ETV Bharat / state

450 જૂની પરંપરા આજે પણ અકબંધ: ખારવા સમાજ માટે આયોજિત થતો મેળો, જાણો શું છે આ મેળાની વિશેષતા - Junagadh Jund Bhawani Mela

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2024, 5:48 PM IST

ચોરવાડ નજીક ઝુંડ ભવાની મેળો આજે પણ સમગ્ર ગુજરાતમાં એક અનોખા મેળા તરીકે ઓળખાઈ રહ્યો છે. આજથી 450 વર્ષ પૂર્વે શરૂ થયેલી આ પરંપરા આજે આધુનિક યુગમાં પણ અકબંધ જોવા મળે છે. અહીં સૌરાષ્ટ્રના સમગ્ર ખારવા સમાજ માટે દર વર્ષે મેળાનું આયોજન થાય છે જેમાં મનોરંજનના કોઈ પણ સાધનો વગર માત્ર પારિવારિક ભાવના જાગૃત બને તે માટે ખારવા સમાજના સૌ લોકો એક સ્થળે 5 દિવસ સુધી ભેગા થાય છે. જાણો. Junagadh Jund Bhawani Mela

આજથી 450 વર્ષ પૂર્વે શરૂ થયેલી આ પરંપરા આજે આધુનિક યુગમાં પણ અકબંધ જોવા મળે છે
આજથી 450 વર્ષ પૂર્વે શરૂ થયેલી આ પરંપરા આજે આધુનિક યુગમાં પણ અકબંધ જોવા મળે છે (Etv Bharat Gujarat)
ખારવા સમાજના લોકો પાંચ દિવસ સુધી ટેન્ટ બનાવીને એક અનોખા મેળાનો આનંદ માણતા હોય છે (Etv Bharat Gujarat)

જૂનાગઢ: ચોરવાડનું ઝુંડ ભવાની મંદિર પાછલા સાડા ચારસો વર્ષથી ખારવા સમાજની એક અનોખી લોક સંસ્કૃતિ અને પરંપરાનું સાક્ષી બનતું આવ્યું છે. મંદિરના પટાંગણમાં દર વર્ષે શ્રાવણ મહિનાની તેરસથી લઈને ભાદરવા મહિનાની બિજ સુધી અનોખો અને આગવો મેળો આયોજિત થાય છે. અહીં એક આખું ખારવા નગર અસ્થાયી નિવાસ્થાનોના રૂપમાં ઊભુ થાય છે.

450 જૂની પરંપરા આજે પણ અકબંધ
450 જૂની પરંપરા આજે પણ અકબંધ (Etv Bharat Gujarat)

પાંચ દિવસ સુધી ટેન્ટ બનાવીને રહે: સમગ્ર સૌરાષ્ટ્રના ખારવા સમાજના લોકો પાંચ દિવસ સુધી ટેન્ટ બનાવીને એક અનોખા મેળાનો આનંદ માણતા હોય છે. ખારવા સમાજની પરંપરા અનુસાર અહીંથી છુટા પડેલો પ્રત્યેક પરિવાર સીધા માછીમારીની નવી સિઝન માટે દરિયાઈ સફરે નીકળે છે તે પૂર્વે પ્રત્યેક ખારવા સમાજનો વ્યક્તિ ઝુંડ ભવાની મેળામાં એક સાથે પાંચ દિવસ સુધી તમામ આધુનિક સુખ સુવિધાઓથી દૂર પરિવારિક ભાવના સાથે સમય વિતાવતો જોવા મળે છે.

ખારવા સમાજ માટે આયોજિત થતો મેળો
ખારવા સમાજ માટે આયોજિત થતો મેળો (Etv Bharat Gujarat)

માત્ર ખારવાર સમાજના પરિવારોનું રહેઠાણ: 450 વર્ષ પૂર્વેથી ચાલતી આ પરંપરા અનુસાર ઝુંડ ભવાની મેળામાં ખારવા સમાજના ગરીબથી લઈને તવંગર સુધીની વ્યક્તિ અસ્થાયી રૂપે સામાન્ય ટેન્ટ બનાવીને પાંચ દિવસ સુધી રહે છે. અહીં તેઓ દિવસની તમામ દિનચર્યા એક સાથે નિભાવતા જોવા મળે છે.

450 જૂની પરંપરા આજે પણ અકબંધ
450 જૂની પરંપરા આજે પણ અકબંધ (Etv Bharat Gujarat)

કોઈ સુખ સુવિધા વગર પાંચ દિવસ રહે છે: ચકડોળ કે એવી કોઈ મનોરંજનની વ્યવસ્થા આજે પણ કરવામાં આવતી નથી. વર્ષો પૂર્વે સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાંથી ખારવા સમાજના લોકો પાંચ દિવસની જરૂરિયાત અને રહેવા માટેનો સામાન ગાડામાં ભરીને ઝુંડ ભવાની મંદિરે આવતા હતા તે જ પરંપરા આજે પણ અકબંધ જોવા મળે છે. જોકે ગાડાનું સ્થાન આજે છકડો રીક્ષાએ લીધું છે.

450 જૂની પરંપરા આજે પણ અકબંધ
450 જૂની પરંપરા આજે પણ અકબંધ (Etv Bharat Gujarat)
ખારવા સમાજ માટે આયોજિત થતો મેળો
ખારવા સમાજ માટે આયોજિત થતો મેળો (Etv Bharat Gujarat)

પારિવારિક ભાવના જળવાઈ રહે તેવો પ્રયાસ: આધુનિક યુગમાં પારિવારિક ભાવના ખૂબ જ મહત્વની બની રહેશે. પ્રત્યેક ખારવા સમાજના પરિવારોમાં પારિવારિક ભાવના જળવાઈ રહે તે માટે પણ આ મેળાનુ વિશેષ આયોજન કરવામાં આવે છે. પાંચ દિવસ સુધી એક સાથે ભોજનની સાથે તમામ દિનચર્યા મેદાનમાં બનેલા અસ્થાયી ટેન્ટમાં પૂરી કરવામાં આવે છે.

ખારવા સમાજ માટે આયોજિત થતો મેળો
ખારવા સમાજ માટે આયોજિત થતો મેળો (Etv Bharat Gujarat)

આમિરથી લઈને રાંક બધા એક સાથે: અહીં કરોડોની ગાડીમાં ફરતો ખારવા સમાજનો પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ આ પાંચ દિવસ દરમિયાન ધૂળમાં બેઠેલો જોવા મળે છે સૌથી મોટી વિશેષતા એ છે કે ભાદરવા સુદ બીજના દિવસે મેળો પૂર્ણ થતા જ ખારવાર સમાજના યુવાનો અને પુરુષો માછીમારીની દરિયાઈ સફરે નીકળતા પૂર્વે પાંચ દિવસ સુધી પરિવારના નાના મોટા વૃદ્ધ તમામ સદસ્યો સાથે સમય પસાર કરે છે. આ પ્રકારની પારિવારિક ભાવનાને ઉજાગર કરતો ઝુંડ ભવાનીનો મેળો આજે પણ ગુજરાતના એક અનોખા મેળા તરીકે ઓળખાઈ રહ્યો છે.

આ પણ વાંચો:

  1. દરેક પોશાક માટે છે અહીં હાથ બનાવટી અવનવી બંગડીઓ: ભાવનગરના આ મહિલા બનાવે છે નવા લૂકમાં બંગડી - Bangle artist from Bhavnagar
  2. આત્મનિર્ભર કરતી ભાનુબેનની "ભરતગુંથણની કળા", કચ્છની દિકરીઓને પણ કળાથી કમાણી કરતી કરી - kutch artist

ખારવા સમાજના લોકો પાંચ દિવસ સુધી ટેન્ટ બનાવીને એક અનોખા મેળાનો આનંદ માણતા હોય છે (Etv Bharat Gujarat)

જૂનાગઢ: ચોરવાડનું ઝુંડ ભવાની મંદિર પાછલા સાડા ચારસો વર્ષથી ખારવા સમાજની એક અનોખી લોક સંસ્કૃતિ અને પરંપરાનું સાક્ષી બનતું આવ્યું છે. મંદિરના પટાંગણમાં દર વર્ષે શ્રાવણ મહિનાની તેરસથી લઈને ભાદરવા મહિનાની બિજ સુધી અનોખો અને આગવો મેળો આયોજિત થાય છે. અહીં એક આખું ખારવા નગર અસ્થાયી નિવાસ્થાનોના રૂપમાં ઊભુ થાય છે.

450 જૂની પરંપરા આજે પણ અકબંધ
450 જૂની પરંપરા આજે પણ અકબંધ (Etv Bharat Gujarat)

પાંચ દિવસ સુધી ટેન્ટ બનાવીને રહે: સમગ્ર સૌરાષ્ટ્રના ખારવા સમાજના લોકો પાંચ દિવસ સુધી ટેન્ટ બનાવીને એક અનોખા મેળાનો આનંદ માણતા હોય છે. ખારવા સમાજની પરંપરા અનુસાર અહીંથી છુટા પડેલો પ્રત્યેક પરિવાર સીધા માછીમારીની નવી સિઝન માટે દરિયાઈ સફરે નીકળે છે તે પૂર્વે પ્રત્યેક ખારવા સમાજનો વ્યક્તિ ઝુંડ ભવાની મેળામાં એક સાથે પાંચ દિવસ સુધી તમામ આધુનિક સુખ સુવિધાઓથી દૂર પરિવારિક ભાવના સાથે સમય વિતાવતો જોવા મળે છે.

ખારવા સમાજ માટે આયોજિત થતો મેળો
ખારવા સમાજ માટે આયોજિત થતો મેળો (Etv Bharat Gujarat)

માત્ર ખારવાર સમાજના પરિવારોનું રહેઠાણ: 450 વર્ષ પૂર્વેથી ચાલતી આ પરંપરા અનુસાર ઝુંડ ભવાની મેળામાં ખારવા સમાજના ગરીબથી લઈને તવંગર સુધીની વ્યક્તિ અસ્થાયી રૂપે સામાન્ય ટેન્ટ બનાવીને પાંચ દિવસ સુધી રહે છે. અહીં તેઓ દિવસની તમામ દિનચર્યા એક સાથે નિભાવતા જોવા મળે છે.

450 જૂની પરંપરા આજે પણ અકબંધ
450 જૂની પરંપરા આજે પણ અકબંધ (Etv Bharat Gujarat)

કોઈ સુખ સુવિધા વગર પાંચ દિવસ રહે છે: ચકડોળ કે એવી કોઈ મનોરંજનની વ્યવસ્થા આજે પણ કરવામાં આવતી નથી. વર્ષો પૂર્વે સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાંથી ખારવા સમાજના લોકો પાંચ દિવસની જરૂરિયાત અને રહેવા માટેનો સામાન ગાડામાં ભરીને ઝુંડ ભવાની મંદિરે આવતા હતા તે જ પરંપરા આજે પણ અકબંધ જોવા મળે છે. જોકે ગાડાનું સ્થાન આજે છકડો રીક્ષાએ લીધું છે.

450 જૂની પરંપરા આજે પણ અકબંધ
450 જૂની પરંપરા આજે પણ અકબંધ (Etv Bharat Gujarat)
ખારવા સમાજ માટે આયોજિત થતો મેળો
ખારવા સમાજ માટે આયોજિત થતો મેળો (Etv Bharat Gujarat)

પારિવારિક ભાવના જળવાઈ રહે તેવો પ્રયાસ: આધુનિક યુગમાં પારિવારિક ભાવના ખૂબ જ મહત્વની બની રહેશે. પ્રત્યેક ખારવા સમાજના પરિવારોમાં પારિવારિક ભાવના જળવાઈ રહે તે માટે પણ આ મેળાનુ વિશેષ આયોજન કરવામાં આવે છે. પાંચ દિવસ સુધી એક સાથે ભોજનની સાથે તમામ દિનચર્યા મેદાનમાં બનેલા અસ્થાયી ટેન્ટમાં પૂરી કરવામાં આવે છે.

ખારવા સમાજ માટે આયોજિત થતો મેળો
ખારવા સમાજ માટે આયોજિત થતો મેળો (Etv Bharat Gujarat)

આમિરથી લઈને રાંક બધા એક સાથે: અહીં કરોડોની ગાડીમાં ફરતો ખારવા સમાજનો પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ આ પાંચ દિવસ દરમિયાન ધૂળમાં બેઠેલો જોવા મળે છે સૌથી મોટી વિશેષતા એ છે કે ભાદરવા સુદ બીજના દિવસે મેળો પૂર્ણ થતા જ ખારવાર સમાજના યુવાનો અને પુરુષો માછીમારીની દરિયાઈ સફરે નીકળતા પૂર્વે પાંચ દિવસ સુધી પરિવારના નાના મોટા વૃદ્ધ તમામ સદસ્યો સાથે સમય પસાર કરે છે. આ પ્રકારની પારિવારિક ભાવનાને ઉજાગર કરતો ઝુંડ ભવાનીનો મેળો આજે પણ ગુજરાતના એક અનોખા મેળા તરીકે ઓળખાઈ રહ્યો છે.

આ પણ વાંચો:

  1. દરેક પોશાક માટે છે અહીં હાથ બનાવટી અવનવી બંગડીઓ: ભાવનગરના આ મહિલા બનાવે છે નવા લૂકમાં બંગડી - Bangle artist from Bhavnagar
  2. આત્મનિર્ભર કરતી ભાનુબેનની "ભરતગુંથણની કળા", કચ્છની દિકરીઓને પણ કળાથી કમાણી કરતી કરી - kutch artist
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.