ETV Bharat / sports

બરોડામાં રણજી ટ્રોફીની શરૂઆતમાં આ દિગ્ગજ ક્રિકટેરોને વૃક્ષારોપણ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી…

11 ઓક્ટોબરથી શરૂ થનાર રણજી ટ્રોફી જે બરોડા અને મુંબઈ વચ્ચે રમાઈ રહી છે, આ ટુર્નામેન્ટની શરૂઆતમાં બરોડાના દિગ્ગજ ક્રિકેટરોણે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

author img

By ETV Bharat Sports Team

Published : Oct 12, 2024, 4:25 PM IST

રણજી ટ્રોફી 2024
રણજી ટ્રોફી 2024 (ETV Bharat)

વડોદરા: ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌથી મોટી અને મહત્વપૂર્ણ ગણાતી રણજી ટ્રોફી આજે 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. જેની પ્રથમ મેચ ગઈ કાલે બરોડા અને મુંબઈ વચ્ચે શરૂ થઈ ગઈ છે. આ મેચ ગુજરાતના બરોડાના કોટંબી મેદાનમાં રમાઈ રહી છે. આ નિમિતે ભૂતપૂર્વ ક્રિકેટરોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એવા ક્રિકેટરો જેમણે ખાસ કરીને બરોડા ક્રિકેટમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેમને યાદ કરવામાં આવ્યા હતા.

કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં રણજી ટ્રોફીની શરૂઆત પહેલા જ અંશુમન ગાયકવાડ, ડી. કે ગાયકવાડ, સેસિલ વિલિયમ્સ અને નારાયણરાવ સાથમ આ ચારે દિગ્ગજ ખેલાડીઓને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવાતા વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આથી સ્ટેડિયમમાં અને બરોડા ક્રિકેટ ઇતિહાસમાં સૌ કોઈ તેમને યાદ કરે. આ દિગ્ગજ ક્રિકેટરોએ બરોડા ક્રિકેટને આગળ વધારવા ખૂબ મોટું યોગદાન આપ્યું છે.

આ કાર્યક્રમમાં જે ખેલાડીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે તેમના પરિવારના સભ્યો, ભૂતપૂર્વ ક્રિકેટર કિરણ મોરે અને બરોડા એસોસિએશનના સિનિયર સભ્યો હજાર રહી વૃક્ષારોપણમાં જોડાયા હતા.

38 ટીમોની ભાગીદારીઃ

રણજી ટ્રોફીની 90મી આવૃત્તિમાં તમામ 38 ટીમોને બે વિભાગમાં વહેંચવામાં આવશે. એલિટ ડિવિઝનમાં 32 ટીમો હશે જે દરેકને આઠ ટીમોના ચાર જૂથોમાં વહેંચવામાં આવશે જ્યારે પ્લેટ લીગમાં છ ટીમો હશે. દરેક જૂથમાંથી ટોચની બે ટીમો ક્વાર્ટર ફાઇનલમાં અને વિજેતાઓ આગળ વધે છે. પ્લેટ લીગમાં ટોચની બે ટીમો પ્લેટ ફાઇનલ માટે ક્વોલિફાય થાય છે અને પછીના વર્ષે એલિટ ગ્રૂપમાં પ્રમોટ થાય છે.

આ પણ વાંચો:

  1. જામનગરના રાજવી પરિવારનો ઐતિહાસિક નિર્ણય, આ દિગ્ગજ ક્રિકેટર બન્યા જામ સાહેબના ઉત્તરાધિકારી...
  2. બાંગ્લાદેશ સીમા ઉલ્લઘંન કરશે કે ભારત 'વિજય' નો હાર પહેરશે? છેલ્લી ટી20 મેચ અહીં જોવા મળશે લાઈવ…

વડોદરા: ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌથી મોટી અને મહત્વપૂર્ણ ગણાતી રણજી ટ્રોફી આજે 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. જેની પ્રથમ મેચ ગઈ કાલે બરોડા અને મુંબઈ વચ્ચે શરૂ થઈ ગઈ છે. આ મેચ ગુજરાતના બરોડાના કોટંબી મેદાનમાં રમાઈ રહી છે. આ નિમિતે ભૂતપૂર્વ ક્રિકેટરોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એવા ક્રિકેટરો જેમણે ખાસ કરીને બરોડા ક્રિકેટમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેમને યાદ કરવામાં આવ્યા હતા.

કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં રણજી ટ્રોફીની શરૂઆત પહેલા જ અંશુમન ગાયકવાડ, ડી. કે ગાયકવાડ, સેસિલ વિલિયમ્સ અને નારાયણરાવ સાથમ આ ચારે દિગ્ગજ ખેલાડીઓને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવાતા વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આથી સ્ટેડિયમમાં અને બરોડા ક્રિકેટ ઇતિહાસમાં સૌ કોઈ તેમને યાદ કરે. આ દિગ્ગજ ક્રિકેટરોએ બરોડા ક્રિકેટને આગળ વધારવા ખૂબ મોટું યોગદાન આપ્યું છે.

આ કાર્યક્રમમાં જે ખેલાડીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે તેમના પરિવારના સભ્યો, ભૂતપૂર્વ ક્રિકેટર કિરણ મોરે અને બરોડા એસોસિએશનના સિનિયર સભ્યો હજાર રહી વૃક્ષારોપણમાં જોડાયા હતા.

38 ટીમોની ભાગીદારીઃ

રણજી ટ્રોફીની 90મી આવૃત્તિમાં તમામ 38 ટીમોને બે વિભાગમાં વહેંચવામાં આવશે. એલિટ ડિવિઝનમાં 32 ટીમો હશે જે દરેકને આઠ ટીમોના ચાર જૂથોમાં વહેંચવામાં આવશે જ્યારે પ્લેટ લીગમાં છ ટીમો હશે. દરેક જૂથમાંથી ટોચની બે ટીમો ક્વાર્ટર ફાઇનલમાં અને વિજેતાઓ આગળ વધે છે. પ્લેટ લીગમાં ટોચની બે ટીમો પ્લેટ ફાઇનલ માટે ક્વોલિફાય થાય છે અને પછીના વર્ષે એલિટ ગ્રૂપમાં પ્રમોટ થાય છે.

આ પણ વાંચો:

  1. જામનગરના રાજવી પરિવારનો ઐતિહાસિક નિર્ણય, આ દિગ્ગજ ક્રિકેટર બન્યા જામ સાહેબના ઉત્તરાધિકારી...
  2. બાંગ્લાદેશ સીમા ઉલ્લઘંન કરશે કે ભારત 'વિજય' નો હાર પહેરશે? છેલ્લી ટી20 મેચ અહીં જોવા મળશે લાઈવ…
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.