ETV Bharat / state

અમદાવાદનું ચારતોડા કબ્રસ્તાન ફરી ચર્ચામાં, ગેરકાયદેસર જમીન કબજાના વિવાદ મામલે વક્ફ ટ્રિબ્યુનલે સ્ટે ઓર્ડર ફગાવ્યો

ગોમતીપુરમાં આવેલ ચારચોડા કબ્રસ્તાનમાં ગેરકાનૂની દબાણો વધતી જાય છે. આ દબાણો હટાવવા અમદાવાદ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટી દ્વારા પણ ઘણા સમયથી પ્રયત્નો થઈ રહ્યા છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

Updated : 26 minutes ago

કબ્રસ્તાનમાં દબાણ હટાવવા અમદાવાદ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટી દ્વારા પ્રયત્નો
કબ્રસ્તાનમાં દબાણ હટાવવા અમદાવાદ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટી દ્વારા પ્રયત્નો (Etv Bharat Gujarat)

અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલું ચારતોડા કબ્રસ્તાન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ચારતોડા કબ્રસ્તાનમાં ગેરકાયદેસર કબજાના વિવાદ મામલે ગુજરાત વકફ ટ્રિબ્યુનલે સ્ટે ઓર્ડરને ફગાવી દીધા છે. આ અંગે એડવોકેટ ફોઝાન સોનીવાલાએ જણાવ્યું કે, વક્ફ કમિટીનાં માલિકી અને વહીવટી તાબા હેઠળ આવેલું ચારતોડા કબ્રસ્તાન, જે ગોમતીપુર ખાતે આવેલું છે. તેના કેટલાક દબાણદારોએ વકફ ટ્રિબ્યુનલમાં દાવા દાખલ કર્યા છે. તે પૈકી અબ્દુલ અઝીઝ જમીર અલી અન્સારીના વારસ આબેદા બાનું અબ્દુલ અઝીઝ અન્સારીને તેમને દાખલ કરેલ દાવા સામે વક્ફ કમિટીનો મનાઈ હુકમ મળ્યો છે.

કબ્રસ્તાનમાં વધી રહ્યા છે ગેરકાનૂની દબાણ: ગુજરાત વક્ફ ટ્રિબ્યુનલે આ વિવાદ અંગેની સુનવણી દરમિયાન કામચલાઉ મનાઈ હુકમ ઉઠાવી લઈ મનાઈ હુકમ રદ્દ કરી દીધો છે. એડવોકેટ ફોઝાન સોનીવાલાએ આગળ કહ્યું કે, અમદાવાદના ગોમતીપુરમાં આવેલ ચારચોડા કબ્રસ્તાનમાં કેટલાક વર્ષોથી ગેરકાનૂની દબાણો વધતી જાય છે. આ દબાણો હટાવવા માટે અમદાવાદ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટી દ્વારા પણ ઘણા સમયથી પ્રયત્નો થઈ રહ્યા છે. તો પણ પરિસ્થિતિ સુધારવાનું નામ નથી લેતી એટલા માટે સફાઈ ઝુંબેશ પણ ચાલુ કરવામાં આવ્યું હતું. પરંતુ ચારતોડા કબ્રસ્તાનમાં ગેરકાયદેસર રહેણાંક લોકોએ ક્યાં કબજા બનાવીને ત્યાંથી હટવાનું નામ નથી લેતા.

કેટલાક દબાણદારો એ વક્ફ ટ્રિબ્યુનલમાં દાવા દાખલ કર્યા છે. તે પૈકી અબ્દુલ અઝીઝ જમીર અલી અન્સારીના વારસ આબેદાબાનું અબ્દુલ અઝીઝ અન્સારીને તેમને દાખલ કરેલા દાવા નં 06/24 નાં કામે વક્ફ કમિટી સામે મનાઈ હુકમ મળ્યો હતો. આ દાવામાં વક્ફ કમિટી એ જવાબ રજુ કરી દીધો હતો. પરંતુ છેલ્લા કેટલાક વખતથી આબેદા બાનુંનાં વકીલ યેનકેન પ્રકારે મનાઈ હુકમ લંબાવવાની અરજી આપતા હતા. 4 ઓક્ટોબરના રોજ પણ તેઓએ રિજોઇન્ડર રજુ કરવા માટે મુદતની અરજી આપી કોર્ટને મનાઈ હુકમ લંબાવી આપવાની અરજી કરી હતી. પરંતુ વક્ફ કિમટીએ વાંધો લેતા નામદાર ટ્રીબ્યુનલે આબેદાબાનુના વકીલ વારંવાર મુદત લઇ જાય છે, તેવું ધ્યાને લઇ કામચલાઉ મનાઈ હુકમ ઉઠાવી લઇ મનાઈ હુકમ રદ્દ કરી દીધો છે. આમ વક્ફ કમિટીની તરફેણમાં આ હુકમ આવેલો છે અને હવે ચારતોડા કબ્રસ્તાનના દબાણદારો પૈકી કોઈ પણ દબાણદારની તરફેણમાં અને વક્ફ કમિટીની વિરુધમાં કોઈ પણ જાતનો મનાઈ હુકમ કોઈ પણ અદાલતમાં રહેતો નથી.

કબ્રસ્તાનની જમીન પર 600થી વધુ પરિવારો વસવાટ કરે છે: આ અંગે અમદાવાદ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટીના સેક્રેટરી ઈકબાલ હુસૈને જણાવ્યું કે, ચારતોડા કબ્રસ્તાનનો વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે. 1969માં વક્ફ કમિટી દ્વારા કેટલાક લોકોને રહેમ કરીને કબ્રસ્તાનમાં રહેવા માટે જગ્યા આપી હતી. પણ આ લોકોએ હંમેશા માટે ત્યાં કબજા કરીને પોતાના ઘરો વસાવી લીધા. તે સમયે લગભગ 103 અથવા 104 ફેમિલીને મકાન આપવામાં આવ્યું હતું. પરંતુ હવે 600 થી વધારે પરિવારો ત્યાં વસવાટ કરે છે એમને ત્યાંથી સ્થળાંતર કરવા માટે પણ વટવા વિસ્તારમાં 45 થી 50 લોકોને મકાન આપવામાં આવ્યું હતું. પરંતુ તે લોકો હજી સુધી ત્યાં જવા માટે તૈયાર નથી.

કબ્રસ્તાનમાંથી મકાન ખાલી કરાવાની કાર્યવાહી કરાશે: તેમણે વધુ જણાવ્યું કે, ચારતોડા કબ્રસ્તાન 1 લાખ 10 હજાર સ્ક્વેર યાર્ડનું કબ્રસ્તાન છે અને ત્યાં ઘણા લોકો ગેરકાયદેસર કબજા કરીને રહે છે. ત્યાંના કબજા ધારકોએ સુન્ની મુસ્લિમ કમિટી ઉપર દાવો કર્યો હતો. આ કેસ વક્ફ ટ્રિબ્યુનલમાં ચાલ્યો અને વક્ફ ટ્રિબ્યુનલે અમદાવાદ સુન્ની મુસ્લિમ કમિટીની તરફેણમાં ચુકાદો આપ્યો અને ત્યાં પહેલા મનાઈ હુકમને રદ કરી સ્ટે હટાવી દીધા છે. હવે આવનારા દિવસોમાં સુન્ની મુસ્લિમ કમિટી ચારતોડા કબ્રસ્તાનમાં મકાન ખાલી કરાવવા માટે કાર્યવાહી કરશે.

આ પણ વાંચો:

  1. અંબુજા કંપની વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન, જાણો શું છે સમગ્ર મામલો ?
  2. છેલ્લે છેલ્લે ખેલૈયાઓની મજા બગડશે, અમદાવાદ-સુરત સહિત આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલું ચારતોડા કબ્રસ્તાન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ચારતોડા કબ્રસ્તાનમાં ગેરકાયદેસર કબજાના વિવાદ મામલે ગુજરાત વકફ ટ્રિબ્યુનલે સ્ટે ઓર્ડરને ફગાવી દીધા છે. આ અંગે એડવોકેટ ફોઝાન સોનીવાલાએ જણાવ્યું કે, વક્ફ કમિટીનાં માલિકી અને વહીવટી તાબા હેઠળ આવેલું ચારતોડા કબ્રસ્તાન, જે ગોમતીપુર ખાતે આવેલું છે. તેના કેટલાક દબાણદારોએ વકફ ટ્રિબ્યુનલમાં દાવા દાખલ કર્યા છે. તે પૈકી અબ્દુલ અઝીઝ જમીર અલી અન્સારીના વારસ આબેદા બાનું અબ્દુલ અઝીઝ અન્સારીને તેમને દાખલ કરેલ દાવા સામે વક્ફ કમિટીનો મનાઈ હુકમ મળ્યો છે.

કબ્રસ્તાનમાં વધી રહ્યા છે ગેરકાનૂની દબાણ: ગુજરાત વક્ફ ટ્રિબ્યુનલે આ વિવાદ અંગેની સુનવણી દરમિયાન કામચલાઉ મનાઈ હુકમ ઉઠાવી લઈ મનાઈ હુકમ રદ્દ કરી દીધો છે. એડવોકેટ ફોઝાન સોનીવાલાએ આગળ કહ્યું કે, અમદાવાદના ગોમતીપુરમાં આવેલ ચારચોડા કબ્રસ્તાનમાં કેટલાક વર્ષોથી ગેરકાનૂની દબાણો વધતી જાય છે. આ દબાણો હટાવવા માટે અમદાવાદ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટી દ્વારા પણ ઘણા સમયથી પ્રયત્નો થઈ રહ્યા છે. તો પણ પરિસ્થિતિ સુધારવાનું નામ નથી લેતી એટલા માટે સફાઈ ઝુંબેશ પણ ચાલુ કરવામાં આવ્યું હતું. પરંતુ ચારતોડા કબ્રસ્તાનમાં ગેરકાયદેસર રહેણાંક લોકોએ ક્યાં કબજા બનાવીને ત્યાંથી હટવાનું નામ નથી લેતા.

કેટલાક દબાણદારો એ વક્ફ ટ્રિબ્યુનલમાં દાવા દાખલ કર્યા છે. તે પૈકી અબ્દુલ અઝીઝ જમીર અલી અન્સારીના વારસ આબેદાબાનું અબ્દુલ અઝીઝ અન્સારીને તેમને દાખલ કરેલા દાવા નં 06/24 નાં કામે વક્ફ કમિટી સામે મનાઈ હુકમ મળ્યો હતો. આ દાવામાં વક્ફ કમિટી એ જવાબ રજુ કરી દીધો હતો. પરંતુ છેલ્લા કેટલાક વખતથી આબેદા બાનુંનાં વકીલ યેનકેન પ્રકારે મનાઈ હુકમ લંબાવવાની અરજી આપતા હતા. 4 ઓક્ટોબરના રોજ પણ તેઓએ રિજોઇન્ડર રજુ કરવા માટે મુદતની અરજી આપી કોર્ટને મનાઈ હુકમ લંબાવી આપવાની અરજી કરી હતી. પરંતુ વક્ફ કિમટીએ વાંધો લેતા નામદાર ટ્રીબ્યુનલે આબેદાબાનુના વકીલ વારંવાર મુદત લઇ જાય છે, તેવું ધ્યાને લઇ કામચલાઉ મનાઈ હુકમ ઉઠાવી લઇ મનાઈ હુકમ રદ્દ કરી દીધો છે. આમ વક્ફ કમિટીની તરફેણમાં આ હુકમ આવેલો છે અને હવે ચારતોડા કબ્રસ્તાનના દબાણદારો પૈકી કોઈ પણ દબાણદારની તરફેણમાં અને વક્ફ કમિટીની વિરુધમાં કોઈ પણ જાતનો મનાઈ હુકમ કોઈ પણ અદાલતમાં રહેતો નથી.

કબ્રસ્તાનની જમીન પર 600થી વધુ પરિવારો વસવાટ કરે છે: આ અંગે અમદાવાદ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટીના સેક્રેટરી ઈકબાલ હુસૈને જણાવ્યું કે, ચારતોડા કબ્રસ્તાનનો વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે. 1969માં વક્ફ કમિટી દ્વારા કેટલાક લોકોને રહેમ કરીને કબ્રસ્તાનમાં રહેવા માટે જગ્યા આપી હતી. પણ આ લોકોએ હંમેશા માટે ત્યાં કબજા કરીને પોતાના ઘરો વસાવી લીધા. તે સમયે લગભગ 103 અથવા 104 ફેમિલીને મકાન આપવામાં આવ્યું હતું. પરંતુ હવે 600 થી વધારે પરિવારો ત્યાં વસવાટ કરે છે એમને ત્યાંથી સ્થળાંતર કરવા માટે પણ વટવા વિસ્તારમાં 45 થી 50 લોકોને મકાન આપવામાં આવ્યું હતું. પરંતુ તે લોકો હજી સુધી ત્યાં જવા માટે તૈયાર નથી.

કબ્રસ્તાનમાંથી મકાન ખાલી કરાવાની કાર્યવાહી કરાશે: તેમણે વધુ જણાવ્યું કે, ચારતોડા કબ્રસ્તાન 1 લાખ 10 હજાર સ્ક્વેર યાર્ડનું કબ્રસ્તાન છે અને ત્યાં ઘણા લોકો ગેરકાયદેસર કબજા કરીને રહે છે. ત્યાંના કબજા ધારકોએ સુન્ની મુસ્લિમ કમિટી ઉપર દાવો કર્યો હતો. આ કેસ વક્ફ ટ્રિબ્યુનલમાં ચાલ્યો અને વક્ફ ટ્રિબ્યુનલે અમદાવાદ સુન્ની મુસ્લિમ કમિટીની તરફેણમાં ચુકાદો આપ્યો અને ત્યાં પહેલા મનાઈ હુકમને રદ કરી સ્ટે હટાવી દીધા છે. હવે આવનારા દિવસોમાં સુન્ની મુસ્લિમ કમિટી ચારતોડા કબ્રસ્તાનમાં મકાન ખાલી કરાવવા માટે કાર્યવાહી કરશે.

આ પણ વાંચો:

  1. અંબુજા કંપની વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન, જાણો શું છે સમગ્ર મામલો ?
  2. છેલ્લે છેલ્લે ખેલૈયાઓની મજા બગડશે, અમદાવાદ-સુરત સહિત આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Last Updated : 26 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.