસણ ભારતમાંં પ્રતિબંધિત છે. (Etv Bharat Gujarat)

કાચા લસણનો કરો ઉપયોગ: ભારતીય લસણમાં જોવા મળતું એલિસિન નામનું રસાયણ હૃદય સંબંધી બીમારીઓને દૂર રાખવામાં મદદરૂપ થાય છે. પરંતુ આ એલિસિન તત્વનો 100 ટકા ઉપયોગ કરવો હોય તો લસણને કાચું ખાવાનું શરૂ કરવું જોઈએ. સામાન્ય રીતે આપણે રસોઈમાં લસણને તળીએ છીએ અથવા તો તેને રાંધીએ છીએ આવી પરિસ્થિતિમાં લસણમાં રહેલા એલિસિનનું વિઘટન થાય છે, જેથી પૂરતા પ્રમાણમાં તે એન્ટિબેક્ટેરિયલ કે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કારગર રહેતું નથી. કોઈપણ વ્યક્તિએ લસણમાં રહેલા એલિસિનનો સંપૂર્ણ પણે યોગ્ય ઉપયોગ મેળવવો હોય તો તેમણે લસણને કાચું ખાવું જોઈએ જેથી તેનો સીધો લાભ કોઈપણ વ્યક્તિને મળી શકે.

(નોંઘ: આ લેખમાં કાચા લસણ આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવાનો આગ્રહ રાખવો અનિવાર્ય છે.)

આ પણ વાંચો:

  1. ફરી કાંકરીચાળો ! નખત્રાણાના કોટડા જરોદર ગામે ગણપતિની મૂર્તિ ખંડિત, 3 સગીર સહિત 7 આરોપીઓ ઝડપાયા - Kutch Ganapati pandal stone pelting
  2. કચ્છમાં ભેદી તાવથી 16 લોકોના મોત, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પરિસ્થિતિની રૂબરૂ સમીક્ષા કરી - Kutch epidemic

જૂનાગઢ: સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ ચાઇનીઝ લસણની હોવાનો દાવો કરી અને તેનો વિરોધ નોંધાવતા મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ કરી દેવાની ફરજ પડી હતી. ભારતીય લસણની સામે ચાઇનામાં ઉત્પાદિત થતું લસણ કેટલું નુકસાનકારક છે. તએ મુદ્દે ઈટીવી ભારત દ્વારા કેમિસ્ટ્રીના પ્રોફેસર વિભાકર જાની સાથે વિસ્તૃત વાતચીત કરવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર જે કેમિકલનો તેમાં ઉપયોગ થાય છે એ કેમિકલ્સ કેન્સર થવા માટે જવાબદાર કેમિકલ્સ છે. જો કે ભારતમાં ક્યાંય હજુ સુધી ચાઇનીઝ લસણની કેમિકલ એજન્ટ્સ વિષે કોઈ રિસર્ચ રિપોર્ટ્સ જાહેર થયા નથી.

ચાઇનીઝ લસણ ભારતમાંં પ્રતિબંધિત છે. (Etv Bharat Gujarat)

ચાઈનીઝ લસણ ચર્ચાના એરણે: 2 દિવસ પહેલા ઉપલેટાના એક ખેડૂતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી વખતે ચાઈનીઝ લસણ મુકાયા હોવાના દાવાઓને પગલે APMCમાં ખળભળાટ વ્યાપી ગયો હતો. જો કે, ભારત સરકારે ચાઇનાથી ઉત્પાદિત થતાં લસણની ભારતમાં આયાત કરવા ઉપર 2024 માં પ્રતિબંધ મૂક્યો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવેલા લસણનો રંગ અને દેશી લસણથી જુદો દેખાવને મુદ્દે માર્કેટિંગ યાર્ડમાં આ લસણની હાજરી વિષે શંકા પેદા થઈ છે. આ ઘટના બાદ ભારતના મોટાભાગની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં લસણની હરાજી તત્કાળ ધોરણે અટકાવી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ વિરોધ નોંધાવી અને આ લસણ ચાઇનીઝ લસણ હોવાનો દાવો કર્યો હતો.

ચાઇનીઝ લસણ ભારતમાંં પ્રતિબંધિત છે.
ચાઇનીઝ લસણ ભારતમાંં પ્રતિબંધિત છે. (Etv Bharat Gujarat)

લસણની હરાજી બંધ: સૌરાષ્ટ્રમાં ખેડૂતોના વિરોધને પગલે રાજકોટ, ગોંડલ અને જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ કરવામાં આવી છે. ભારત સરકારે ચાઈનાથી ઉત્પાદિત થતું લસણ ભારતમાં તમામ સ્તર પર પ્રતિબંધિત જાહેર કર્યું છે. તેમ છતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવેલું લસણ ચાઇનીઝ છે તો એ કેવી રીતે આવ્યું એ અત્યારે તપાસનો વિષય બન્યો છે.

ચાઇનીઝ લસણ ભારતમાંં પ્રતિબંધિત છે.
ચાઇનીઝ લસણ ભારતમાંં પ્રતિબંધિત છે. (Etv Bharat Gujarat)

ચાઈનીઝ લસણમાં જોવા મળતા હાનિકારક તત્વો: ચાઈનીઝ લસણની ઓળખ કેવી રીતે કરવામાં આવે છે? એકદમ સફેદ રંગ આપવા માટે ચાઈનીઝ લસણને ક્લોરીન યુક્ત બનાવવામાં આવે છે. જેથી તે એકદમ સફેદ અને પ્રથમ દૃષ્ટિએ જોતા જ સૌ કોઈને ગમી જાય. વધુમાં ચાઈનીઝ લસણમાં હાનિકારક ધાતુ એટલે કે શિશુ અને આર્સેનિકની હાજરી હોય છે. વિજ્ઞાનની ભાષામાં તેને કાર્સીનોજન તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્સીનોજન કેન્સર થવા માટે જવાબદાર તત્વ છે તેવું અનેક સંશોધનમાં સામે આવ્યું છે. ક્લોરીનની સાથે શિશુ અને આર્સેનિક ધરાવtતા ચાઈનીઝ લસણ ખાવાથી આરોગ્ય પર વિપરીત અસરો ઊભી થાય છે એવા અહેવાલોને પગલે આ લસણમાં રહેલા તત્વો કેન્સર થવા માટે જવાબદાર બને તેની શકયાતાઓ રહેલી છે.

ભારતીય લસણ આરોગ્ય માટે સર્વશ્રેષ્ઠ: ભારતમાં ઉત્પાદિત થતું દેશી લસણ સ્વાદ અને સુગંધ માટે સર્વોત્તમ માનવામાં આવે છે. ભારતીય લસણમાં એલિસિન નામનું રસાયણ હોય છે. જેને સલ્ફર તરીકે ઓળખવામાં આવે છે. જે લસણની તીવ્ર ગંધ માટે પણ જવાબદાર માનવામાં આવે છે. એલિસિન એન્ટી બેકટેરિયા અને એન્ટી ફંગલ તરીકે પણ કામ કરે છે. તબીબી ભાષામાં કહીએ તો લસણ એન્ટિબાયોટિકનું કામ કરે છે. એલિસિન તત્વ લોહીમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરે છે. જેને કારણે હૃદય સંબંધી બીમારીઓ ભારતીય લસણમાં હાજર રહેલા એલિસિન તત્વને કારણે દૂર રાખવામાં ખૂબ મદદ મળે છે એવું રસાયણ શાસ્ત્રીઓ જણાવે છે.

ચાઇનીઝ લસણ ભારતમાંં પ્રતિબંધિત છે.
ચાઇનીઝ લસણ ભારતમાંં પ્રતિબંધિત છે. (Etv Bharat Gujarat)

કાચા લસણનો કરો ઉપયોગ: ભારતીય લસણમાં જોવા મળતું એલિસિન નામનું રસાયણ હૃદય સંબંધી બીમારીઓને દૂર રાખવામાં મદદરૂપ થાય છે. પરંતુ આ એલિસિન તત્વનો 100 ટકા ઉપયોગ કરવો હોય તો લસણને કાચું ખાવાનું શરૂ કરવું જોઈએ. સામાન્ય રીતે આપણે રસોઈમાં લસણને તળીએ છીએ અથવા તો તેને રાંધીએ છીએ આવી પરિસ્થિતિમાં લસણમાં રહેલા એલિસિનનું વિઘટન થાય છે, જેથી પૂરતા પ્રમાણમાં તે એન્ટિબેક્ટેરિયલ કે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કારગર રહેતું નથી. કોઈપણ વ્યક્તિએ લસણમાં રહેલા એલિસિનનો સંપૂર્ણ પણે યોગ્ય ઉપયોગ મેળવવો હોય તો તેમણે લસણને કાચું ખાવું જોઈએ જેથી તેનો સીધો લાભ કોઈપણ વ્યક્તિને મળી શકે.

(નોંઘ: આ લેખમાં કાચા લસણ આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવાનો આગ્રહ રાખવો અનિવાર્ય છે.)

આ પણ વાંચો:

  1. ફરી કાંકરીચાળો ! નખત્રાણાના કોટડા જરોદર ગામે ગણપતિની મૂર્તિ ખંડિત, 3 સગીર સહિત 7 આરોપીઓ ઝડપાયા - Kutch Ganapati pandal stone pelting
  2. કચ્છમાં ભેદી તાવથી 16 લોકોના મોત, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પરિસ્થિતિની રૂબરૂ સમીક્ષા કરી - Kutch epidemic
Last Updated : Sep 12, 2024, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.