ETV Bharat / international

પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વામાં પત્રકારની ગોળી મારીને હત્યા, જાણો કોણ હતો આ નિડર પત્રકાર ? - Journalist shot dead in KPK

રવિવારે ખૈબર પખ્તુનખ્વા (KP) ના નૌશેરા જિલ્લામાં સ્થાનિક પત્રકાર મલિક હસન ઝૈબને અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પત્રકારના મૃતદેહને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. Journalist shot dead in KPK

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 15, 2024, 1:19 PM IST

પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વામાં પત્રકારની ગોળી મારીને હત્યા કરાઈ
પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વામાં પત્રકારની ગોળી મારીને હત્યા કરાઈ (Etv Bharat)

ઈસ્લામાબાદ: એ.આર.વાય ન્યૂઝના અહેવાલ અનુસાર, એક હિંસક ઘટનામાં, ખૈબર પખ્તુનખ્વાના નૌશેરા શહેરમાં રવિવારે એક સ્થાનિક પત્રકારની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. ખૈબર પખ્તુનખ્વા પોલીસે પત્રકારની હત્યાની પુષ્ટિ કરી છે. તેની ઓળખ હસન ઝૈબ તરીકે કરી હતી. તે સ્થાનિક અખબાર માટે કામ કરતો હતો.

અજાણ્યા હુમલાખોરોએ કર્યો ગોળીબાર: નૌશેરાના અકબરપુરા ગામના ભીડવાળા બજાર વિસ્તારમાં બાઇક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંદાપુરે આ ઘટના અંગે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.

એ.આર.વાય ન્યૂઝ અનુસાર, સીએમ ગંડાપુરે કહ્યું કે, હત્યામાં સામેલ લોકો ન્યાયથી બચી શકશે નહીં. પોલીસે આશ્વાસન આપ્યું હતું કે, આરોપીઓને જલ્દી પકડી લેવામાં આવશે. પાકિસ્તાનમાં પત્રકારોની હત્યા સાથે જોડાયેલી આવી ઘટનાઓ બહુ અસામાન્ય નથી.

ARY ન્યૂઝ અનુસાર: આ વર્ષે મે મહિનામાં બનેલી આવી જ ઘટનામાં નસરુલ્લા ગદાણી નામના સ્થાનિક પત્રકાર ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં કરાંચી હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. ARYન્યૂઝ અનુસાર, ઘોટકી જિલ્લાના મીરપુર માથેલો પાસે અજાણ્યા હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ગદાણીને ગંભીર રીતે ગોળી વાગી હતી. નસરુલ્લા ગદાણીને તેમના નિવાસસ્થાનથી મીરપુર માથેલો પ્રેસ ક્લબ તરફ જતા સમયે ગોળી વાગી હતી.

હિંમતવાન પત્રકાર તરીકે પ્રખ્યાત હતા: કારમાં બેઠેલા સશસ્ત્ર શખસોએ જરવાર રોડ પર દીન શાહ નજીક પત્રકાર પર ગોળીબાર કર્યો હતો. અને પછી ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. સ્થાનિક પત્રકારોના જણાવ્યા અનુસાર, ગદાણી એક સિંધી દૈનિક માટે કામ કરતા હતા. આ સિવાય તે સોશિયલ મીડિયા પર તેના સમાચાર શેર કરતો હતો. તેઓ સ્થાનિક જાગીરદારો, રાજકીય વ્યક્તિઓ, વડેરાઓ અને સરકારી અધિકારીઓ પર અહેવાલ આપતા હિંમતવાન પત્રકાર તરીકે પ્રખ્યાત હતા.

  1. કેપી શર્મા ઓલી બન્યાં નેપાળના વડાપ્રધાન, PM મોદીએ આપી શુભકામના - k p sharma become pm of nepal
  2. ટ્રમ્પની પેન્સિલવેનિયા રેલીમાં સુરક્ષાની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે બાઈડેને આપ્યો આદેશ - USA Shooting At Trump RALLY

ઈસ્લામાબાદ: એ.આર.વાય ન્યૂઝના અહેવાલ અનુસાર, એક હિંસક ઘટનામાં, ખૈબર પખ્તુનખ્વાના નૌશેરા શહેરમાં રવિવારે એક સ્થાનિક પત્રકારની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. ખૈબર પખ્તુનખ્વા પોલીસે પત્રકારની હત્યાની પુષ્ટિ કરી છે. તેની ઓળખ હસન ઝૈબ તરીકે કરી હતી. તે સ્થાનિક અખબાર માટે કામ કરતો હતો.

અજાણ્યા હુમલાખોરોએ કર્યો ગોળીબાર: નૌશેરાના અકબરપુરા ગામના ભીડવાળા બજાર વિસ્તારમાં બાઇક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંદાપુરે આ ઘટના અંગે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.

એ.આર.વાય ન્યૂઝ અનુસાર, સીએમ ગંડાપુરે કહ્યું કે, હત્યામાં સામેલ લોકો ન્યાયથી બચી શકશે નહીં. પોલીસે આશ્વાસન આપ્યું હતું કે, આરોપીઓને જલ્દી પકડી લેવામાં આવશે. પાકિસ્તાનમાં પત્રકારોની હત્યા સાથે જોડાયેલી આવી ઘટનાઓ બહુ અસામાન્ય નથી.

ARY ન્યૂઝ અનુસાર: આ વર્ષે મે મહિનામાં બનેલી આવી જ ઘટનામાં નસરુલ્લા ગદાણી નામના સ્થાનિક પત્રકાર ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં કરાંચી હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. ARYન્યૂઝ અનુસાર, ઘોટકી જિલ્લાના મીરપુર માથેલો પાસે અજાણ્યા હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ગદાણીને ગંભીર રીતે ગોળી વાગી હતી. નસરુલ્લા ગદાણીને તેમના નિવાસસ્થાનથી મીરપુર માથેલો પ્રેસ ક્લબ તરફ જતા સમયે ગોળી વાગી હતી.

હિંમતવાન પત્રકાર તરીકે પ્રખ્યાત હતા: કારમાં બેઠેલા સશસ્ત્ર શખસોએ જરવાર રોડ પર દીન શાહ નજીક પત્રકાર પર ગોળીબાર કર્યો હતો. અને પછી ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. સ્થાનિક પત્રકારોના જણાવ્યા અનુસાર, ગદાણી એક સિંધી દૈનિક માટે કામ કરતા હતા. આ સિવાય તે સોશિયલ મીડિયા પર તેના સમાચાર શેર કરતો હતો. તેઓ સ્થાનિક જાગીરદારો, રાજકીય વ્યક્તિઓ, વડેરાઓ અને સરકારી અધિકારીઓ પર અહેવાલ આપતા હિંમતવાન પત્રકાર તરીકે પ્રખ્યાત હતા.

  1. કેપી શર્મા ઓલી બન્યાં નેપાળના વડાપ્રધાન, PM મોદીએ આપી શુભકામના - k p sharma become pm of nepal
  2. ટ્રમ્પની પેન્સિલવેનિયા રેલીમાં સુરક્ષાની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે બાઈડેને આપ્યો આદેશ - USA Shooting At Trump RALLY
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.