ETV Bharat / state

અમદાવાદના જાણીતા આનંદ દાળવડાનું બોલિવૂડ કનેકશન, જાણો ધંધાને કેવી રીતે પહોંચાડ્યો રોજના રૂ. 2થી 27 હજાર સુધી - Ahmedabad Rain and Dalwada

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 4, 2024, 6:04 AM IST

Updated : Sep 4, 2024, 4:08 PM IST

અમદાવાદમાં વરસાદ પડે એટલે અમદાવાદીઓની પહેલી પસંદ એટલે દાળવડા અને દાળવડા માટે પહેલી પસંદ એટલે આનંદના દાળવડા. 1971 થી અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તારમાં વેચાતા આનંદના દાળવડાની પોતાની ઓળખ છે અને રોચક વાત એ છે કે તેનું બોલિવૂડ સાથે પણ કનેક્શન છે. - Ahmedabad Rain and Dalwada Anand

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

અમદાવાદ: વરસાદનો સાદ પડેને ત્યાં જ ગુજરાતીઓના મનમાં વિવિધ વાનગીઓના સ્વાદ ચઢે તે નક્કી એટલે નક્કી જેવું જ મનાય છે. વરસાદી માહોલમાં ગરમા ગરમ દાળવડા, ભજીયા, ગાંઠિયા વગેરે જેવી વાનગીઓ વેચતા વેપારીઓના ત્યાં તો લાઈન લાગવાની શરૂ જ થઈ જાય છે. અમદાવાદમાં પણ છેલ્લા ત્રણ પેઢીથી ધંધાનો જમાવડો કરીને કામ કરતા આનંદ દાળવડા અંગે તો તમે જાણતા જ હશો, જોકે આ ધંધામાં તેમણે કેવી રીતે જમાવડો કર્યો અને તેમની સફળતાની કહાની સામાન્ય વ્યક્તિને પણ કાંઈક નવું શીખવી જતી કહાની છે. સફળતાની કહાની કરતા એમ પણ કહી શકો કે જજુમવાની કહાની કહી શકો.

અમદાવાદના આનંદના દાળવડા (Etv Bharat Gujarat)

મિલ મજૂરથી ધંધાદારી બનવાની સફરઃ આનંદ દાળવડાની ત્રીજી પેઢીના સુરેશભાઈ જણાવે છે કે, તેમના દાદા ભીખાભાઈ 1968-69 માં રાજસ્થાનથી અમદાવાદ રોજગારી અર્થે આવેલા શરૂઆતના 1-2 વર્ષ અમદાવાદમાં મિલ મજૂર તરીકે કામ કર્યું. આપ કદાચ જાણતા હશો કે, અમદાવાદમાં જે તે સમયે મિલમાં કામ કરવું તે પણ એક માન અને મોભો આપતું કામ હતું. જ્યાં કામદારો પણ કમાતા હતા અને એક સમયે અમદાવાદને 'કાપડનું માન્ચેસ્ટર' કહેવાતું હતું. જોકે આવી નોકરીમાં પણ તેમને કોઈ રસ નહોતો, તે કામથી તેમને સંતુષ્ટિ ન હતી. તેથી તેમણે પોતાનો ધંધો શરૂ કરવાનું વિચાર્યું અને દાળવડાની એક નાની લારી શરૂ કરી હતી.

બીજી પેઢીના ગેવરચંદભાઈ (સુરેશભાઇના પિતા)
બીજી પેઢીના ગેવરચંદભાઈ (સુરેશભાઇના પિતા) (Etv Bharat Gujarat)

બોલિવૂડ સાથે કનેક્શન: સુરેશભાઇના દાદા ભીખાભાઈ ફિલ્મોના ખૂબ શોખીન હતા અને તેમાં પણ રાજેશ ખન્નાના મોટા ચાહક હતા. દાળવડાની લારીની શરૂઆત કરી તે જ વર્ષે 1971 માં રાજેશ ખન્નાની ફિલ્મ આનંદ આવી હતી અને કાકાની અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મ પણ ખૂબ ચાલી હતી. આ ફિલ્મમાં રાજેશ ખન્નાનું નામ પણ 'આનંદ' હતું. બસ પોતે જેના બિગ ફેન હતા તેમની આ ફિલ્મ પર તેમને પણ એટલો જ પ્રેમ હતો અને તેનાથી પ્રેરિત થઈને ભીખાભાઈ પણ રાજેશ ખન્ના જેવા જ વાળ રાખતા, કપડા પહેરતા અને દાળવડાની લારીનું નામ પણ 'આનંદના દાળવડા' રાખ્યું હતું અને આજ દિવસ સુધી તેમની ત્રીજી પેઢી છે જે તે જ નામ સાથે તે જ સ્થળે દાળવડા વેચે છે.

અમદાવાદના આનંદના દાળવડા
અમદાવાદના આનંદના દાળવડા (Etv Bharat Gujarat)

રોજના 2 રૂપિયાથી 27 હજાર સુધીનો ધંધો: ઇ. સ. 1971 માં જ્યારે તેમને દાળવડાનો ધંધો શરૂ કર્યો ત્યારે માંડ માંડ દિવસના 2 કિલો દાળવડા વહેંચાતા હતા અને ક્યારેક 2 રૂપિયા તો ક્યારેક 4 નો ધંધો થતો હતો. પરિવાર અને અન્ય બીજી જવાબદારીઓ સાથે સતત જીવનના ઉતાર ચઢાવ વચ્ચે તેમણે આ ધંધા પર હાથ અજમાવાનું ચાલુ રાખ્યું હતું. એક સફળ બિઝ્નેસમેનની જેમ તેઓ પણ સતત પોતાના ધંધામાં જોતરાયેલા રહ્યા અને ધંધામાં તેમણે ગ્રાહક એટલે ભગવાન એમ માની સતત પોતાના ગ્રાહકોને સંતુષ્ટી મળે તે માટે કામ ચાલુ રાખ્યું હતું. આજે 53 વર્ષ થયા છે અને આ જ ધંધામાં તેમની ત્રીજી પેઢી છે, ત્યારે રોજના 30થી 40 કિલો દાળવડા વેચાઈ જાય છે એટલે રોજના 11 હજારથી 15 હજારનો ધંધો થાય છે અને વરસાદ હોય ત્યારે ધંધો ડબલ એટલે કે 60 થી 70 કિલો દાળવડા વહેંચાય છે એટલે 26 થી 27 હજારનો ધંધો થાય છે. આજે તેમની દુકાન થકી 5 લોકોના પરિવારનું ગુજરાન ચાલે છે.

સમય સાથે ડિજિટલ હાજરી નોંધાવી: સુરેશભાઈ વધુમાં વાત કરતા જણાવે છે કે, હું છેલ્લા 30 વર્ષથી અમારા આ પારિવારિક દાળવડાના ધંધા સાથે જોડાયેલો છું. કેટલાક ગ્રાહકો હું ધંધામાં ન હતો અને મારા પિતા ધંધો સાંભળતા ત્યારથી આજ દિવસ સુધી નિયમિત દાળવડા ખાવા માટે અહીં આવે છે. સમયની સાથે ચાલવું પડે તેથી વિવિધ ઓનલાઇન ફૂડ ડિલિવરી મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ હવે દાળવડા વેચીએ છીએ. આનાથી ફાયદો એ થાય છે કે જે લોકો દૂર રહે છે અને અહીં નથી આવી શકતા તેઓ પણ ઘરે મંગાવીને દાળવડા ખાય છે. મતલબ કે સમય સાથે સાથે ધંધામાં આધુનિકરણને પણ અપનાવ્યું હતું.

આ પણ વાંચો: બે દાયકાથી આ વ્યક્તિ "તંદુરસ્તી"નો ખજાનો વહેંચે છે, જાણો શું છે આ ખજાનો? - Vegetable juice business

ગ્રાહકોનો સંતોષઃ ત્યાં દાળવડા ખાવા આવેલા લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કેટલાક લોકો વર્ષોથી નિયમિત આવે છે. આવા જ પોતાના પરિવાર સાથે દાળવડા ખાવા આવેલા કાજલબેન જણાવે છે કે, મારા લગ્નને 15 વર્ષ થયા છે અને 15 વર્ષથી અમે અહી દાળવડા ખાવા આવીએ છીએ જ્યારે આ બાજુ આવવાનું થાય ત્યારે અમે ઘરે જમતા નથી માત્ર આનંદના દાળવડા જ ખાઈએ છીએ. આમ જોઈએ તો ધંધામાં પોતાના દાદાના વિઝન એવા 'ગ્રાહક ભગવાન છે' તેના પર આજે પણ ત્રીજી પેઢી પોતાને રોજ સાબિત કરી રહી છે.

જ્યારે સુરેશભાઈને પૂછ્યું કે, સતત આટલા વર્ષોથી ટકી રહ્યા છો તેનું કારણ શું? ત્યારે તેમણે જણાયું કે ગ્રાહકો સાથે વ્યવહાર સારો કરીએ છીએ અને સારી વસ્તુ ગ્રાહકોને આપીએ છીએ આથી જ ગ્રાહકો આટલા વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે.

આ પણ વાંચોઃ

  1. જામનગરમાં માટીના ગણપતિની મૂર્તિઓનું વેચાણ, પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધી - Clay Ganpati Idol Sale
  2. 450 જૂની પરંપરા આજે પણ અકબંધ: ખારવા સમાજ માટે આયોજિત થતો મેળો, જાણો શું છે આ મેળાની વિશેષતા - Junagadh Jund Bhawani Mela

અમદાવાદ: વરસાદનો સાદ પડેને ત્યાં જ ગુજરાતીઓના મનમાં વિવિધ વાનગીઓના સ્વાદ ચઢે તે નક્કી એટલે નક્કી જેવું જ મનાય છે. વરસાદી માહોલમાં ગરમા ગરમ દાળવડા, ભજીયા, ગાંઠિયા વગેરે જેવી વાનગીઓ વેચતા વેપારીઓના ત્યાં તો લાઈન લાગવાની શરૂ જ થઈ જાય છે. અમદાવાદમાં પણ છેલ્લા ત્રણ પેઢીથી ધંધાનો જમાવડો કરીને કામ કરતા આનંદ દાળવડા અંગે તો તમે જાણતા જ હશો, જોકે આ ધંધામાં તેમણે કેવી રીતે જમાવડો કર્યો અને તેમની સફળતાની કહાની સામાન્ય વ્યક્તિને પણ કાંઈક નવું શીખવી જતી કહાની છે. સફળતાની કહાની કરતા એમ પણ કહી શકો કે જજુમવાની કહાની કહી શકો.

અમદાવાદના આનંદના દાળવડા (Etv Bharat Gujarat)

મિલ મજૂરથી ધંધાદારી બનવાની સફરઃ આનંદ દાળવડાની ત્રીજી પેઢીના સુરેશભાઈ જણાવે છે કે, તેમના દાદા ભીખાભાઈ 1968-69 માં રાજસ્થાનથી અમદાવાદ રોજગારી અર્થે આવેલા શરૂઆતના 1-2 વર્ષ અમદાવાદમાં મિલ મજૂર તરીકે કામ કર્યું. આપ કદાચ જાણતા હશો કે, અમદાવાદમાં જે તે સમયે મિલમાં કામ કરવું તે પણ એક માન અને મોભો આપતું કામ હતું. જ્યાં કામદારો પણ કમાતા હતા અને એક સમયે અમદાવાદને 'કાપડનું માન્ચેસ્ટર' કહેવાતું હતું. જોકે આવી નોકરીમાં પણ તેમને કોઈ રસ નહોતો, તે કામથી તેમને સંતુષ્ટિ ન હતી. તેથી તેમણે પોતાનો ધંધો શરૂ કરવાનું વિચાર્યું અને દાળવડાની એક નાની લારી શરૂ કરી હતી.

બીજી પેઢીના ગેવરચંદભાઈ (સુરેશભાઇના પિતા)
બીજી પેઢીના ગેવરચંદભાઈ (સુરેશભાઇના પિતા) (Etv Bharat Gujarat)

બોલિવૂડ સાથે કનેક્શન: સુરેશભાઇના દાદા ભીખાભાઈ ફિલ્મોના ખૂબ શોખીન હતા અને તેમાં પણ રાજેશ ખન્નાના મોટા ચાહક હતા. દાળવડાની લારીની શરૂઆત કરી તે જ વર્ષે 1971 માં રાજેશ ખન્નાની ફિલ્મ આનંદ આવી હતી અને કાકાની અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મ પણ ખૂબ ચાલી હતી. આ ફિલ્મમાં રાજેશ ખન્નાનું નામ પણ 'આનંદ' હતું. બસ પોતે જેના બિગ ફેન હતા તેમની આ ફિલ્મ પર તેમને પણ એટલો જ પ્રેમ હતો અને તેનાથી પ્રેરિત થઈને ભીખાભાઈ પણ રાજેશ ખન્ના જેવા જ વાળ રાખતા, કપડા પહેરતા અને દાળવડાની લારીનું નામ પણ 'આનંદના દાળવડા' રાખ્યું હતું અને આજ દિવસ સુધી તેમની ત્રીજી પેઢી છે જે તે જ નામ સાથે તે જ સ્થળે દાળવડા વેચે છે.

અમદાવાદના આનંદના દાળવડા
અમદાવાદના આનંદના દાળવડા (Etv Bharat Gujarat)

રોજના 2 રૂપિયાથી 27 હજાર સુધીનો ધંધો: ઇ. સ. 1971 માં જ્યારે તેમને દાળવડાનો ધંધો શરૂ કર્યો ત્યારે માંડ માંડ દિવસના 2 કિલો દાળવડા વહેંચાતા હતા અને ક્યારેક 2 રૂપિયા તો ક્યારેક 4 નો ધંધો થતો હતો. પરિવાર અને અન્ય બીજી જવાબદારીઓ સાથે સતત જીવનના ઉતાર ચઢાવ વચ્ચે તેમણે આ ધંધા પર હાથ અજમાવાનું ચાલુ રાખ્યું હતું. એક સફળ બિઝ્નેસમેનની જેમ તેઓ પણ સતત પોતાના ધંધામાં જોતરાયેલા રહ્યા અને ધંધામાં તેમણે ગ્રાહક એટલે ભગવાન એમ માની સતત પોતાના ગ્રાહકોને સંતુષ્ટી મળે તે માટે કામ ચાલુ રાખ્યું હતું. આજે 53 વર્ષ થયા છે અને આ જ ધંધામાં તેમની ત્રીજી પેઢી છે, ત્યારે રોજના 30થી 40 કિલો દાળવડા વેચાઈ જાય છે એટલે રોજના 11 હજારથી 15 હજારનો ધંધો થાય છે અને વરસાદ હોય ત્યારે ધંધો ડબલ એટલે કે 60 થી 70 કિલો દાળવડા વહેંચાય છે એટલે 26 થી 27 હજારનો ધંધો થાય છે. આજે તેમની દુકાન થકી 5 લોકોના પરિવારનું ગુજરાન ચાલે છે.

સમય સાથે ડિજિટલ હાજરી નોંધાવી: સુરેશભાઈ વધુમાં વાત કરતા જણાવે છે કે, હું છેલ્લા 30 વર્ષથી અમારા આ પારિવારિક દાળવડાના ધંધા સાથે જોડાયેલો છું. કેટલાક ગ્રાહકો હું ધંધામાં ન હતો અને મારા પિતા ધંધો સાંભળતા ત્યારથી આજ દિવસ સુધી નિયમિત દાળવડા ખાવા માટે અહીં આવે છે. સમયની સાથે ચાલવું પડે તેથી વિવિધ ઓનલાઇન ફૂડ ડિલિવરી મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ હવે દાળવડા વેચીએ છીએ. આનાથી ફાયદો એ થાય છે કે જે લોકો દૂર રહે છે અને અહીં નથી આવી શકતા તેઓ પણ ઘરે મંગાવીને દાળવડા ખાય છે. મતલબ કે સમય સાથે સાથે ધંધામાં આધુનિકરણને પણ અપનાવ્યું હતું.

આ પણ વાંચો: બે દાયકાથી આ વ્યક્તિ "તંદુરસ્તી"નો ખજાનો વહેંચે છે, જાણો શું છે આ ખજાનો? - Vegetable juice business

ગ્રાહકોનો સંતોષઃ ત્યાં દાળવડા ખાવા આવેલા લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કેટલાક લોકો વર્ષોથી નિયમિત આવે છે. આવા જ પોતાના પરિવાર સાથે દાળવડા ખાવા આવેલા કાજલબેન જણાવે છે કે, મારા લગ્નને 15 વર્ષ થયા છે અને 15 વર્ષથી અમે અહી દાળવડા ખાવા આવીએ છીએ જ્યારે આ બાજુ આવવાનું થાય ત્યારે અમે ઘરે જમતા નથી માત્ર આનંદના દાળવડા જ ખાઈએ છીએ. આમ જોઈએ તો ધંધામાં પોતાના દાદાના વિઝન એવા 'ગ્રાહક ભગવાન છે' તેના પર આજે પણ ત્રીજી પેઢી પોતાને રોજ સાબિત કરી રહી છે.

જ્યારે સુરેશભાઈને પૂછ્યું કે, સતત આટલા વર્ષોથી ટકી રહ્યા છો તેનું કારણ શું? ત્યારે તેમણે જણાયું કે ગ્રાહકો સાથે વ્યવહાર સારો કરીએ છીએ અને સારી વસ્તુ ગ્રાહકોને આપીએ છીએ આથી જ ગ્રાહકો આટલા વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે.

આ પણ વાંચોઃ

  1. જામનગરમાં માટીના ગણપતિની મૂર્તિઓનું વેચાણ, પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધી - Clay Ganpati Idol Sale
  2. 450 જૂની પરંપરા આજે પણ અકબંધ: ખારવા સમાજ માટે આયોજિત થતો મેળો, જાણો શું છે આ મેળાની વિશેષતા - Junagadh Jund Bhawani Mela
Last Updated : Sep 4, 2024, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.