ETV Bharat / state

પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર, પક્ષ પલટો કરીને આવેલા ચારે પૂર્વ ધારાસભ્યોને ટિકિટનું ઇનામ - BJP announces candidates for gujrat

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા ચારેય ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 26, 2024, 2:35 PM IST

Updated : Mar 26, 2024, 3:44 PM IST

Etv BharatLOK SABHA ELECTOIN 2024
Etv BharatLOK SABHA ELECTOIN 2024

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાના 26 ઉમેદવારોની જાહેરાત બાદ વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ ઉમેદવારો જાહેર કર્યા છે. અર્જુન મોઢવાડિયા, અરવિંદ લાડાણી, સી.જે. ચાવડા અને ચિરાગ પટેલ હવે ભારતીય જનતા પાર્ટીના કમળ નિશાન પર પેટા ચૂંટણી લડશે. વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પણ ભાજપે ટિકિટ આપી છે. ભાજપે પોરબંદરમાંથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપી છે. કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ અધ્યક્ષ જેવા પદો પર રહ્યા બાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

બાબુ બોખરીયા અંદરખાને નારાજ હોવાની ચર્ચા: મોઢવાડિયા વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપે તેમને પોરબંદરથી વિધાનસભા પેટા ચૂંટણીમાં ટિકિટ આપી છે. દિગજ ભાજપ નેતા અને પૂર્વ મંત્રી બાબુ બોખરીયા અર્જુન મોઢવાડિયાના ભાજપ પ્રવેશથી નારાજ હોવાનું અંદરખાને ચર્ચાઈ રહ્યું છે. પરંતુ બંને સ્ટેજ પરથી સાથે મળીને ચૂંટણી લડવાની વાતો કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે ચૂંટણીમાં બાબુ બોખીરીયા અર્જુન મોઢવાડિયાને કેટલો સહકાર આપશે?

CJ ચાવડા વિજાપુરથી ચૂંટણી લડશે: કોંગ્રેસના સિનિયર નેતા અને વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડાએ ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. બાદમાં તેમણે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કેસરિયા કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ ફરીથી સીજે ચાવડાને વિજાપુર થી ટિકિટ આપી છે. સીજે ચાવડા વિજાપુરથી ચૂંટણી લડશે. વિધાનસભા ચૂંટણી 2017 મા સી.જે. ચાવડા ગાંધીનગર દક્ષિણથી ચૂંટાયા હતા. ગાંધીનગર દક્ષિણ સીટ ફરીથી જીતવી મુશ્કેલ લાગતા તેમને વિજાપુરથી ટિકિટ આપવામાં આવી હતી. વિજાપુરથી તેઓ ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાતા તેમને ફરીથી ટિકિટનો શિરપાવ મળ્યો છે.

માણાવદરથી અરવિંદ લાડાણી લડશે: માણાવદરમાં અરવિંદ લાડાણીનું નામ જાહેર થયું છે. માણાવદરમાં કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી 2017 અને 2022 માં જીતેલા બંને ધારાસભ્ય ભાજપમાં આવી ગયા છે. 2017માં માણાવદરથી કોંગ્રેસની ટિકિટ પર જવાહર ચાવડા ચૂંટણી જીત્યા હતા. તેમણે લોકસભા 2019 ની ચૂંટણી પહેલા પક્ષ પલટો કરી ભાજપમાં આવ્યા હતા. પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીતીને મંત્રી પણ બન્યા હતા.

જવાહર ચાવડા નારાજ હોવાની ચર્ચા: 2022 વિધાનસભા ચૂંટણીમાં કદાવર નેતા જવાહર ચાવડાને હરાવીને અરવિંદ લાડાણી જાયન્ટ કીલર સાબિત થયા હતા. અંતે અરવિંદ લાડાણીએ પર પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા છે તેથી, ભારતીય જનતા પાર્ટી દ્વારા માણાવદરથી તેમને ટિકિટ આપવામાં આવી છે. અરવિંદ લાડાણી ભાજપમાં આવ્યા હોવાથી જવાહર ચાવડા નારાજ હોવાની ચર્ચા છે. તેઓ પક્ષના અને સરકારી કાર્યક્રમમાં ગેરહાજર રહેતા હતા. તેથી જવાહર ચાવડા પક્ષ પલટો કરે તેવી અટકારોએ જોર પકડ્યું હતું. પરંતુ જવાહર ચાવડા પોતે ભાજપમાં જ રહેશે તેવો સોશિયલ મીડિયા પર તેમણે ખુલાસો કર્યો છે. તેમના ખુલાસા બાદ ભાજપએ અરવિંદ લાડાણી ને ટિકિટ આપી છે. હવે જવાહર ચાવડાની નારાજગી અરવિંદ લાડાણીને કેટલી નડે તે વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જ જાણવા મળશે.

ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ: ખંભાતથી ગત વિધાનસભા ચૂંટણીમાં પંજાના નિશાન પર ચિરાગ પટેલ જીત્યા હતા. બાદમાં ચિરાગ પટેલે અચાનક ધારાસભ્યથી રાજીનામું આપી દીધું હતું. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ તે ખંભાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. ભાજપે તેમને પેટા ચૂંટણીમાં ટિકિટ આપી છે. ચિરાગ પટેલને પક્ષ પલટો કેટલો ફળશે તે ચૂંટણી પરિણામો બાદ જ જાણવા મળશે. ચિરાગ પટેલ મૂળ ભાજપના જ હતા. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ટિકિટ ન મળતા કોંગ્રેસમાં આવ્યા હતા. કોંગ્રેસમાંથી વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ફરી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા છે.

ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાથી ઉમેદવાર જાહેર: વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ચૂંટાયા હતા. ચૂંટણી જીત્યા બાદ તરત જ તેમણે ભાજપને ટેકો જાહેર કર્યો હતો. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થતા ધર્મેન્દ્રસિંહએ પણ અપક્ષ ધારાસભ્ય તરીકે રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. ભાજપે તેને વાઘોડિયાથી ઉમેદવાર જાહેર કર્યા છે. હવે તેઓ કમળના નિશાન પર પેટા ચૂંટણી લડશે. વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવિક વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ કપાતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. વિસાવદર ચૂંટણીને કોર્ટમાં પડકારી હોવાથી પેટા ચૂંટણીની જાહેરાત થઈ નથી.

  1. પાટીદારોનો ગઢ ગણાતી મહેસાણા બેઠક પર, ભાજપના ઉમેદવાર હરિભાઈએ પ્રચાર શરૂ કર્યો - Mehsana Lok Sabha Seat

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાના 26 ઉમેદવારોની જાહેરાત બાદ વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ ઉમેદવારો જાહેર કર્યા છે. અર્જુન મોઢવાડિયા, અરવિંદ લાડાણી, સી.જે. ચાવડા અને ચિરાગ પટેલ હવે ભારતીય જનતા પાર્ટીના કમળ નિશાન પર પેટા ચૂંટણી લડશે. વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પણ ભાજપે ટિકિટ આપી છે. ભાજપે પોરબંદરમાંથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપી છે. કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ અધ્યક્ષ જેવા પદો પર રહ્યા બાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

બાબુ બોખરીયા અંદરખાને નારાજ હોવાની ચર્ચા: મોઢવાડિયા વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપે તેમને પોરબંદરથી વિધાનસભા પેટા ચૂંટણીમાં ટિકિટ આપી છે. દિગજ ભાજપ નેતા અને પૂર્વ મંત્રી બાબુ બોખરીયા અર્જુન મોઢવાડિયાના ભાજપ પ્રવેશથી નારાજ હોવાનું અંદરખાને ચર્ચાઈ રહ્યું છે. પરંતુ બંને સ્ટેજ પરથી સાથે મળીને ચૂંટણી લડવાની વાતો કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે ચૂંટણીમાં બાબુ બોખીરીયા અર્જુન મોઢવાડિયાને કેટલો સહકાર આપશે?

CJ ચાવડા વિજાપુરથી ચૂંટણી લડશે: કોંગ્રેસના સિનિયર નેતા અને વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડાએ ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. બાદમાં તેમણે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કેસરિયા કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ ફરીથી સીજે ચાવડાને વિજાપુર થી ટિકિટ આપી છે. સીજે ચાવડા વિજાપુરથી ચૂંટણી લડશે. વિધાનસભા ચૂંટણી 2017 મા સી.જે. ચાવડા ગાંધીનગર દક્ષિણથી ચૂંટાયા હતા. ગાંધીનગર દક્ષિણ સીટ ફરીથી જીતવી મુશ્કેલ લાગતા તેમને વિજાપુરથી ટિકિટ આપવામાં આવી હતી. વિજાપુરથી તેઓ ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાતા તેમને ફરીથી ટિકિટનો શિરપાવ મળ્યો છે.

માણાવદરથી અરવિંદ લાડાણી લડશે: માણાવદરમાં અરવિંદ લાડાણીનું નામ જાહેર થયું છે. માણાવદરમાં કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી 2017 અને 2022 માં જીતેલા બંને ધારાસભ્ય ભાજપમાં આવી ગયા છે. 2017માં માણાવદરથી કોંગ્રેસની ટિકિટ પર જવાહર ચાવડા ચૂંટણી જીત્યા હતા. તેમણે લોકસભા 2019 ની ચૂંટણી પહેલા પક્ષ પલટો કરી ભાજપમાં આવ્યા હતા. પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીતીને મંત્રી પણ બન્યા હતા.

જવાહર ચાવડા નારાજ હોવાની ચર્ચા: 2022 વિધાનસભા ચૂંટણીમાં કદાવર નેતા જવાહર ચાવડાને હરાવીને અરવિંદ લાડાણી જાયન્ટ કીલર સાબિત થયા હતા. અંતે અરવિંદ લાડાણીએ પર પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા છે તેથી, ભારતીય જનતા પાર્ટી દ્વારા માણાવદરથી તેમને ટિકિટ આપવામાં આવી છે. અરવિંદ લાડાણી ભાજપમાં આવ્યા હોવાથી જવાહર ચાવડા નારાજ હોવાની ચર્ચા છે. તેઓ પક્ષના અને સરકારી કાર્યક્રમમાં ગેરહાજર રહેતા હતા. તેથી જવાહર ચાવડા પક્ષ પલટો કરે તેવી અટકારોએ જોર પકડ્યું હતું. પરંતુ જવાહર ચાવડા પોતે ભાજપમાં જ રહેશે તેવો સોશિયલ મીડિયા પર તેમણે ખુલાસો કર્યો છે. તેમના ખુલાસા બાદ ભાજપએ અરવિંદ લાડાણી ને ટિકિટ આપી છે. હવે જવાહર ચાવડાની નારાજગી અરવિંદ લાડાણીને કેટલી નડે તે વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જ જાણવા મળશે.

ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ: ખંભાતથી ગત વિધાનસભા ચૂંટણીમાં પંજાના નિશાન પર ચિરાગ પટેલ જીત્યા હતા. બાદમાં ચિરાગ પટેલે અચાનક ધારાસભ્યથી રાજીનામું આપી દીધું હતું. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ તે ખંભાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. ભાજપે તેમને પેટા ચૂંટણીમાં ટિકિટ આપી છે. ચિરાગ પટેલને પક્ષ પલટો કેટલો ફળશે તે ચૂંટણી પરિણામો બાદ જ જાણવા મળશે. ચિરાગ પટેલ મૂળ ભાજપના જ હતા. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ટિકિટ ન મળતા કોંગ્રેસમાં આવ્યા હતા. કોંગ્રેસમાંથી વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ફરી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા છે.

ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાથી ઉમેદવાર જાહેર: વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ચૂંટાયા હતા. ચૂંટણી જીત્યા બાદ તરત જ તેમણે ભાજપને ટેકો જાહેર કર્યો હતો. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થતા ધર્મેન્દ્રસિંહએ પણ અપક્ષ ધારાસભ્ય તરીકે રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. ભાજપે તેને વાઘોડિયાથી ઉમેદવાર જાહેર કર્યા છે. હવે તેઓ કમળના નિશાન પર પેટા ચૂંટણી લડશે. વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવિક વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ કપાતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. વિસાવદર ચૂંટણીને કોર્ટમાં પડકારી હોવાથી પેટા ચૂંટણીની જાહેરાત થઈ નથી.

  1. પાટીદારોનો ગઢ ગણાતી મહેસાણા બેઠક પર, ભાજપના ઉમેદવાર હરિભાઈએ પ્રચાર શરૂ કર્યો - Mehsana Lok Sabha Seat
Last Updated : Mar 26, 2024, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.