ETV Bharat / state

કેજરીવાલના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા કાર્યકર્તાઓ...સુરત, રાજકોટ, ભાવનગર સહિતના શહેરોમાં કાર્યકરોનો હોબાળો - CM Arvind kejariwal

દિલ્હી આબકારી નીતિ કૌભાંડ મામલે ઈડીએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી અને તેમને કોર્ટના આદેશ બાદ જેલમાં ધકેલી દીધા છે. આ ઘટનાના ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાતના અનેક શહેરોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યાં છે. સુરત, રાજકોટ, જુનાગઢ અને ભાવનગર સહિતના શહેરોમાં આપના કાર્યકરો સાથે કોંગ્રેસના કાર્યકરો પણ વિરોધમાં જોડાયા હતાં.

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 22, 2024, 5:06 PM IST

Updated : Mar 22, 2024, 8:21 PM IST

કેજરીવાલના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા કાર્યકરો
કેજરીવાલના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા કાર્યકરો
સુરતમાં કેજરીવાલના સમર્થનમાં ઉતર્યા આપ-કોંગ્રેસના કાર્યકરો

સુરત : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ઈન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED) રા કરવામાં આવેલી ધરપકડ બાદ સુરતમાં તેના પડઘા જોવા મળ્યા છે. ધરપકડના વિરોધમાં આ વખતે માત્ર આમ આદમી પાર્ટી જ નહીં પરંતુ કોંગ્રેસ પણ સામેલ રહી હતી. સુરત સહિત રાજકોટ, જુનાગઢ અને ભાવનગર સહિતના શહેરોમાં આપના કાર્યકરો સાથે કોંગ્રેસના કાર્યકરોએ કેજરીવાલના સમર્થનમાં અને મોદી સરકારના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. સુરત શહેરના પાટીદાર વિસ્તાર ગણાતા વરાછામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં પોલીસે 20 થી વધુ લોકોની અટકાયત પણ કરી હતી. અટકાયત દરમિયાન કાર્યકર્તાઓ સાથે પોલીસના ટીંગાટોળીના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

કેજરીવાલના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા કાર્યકર્તાઓ
કેજરીવાલના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા કાર્યકર્તાઓ

પોલીસે કરી કાર્યકર્તાઓની અટકાયત: આ સમગ્ર મામલે ડીસીબી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે કોઈ પણ પરવાનગી વગર લોકો ભેગા થઈ વિરોધ કરી રહ્યા હતા હાલ ચારથી વધુ લોકો એકત્ર થાય તેની ઉપર પ્રતિબંધ છે. ચૂંટણી જાહેર થતાં જ આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. કોંગ્રેસ અને આપના સમર્થકો એકસાથે એકત્ર થયા હતા જેથી તેમની અટકાયત કરવામાં આવી હતી આશરે 20 થી વધુ લોકોની અમે અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં કેજરીવાલના સમર્થનમાં ઉતર્યા આપ-કોંગ્રેસના કાર્યકરો

રાજકોટમાં આપ નેતાઓની અટકાયત: કેજરીવાલની ધરપકડના વિરોધમાં રાજકોટમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખાવા ,પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ ,ખેડૂત નેતા રાજુ કરપાડા સહીત કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

ભાવનગરમાં કેજરીવાલના સમર્થનમાં ઉતર્યા કાર્યકરો અને સમર્થકો

ભાવનગરમાં આપ-કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: દિલ્હીના કેજરીવાલને ED દ્વારા અટકાયત કરીને કાર્યવાહી કરતા તેના પડઘા ભાવનગર શહેરમાં પડ્યા છે. ભાવનગર ઘોઘાગેટ ચોકમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. પોલીસે ડ્રાર્ક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ત્યારે લોકસભા ઉમેદવારની પણ અટકાયત કરી હોવાની ખુદ ઉમેદવારે કબૂલાત આપી હતી.

રસ્તા પર બેસીને કાર્યકર્તાઓનો વિરોધ: ઘોઘાગેટ ચોક ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સંયુક્ત રીતે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા અટકાયત કરવાની શરૂઆત કરી હતી. આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકરોએ રસ્તા ઉપર આકરી ગરમી વચ્ચે બેસીને પોતાનો વિરોધ નોંધાયો હતો. ત્યારે અન્ય કાર્યકર્તાઓને પણ પોલીસે અટકાયત કરવા માટે ટીંગાટોળી કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવી પડી હતી. આશરે 25 થી વધારે જેટલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર અને નેતાઓની અટકાયત કરીને નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.

રાજકોટના ઉપલેટામાં આપ અને કોંગ્રેસનો હલ્લાબોલ

રાજકોટના ઉપલેટામાં આપ-કોંગ્રેસનો હલ્લાબોલઃ આ તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા કેજરીવાલને જેલ મોકલવાની ઘટનાના વિરોધના ભાગરૂપે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવીને કાર્યકરોએ સરકારની નીતિ સામે વિરોઘ પ્રદર્શન કર્યું હતું. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓએ આકરા શબ્દોમાં સરકારની ઝાટકણી કાઢી હતી.

  1. Arvind Kejriwal Arrest: કેજરીવાલ મામલે રાઉજ એવન્યૂ કોર્ટમાં સુનાવણી, કોર્ટે રિમાન્ડ પર ચુકાદો અનામત રાખ્યો - Arvind Kejriwal Arrest
  2. ભ્રષ્ટાચાર સામે બ્યુગલ ફૂંકી હીરો બનેલા અરવિંદ કેજરીવાલ કેમ હવે જેલના સળિયા પાછળ? - Arvind Kejriwal Political journey

સુરતમાં કેજરીવાલના સમર્થનમાં ઉતર્યા આપ-કોંગ્રેસના કાર્યકરો

સુરત : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ઈન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED) રા કરવામાં આવેલી ધરપકડ બાદ સુરતમાં તેના પડઘા જોવા મળ્યા છે. ધરપકડના વિરોધમાં આ વખતે માત્ર આમ આદમી પાર્ટી જ નહીં પરંતુ કોંગ્રેસ પણ સામેલ રહી હતી. સુરત સહિત રાજકોટ, જુનાગઢ અને ભાવનગર સહિતના શહેરોમાં આપના કાર્યકરો સાથે કોંગ્રેસના કાર્યકરોએ કેજરીવાલના સમર્થનમાં અને મોદી સરકારના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. સુરત શહેરના પાટીદાર વિસ્તાર ગણાતા વરાછામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં પોલીસે 20 થી વધુ લોકોની અટકાયત પણ કરી હતી. અટકાયત દરમિયાન કાર્યકર્તાઓ સાથે પોલીસના ટીંગાટોળીના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

કેજરીવાલના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા કાર્યકર્તાઓ
કેજરીવાલના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા કાર્યકર્તાઓ

પોલીસે કરી કાર્યકર્તાઓની અટકાયત: આ સમગ્ર મામલે ડીસીબી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે કોઈ પણ પરવાનગી વગર લોકો ભેગા થઈ વિરોધ કરી રહ્યા હતા હાલ ચારથી વધુ લોકો એકત્ર થાય તેની ઉપર પ્રતિબંધ છે. ચૂંટણી જાહેર થતાં જ આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. કોંગ્રેસ અને આપના સમર્થકો એકસાથે એકત્ર થયા હતા જેથી તેમની અટકાયત કરવામાં આવી હતી આશરે 20 થી વધુ લોકોની અમે અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં કેજરીવાલના સમર્થનમાં ઉતર્યા આપ-કોંગ્રેસના કાર્યકરો

રાજકોટમાં આપ નેતાઓની અટકાયત: કેજરીવાલની ધરપકડના વિરોધમાં રાજકોટમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખાવા ,પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ ,ખેડૂત નેતા રાજુ કરપાડા સહીત કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

ભાવનગરમાં કેજરીવાલના સમર્થનમાં ઉતર્યા કાર્યકરો અને સમર્થકો

ભાવનગરમાં આપ-કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: દિલ્હીના કેજરીવાલને ED દ્વારા અટકાયત કરીને કાર્યવાહી કરતા તેના પડઘા ભાવનગર શહેરમાં પડ્યા છે. ભાવનગર ઘોઘાગેટ ચોકમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. પોલીસે ડ્રાર્ક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ત્યારે લોકસભા ઉમેદવારની પણ અટકાયત કરી હોવાની ખુદ ઉમેદવારે કબૂલાત આપી હતી.

રસ્તા પર બેસીને કાર્યકર્તાઓનો વિરોધ: ઘોઘાગેટ ચોક ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સંયુક્ત રીતે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા અટકાયત કરવાની શરૂઆત કરી હતી. આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકરોએ રસ્તા ઉપર આકરી ગરમી વચ્ચે બેસીને પોતાનો વિરોધ નોંધાયો હતો. ત્યારે અન્ય કાર્યકર્તાઓને પણ પોલીસે અટકાયત કરવા માટે ટીંગાટોળી કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવી પડી હતી. આશરે 25 થી વધારે જેટલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર અને નેતાઓની અટકાયત કરીને નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.

રાજકોટના ઉપલેટામાં આપ અને કોંગ્રેસનો હલ્લાબોલ

રાજકોટના ઉપલેટામાં આપ-કોંગ્રેસનો હલ્લાબોલઃ આ તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા કેજરીવાલને જેલ મોકલવાની ઘટનાના વિરોધના ભાગરૂપે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવીને કાર્યકરોએ સરકારની નીતિ સામે વિરોઘ પ્રદર્શન કર્યું હતું. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓએ આકરા શબ્દોમાં સરકારની ઝાટકણી કાઢી હતી.

  1. Arvind Kejriwal Arrest: કેજરીવાલ મામલે રાઉજ એવન્યૂ કોર્ટમાં સુનાવણી, કોર્ટે રિમાન્ડ પર ચુકાદો અનામત રાખ્યો - Arvind Kejriwal Arrest
  2. ભ્રષ્ટાચાર સામે બ્યુગલ ફૂંકી હીરો બનેલા અરવિંદ કેજરીવાલ કેમ હવે જેલના સળિયા પાછળ? - Arvind Kejriwal Political journey
Last Updated : Mar 22, 2024, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.