ETV Bharat / politics

ભાજપના મનોજ તિવારી સામે કન્હૈયા કુમાર, કોંગ્રેસે દિલ્હીની ત્રણેય સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી - Lok sabha election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 14, 2024, 10:28 PM IST

દિલ્હીમાં AAP સાથે સંકલન કરીને ચૂંટણી લડી રહેલી કોંગ્રેસે તેના હિસ્સાની ત્રણેય બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં યુવા નેતા કન્હૈયા કુમારને ઉત્તર પૂર્વ દિલ્હીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ભાજપના મનોજ તિવારી સામે કન્હૈયા કુમાર
ભાજપના મનોજ તિવારી સામે કન્હૈયા કુમાર

નવી દિલ્હી: કોંગ્રેસે રવિવારે રાજધાની દિલ્હીની ત્રણેય લોકસભા સીટો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે કન્હૈયા કુમારને ઉત્તર પૂર્વ દિલ્હીથી, જેપી અગ્રવાલને ચાંદની ચોકથી અને ઉદિત રાજને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ આપવામાં આવી છે. કન્હૈયાનો મુકાબલો બે વખત ભાજપના સાંસદ અને ભોજપુરી સ્ટાર મનોજ તિવારી સાથે થશે. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. સાત બેઠકોમાંથી AAPએ ચાર અને કોંગ્રેસે ત્રણ બેઠકો રાખી છે. AAP પોતાના ચારેય ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે.

યોગી સાથે મુકાબલો કરીને તિવારીએ શરૂ કરી હતી રાજનીતિ: મનોજ તિવારીની રાજકીય સફરની વાત કરીએ તો વર્ષ 2009માં તેમણે ગોરખપુરથી સપાની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જો કે, તેઓ ભાજપના ઉમેદવાર યોગી આદિત્યનાથ સામે હારી ગયા હતા. અણ્ણા હજારે દ્વારા શરૂ કરાયેલા આંદોલનમાં પણ તેઓ સક્રિય હતા. આ પછી, વર્ષ 2014 માં, તેઓ ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના નેતા આનંદ કુમારને 1,44,084 મતોના માર્જિનથી હરાવીને પ્રથમ વખત સાંસદ બન્યા. વર્ષ 2016માં તેમને દિલ્હીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શીલા દીક્ષિતને હરાવીને બીજી વખત સાંસદ બન્યા.

વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાંથી કનૈયાનો રાજકીય ઉદય: કન્હૈયા કુમાર વિદ્યાર્થી સંગઠન અને રાજકારણમાંથી જન્મેલા નેતા છે. વર્ષ 2015 માં, તેઓ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 2019માં તેમણે બિહારના બેગુસરાઈથી સીપીઆઈના સિમ્બોલ પર ચૂંટણી લડી હતી, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં તેઓ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી, NSUIના પ્રભારી છે.

  1. Lok Sabha Election 2024: 'યુપી મેં કા બા' ગીતથી ફેમસ થયેલ લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ દિલ્હીમાં મનોજ તિવારી સામે ચૂંટણી લડી શકે છે
  2. Surat News : કોંગ્રેસ નેતા કનૈયા કુમાર સુરતની મુલાકાતે, સીતા માતાને યાદ કરી પીએમ મોદી પર નિશાન તાક્યું

નવી દિલ્હી: કોંગ્રેસે રવિવારે રાજધાની દિલ્હીની ત્રણેય લોકસભા સીટો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે કન્હૈયા કુમારને ઉત્તર પૂર્વ દિલ્હીથી, જેપી અગ્રવાલને ચાંદની ચોકથી અને ઉદિત રાજને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ આપવામાં આવી છે. કન્હૈયાનો મુકાબલો બે વખત ભાજપના સાંસદ અને ભોજપુરી સ્ટાર મનોજ તિવારી સાથે થશે. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. સાત બેઠકોમાંથી AAPએ ચાર અને કોંગ્રેસે ત્રણ બેઠકો રાખી છે. AAP પોતાના ચારેય ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે.

યોગી સાથે મુકાબલો કરીને તિવારીએ શરૂ કરી હતી રાજનીતિ: મનોજ તિવારીની રાજકીય સફરની વાત કરીએ તો વર્ષ 2009માં તેમણે ગોરખપુરથી સપાની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જો કે, તેઓ ભાજપના ઉમેદવાર યોગી આદિત્યનાથ સામે હારી ગયા હતા. અણ્ણા હજારે દ્વારા શરૂ કરાયેલા આંદોલનમાં પણ તેઓ સક્રિય હતા. આ પછી, વર્ષ 2014 માં, તેઓ ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના નેતા આનંદ કુમારને 1,44,084 મતોના માર્જિનથી હરાવીને પ્રથમ વખત સાંસદ બન્યા. વર્ષ 2016માં તેમને દિલ્હીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શીલા દીક્ષિતને હરાવીને બીજી વખત સાંસદ બન્યા.

વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાંથી કનૈયાનો રાજકીય ઉદય: કન્હૈયા કુમાર વિદ્યાર્થી સંગઠન અને રાજકારણમાંથી જન્મેલા નેતા છે. વર્ષ 2015 માં, તેઓ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 2019માં તેમણે બિહારના બેગુસરાઈથી સીપીઆઈના સિમ્બોલ પર ચૂંટણી લડી હતી, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં તેઓ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી, NSUIના પ્રભારી છે.

  1. Lok Sabha Election 2024: 'યુપી મેં કા બા' ગીતથી ફેમસ થયેલ લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ દિલ્હીમાં મનોજ તિવારી સામે ચૂંટણી લડી શકે છે
  2. Surat News : કોંગ્રેસ નેતા કનૈયા કુમાર સુરતની મુલાકાતે, સીતા માતાને યાદ કરી પીએમ મોદી પર નિશાન તાક્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.