ETV Bharat / entertainment

PUSHPA 2 STAMPEDE INCIDENT: 'પુષ્પા 2'ની સ્ક્રિનિંગ દરમિયાન મહિલાના મૃત્યુ કેસમાં, અલ્લુ અર્જુન FIR રદ કરવા માટે કોર્ટના શરણે - PUSHPA 2 STAMPEDE INCIDENT

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને 'પુષ્પા 2'ની સ્ક્રિનિંગ દરમિયાન એક મહિલાના મોતના મામલામાં તેલંગાણા હાઈકોર્ટમાં અરજી કરી છે.

અલ્લુ અર્જુન
અલ્લુ અર્જુન ((IANS))
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2024, 12:35 PM IST

હૈદરાબાદ: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને પુષ્પા 2ની સ્ક્રીનિંગ દરમિયાન એક મહિલાના મૃત્યુના સંબંધમાં બુધવારે તેલંગાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેણે હૈદરાબાદના એક થિયેટરમાં સ્ક્રિનિંગ દરમિયાન ગૂંગળામણને કારણે એક મહિલાના મૃત્યુના સંબંધમાં તેની સામે નોંધાયેલી FIR રદ કરવાની માંગ કરી છે.

4 ડિસેમ્બરની રાત્રે અલ્લુ અર્જુન તેની નવી ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'નો પ્રીમિયર શો જોવા હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો. આ શો માટે તે પોતાની અંગત સુરક્ષા સાથે થિયેટરમાં પહોંચ્યો હતો. પુષ્પરાજની એક ઝલક મેળવવા માટે સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. ભીડને કાબૂમાં લેવા માટે સ્થાનિક પોલીસે લાઠીચાર્જ કર્યો, ત્યારબાદ ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ. આ નાસભાગમાં 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને તેનો આઠ વર્ષનો પુત્ર ઘાયલ થયો હતો. ઘાયલ પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

5 ડિસેમ્બરના રોજ શહેર પોલીસે મૃતક મહિલાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશને પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે, ફિલ્મ 'પુષ્પા 2'ના પ્રીમિયર શો પહેલા ફાટી નીકળેલી નાસભાગમાં એક મહિલાના મોતના સંબંધમાં સંધ્યા થિયેટરના માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ એમ સંદીપ (37) તરીકે કરવામાં આવી છે, જે સંધ્યા થિયેટરના માલિકોમાંથી એક છે, સિનિયર મેનેજર એમ નાગરાજુ (51) અને લોઅર બાલ્કની ઈન્ચાર્જ વિજય ચંદ્રા (53) છે.

'પુષ્પા 2' એ એફઆઈઆર રદ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી છે. તેમજ અરજીના નિકાલ સુધી ધરપકડ સહિતની આગળની તમામ કાર્યવાહી પર સ્ટે મુકવા અપીલ કરી છે. આ કેસની સુનાવણી આગામી દિવસોમાં હાઈકોર્ટમાં થવાની સંભાવના છે. અભિનેતાએ આ બાબતે દુઃખ વ્યક્ત કર્યું અને મૃતક મહિલાના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

આ પણ વાંચો:

  1. 'પુષ્પા'ની મહિલા ચાહકના મૃત્યુ પર અલ્લુની મોટી જાહેરાત, સંવેદનશીલ પોસ્ટ સાથે કહી આ વાત...
  2. અલ્લુ અર્જુન સામે કેસ નોંધાયો, મહિલાના મોતના મામલામાં પોલીસે કરી કાર્યવાહી

હૈદરાબાદ: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને પુષ્પા 2ની સ્ક્રીનિંગ દરમિયાન એક મહિલાના મૃત્યુના સંબંધમાં બુધવારે તેલંગાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેણે હૈદરાબાદના એક થિયેટરમાં સ્ક્રિનિંગ દરમિયાન ગૂંગળામણને કારણે એક મહિલાના મૃત્યુના સંબંધમાં તેની સામે નોંધાયેલી FIR રદ કરવાની માંગ કરી છે.

4 ડિસેમ્બરની રાત્રે અલ્લુ અર્જુન તેની નવી ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'નો પ્રીમિયર શો જોવા હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો. આ શો માટે તે પોતાની અંગત સુરક્ષા સાથે થિયેટરમાં પહોંચ્યો હતો. પુષ્પરાજની એક ઝલક મેળવવા માટે સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. ભીડને કાબૂમાં લેવા માટે સ્થાનિક પોલીસે લાઠીચાર્જ કર્યો, ત્યારબાદ ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ. આ નાસભાગમાં 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને તેનો આઠ વર્ષનો પુત્ર ઘાયલ થયો હતો. ઘાયલ પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

5 ડિસેમ્બરના રોજ શહેર પોલીસે મૃતક મહિલાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશને પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે, ફિલ્મ 'પુષ્પા 2'ના પ્રીમિયર શો પહેલા ફાટી નીકળેલી નાસભાગમાં એક મહિલાના મોતના સંબંધમાં સંધ્યા થિયેટરના માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ એમ સંદીપ (37) તરીકે કરવામાં આવી છે, જે સંધ્યા થિયેટરના માલિકોમાંથી એક છે, સિનિયર મેનેજર એમ નાગરાજુ (51) અને લોઅર બાલ્કની ઈન્ચાર્જ વિજય ચંદ્રા (53) છે.

'પુષ્પા 2' એ એફઆઈઆર રદ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી છે. તેમજ અરજીના નિકાલ સુધી ધરપકડ સહિતની આગળની તમામ કાર્યવાહી પર સ્ટે મુકવા અપીલ કરી છે. આ કેસની સુનાવણી આગામી દિવસોમાં હાઈકોર્ટમાં થવાની સંભાવના છે. અભિનેતાએ આ બાબતે દુઃખ વ્યક્ત કર્યું અને મૃતક મહિલાના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

આ પણ વાંચો:

  1. 'પુષ્પા'ની મહિલા ચાહકના મૃત્યુ પર અલ્લુની મોટી જાહેરાત, સંવેદનશીલ પોસ્ટ સાથે કહી આ વાત...
  2. અલ્લુ અર્જુન સામે કેસ નોંધાયો, મહિલાના મોતના મામલામાં પોલીસે કરી કાર્યવાહી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.