ETV Bharat / bharat

જીદ પૂરી ન થતા બિઝનેસમેન પતિની હત્યા કરીને પત્નીએ લાશને 800 KM દૂર ફેંકી દીધી, એક ભૂલથી પકડાઈ ગઈ

રમેશ સાથે લગ્ન કરનાર મહિલાએ અગાઉ તેના બે પતિ પાસેથી ડિવોર્સ લીધા હતા. બંનેએ મૃતક રમેશ પાસે 8 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

આરોપી મહિલા અને મૃતક પતિની તસવીર
આરોપી મહિલા અને મૃતક પતિની તસવીર (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

હૈદરાબાદ: તેલંગાણાની એક ભયાનક ઘટનામાં, એક મહિલાએ તેના બે સહયોગીઓ સાથે કથિત રીતે હૈદરાબાદમાં તેના વેપારી પતિની હત્યા કરી હતી અને મર્સિડીઝ બેન્ઝ કારમાં મુસાફરી કરતી વખતે મૃતદેહને રાજ્યની સરહદમાં ફેંકી દીધો હતો. હકીકતમાં પત્નીએ 8 કરોડ રૂપિયાની માંગ કરી હતી, પતિએ ઈચ્છા પૂરી ન કરતા તેની હત્યા કરી નાખી. હવે હત્યા બાદ તેના પતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવનાર આરોપી મહિલાને પોલીસે આ કેસમાં તેના સાથીદારો સાથે ધરપકડ કરી છે.

કેવી રીતે હત્યાનો ખુલાસો થયો?
આ ઘૃણાસ્પદ હત્યા 8 ઓક્ટોબરના રોજ પ્રકાશમાં આવી હતી, જ્યારે પોલીસે કર્ણાટકના કોડાગુ જિલ્લામાં સુંતિકોપ્પા નજીકના કોફીના બગીચામાંથી એક અજાણી અને સળગેલી લાશ મેળવી હતી. ત્યારપછીની તપાસમાં, જેમાં વિસ્તારના CCTV ફૂટેજની તપાસનો સમાવેશ થતો હતો, પોલીસે પીડિતાના નામે નોંધાયેલ લાલ મર્સિડીઝ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેની ઓળખ તેલંગાણાના રિયલ એસ્ટેટ બિઝનેસમેન રમેશ તરીકે થઈ હતી.

કર્ણાટક અને તેલંગાણા પોલીસ દ્વારા સંયુક્ત તપાસમાં માર્યા ગયેલા વેપારીની પત્ની નિહારિકા (29)ને ભુવનગિરી જિલ્લામાંથી કસ્ટડીમાં લેવામાં આવી હતી. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, તેણે પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને તેના ખુલાસા બાદ પોલીસે તેના સાથી નિખિલ અને અંકુરની પણ ધરપકડ કરી હતી.

પતિની હત્યાનું કાવતરું

ત્યારબાદ ત્રણેયની પોલીસ પૂછપરછ દરમિયાન, મહિલા અને તેના બે સહયોગીઓ દ્વારા હત્યાના આયોજન અંગે ચોંકાવનારા ખુલાસા થયા.

એવું જાણવા મળ્યું છે કે રમેશ સાથે લગ્ન કરનાર મહિલાએ અગાઉ તેના બે પતિ પાસેથી ડિવોર્સ લીધા હતા. બંનેએ મૃતક રમેશ પાસે 8 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે રમેશે ના પાડી તો નિહારિકાએ તેના સાગરિતો સાથે મળીને તેની હત્યાનું કાવતરું ઘડ્યું. આરોપીઓએ કથિત રીતે 1 ઓક્ટોબરે હૈદરાબાદના ઉપ્પલ વિસ્તારમાં રમેશને માર માર્યો હતો જેમાં તેનું મોત થઈ ગયું અને બાદમાં લાશના ટુકડા કરીને તેને સળગાવીને કોડાગુમાં ફેંકી દીધો હતો.

ડિવોર્સ બાદ રમેશ સાથે લગ્ન કર્યા હતા
પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે નિહારિકાનું બાળપણ મુશ્કેલ હતું અને જ્યારે તે કિશોરાવસ્થામાં હતી ત્યારે તેણે તેના પિતા ગુમાવ્યા હતા, ત્યારબાદ તેની માતાએ બીજા લગ્ન કર્યા હતા. કથિત રીતે અભ્યાસમાં હોંશિયાર નિહારિકાને એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી નોકરી મળી પરંતુ માતા બન્યા બાદ તે તેના પતિથી અલગ થઈ ગઈ. તેણે રમેશ સાથે લગ્ન કર્યા, જે તેની પ્રથમ પત્નીથી અલગ થયો હતો.

તપાસમાં બહાર આવ્યું છે કે નિહારિકાના જ્યારે હરિયાણામાં કામ કરતી હતી, ત્યારે નાણાકીય છેતરપિંડીના કેસમાં તેને જેલમાં મોકલવામાં આવી હતી. પોલીસ મુજબ, જ્યારે નિહારિકા જેલમાં હતી ત્યારે તેનો સંપર્ક રમેશની હત્યામાં સંડોવાયેલા તેના એક સહયોગી સાથે થયો હતો.

આ પણ વાંચો:

  1. વડોદરામાં PM મોદી અને PM સાંચેઝે આ વ્યક્તિને મળવા કાફલો રોકાવ્યો, જાણો શું થઈ વાતચીત?
  2. 'પરમ દિવસે હું ફરી ગુજરાત આવું છું', જાણો PM મોદી કેમ ફરી આવશે ગુજરાત, શું કહ્યું તેમણે...?

હૈદરાબાદ: તેલંગાણાની એક ભયાનક ઘટનામાં, એક મહિલાએ તેના બે સહયોગીઓ સાથે કથિત રીતે હૈદરાબાદમાં તેના વેપારી પતિની હત્યા કરી હતી અને મર્સિડીઝ બેન્ઝ કારમાં મુસાફરી કરતી વખતે મૃતદેહને રાજ્યની સરહદમાં ફેંકી દીધો હતો. હકીકતમાં પત્નીએ 8 કરોડ રૂપિયાની માંગ કરી હતી, પતિએ ઈચ્છા પૂરી ન કરતા તેની હત્યા કરી નાખી. હવે હત્યા બાદ તેના પતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવનાર આરોપી મહિલાને પોલીસે આ કેસમાં તેના સાથીદારો સાથે ધરપકડ કરી છે.

કેવી રીતે હત્યાનો ખુલાસો થયો?
આ ઘૃણાસ્પદ હત્યા 8 ઓક્ટોબરના રોજ પ્રકાશમાં આવી હતી, જ્યારે પોલીસે કર્ણાટકના કોડાગુ જિલ્લામાં સુંતિકોપ્પા નજીકના કોફીના બગીચામાંથી એક અજાણી અને સળગેલી લાશ મેળવી હતી. ત્યારપછીની તપાસમાં, જેમાં વિસ્તારના CCTV ફૂટેજની તપાસનો સમાવેશ થતો હતો, પોલીસે પીડિતાના નામે નોંધાયેલ લાલ મર્સિડીઝ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેની ઓળખ તેલંગાણાના રિયલ એસ્ટેટ બિઝનેસમેન રમેશ તરીકે થઈ હતી.

કર્ણાટક અને તેલંગાણા પોલીસ દ્વારા સંયુક્ત તપાસમાં માર્યા ગયેલા વેપારીની પત્ની નિહારિકા (29)ને ભુવનગિરી જિલ્લામાંથી કસ્ટડીમાં લેવામાં આવી હતી. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, તેણે પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને તેના ખુલાસા બાદ પોલીસે તેના સાથી નિખિલ અને અંકુરની પણ ધરપકડ કરી હતી.

પતિની હત્યાનું કાવતરું

ત્યારબાદ ત્રણેયની પોલીસ પૂછપરછ દરમિયાન, મહિલા અને તેના બે સહયોગીઓ દ્વારા હત્યાના આયોજન અંગે ચોંકાવનારા ખુલાસા થયા.

એવું જાણવા મળ્યું છે કે રમેશ સાથે લગ્ન કરનાર મહિલાએ અગાઉ તેના બે પતિ પાસેથી ડિવોર્સ લીધા હતા. બંનેએ મૃતક રમેશ પાસે 8 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે રમેશે ના પાડી તો નિહારિકાએ તેના સાગરિતો સાથે મળીને તેની હત્યાનું કાવતરું ઘડ્યું. આરોપીઓએ કથિત રીતે 1 ઓક્ટોબરે હૈદરાબાદના ઉપ્પલ વિસ્તારમાં રમેશને માર માર્યો હતો જેમાં તેનું મોત થઈ ગયું અને બાદમાં લાશના ટુકડા કરીને તેને સળગાવીને કોડાગુમાં ફેંકી દીધો હતો.

ડિવોર્સ બાદ રમેશ સાથે લગ્ન કર્યા હતા
પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે નિહારિકાનું બાળપણ મુશ્કેલ હતું અને જ્યારે તે કિશોરાવસ્થામાં હતી ત્યારે તેણે તેના પિતા ગુમાવ્યા હતા, ત્યારબાદ તેની માતાએ બીજા લગ્ન કર્યા હતા. કથિત રીતે અભ્યાસમાં હોંશિયાર નિહારિકાને એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી નોકરી મળી પરંતુ માતા બન્યા બાદ તે તેના પતિથી અલગ થઈ ગઈ. તેણે રમેશ સાથે લગ્ન કર્યા, જે તેની પ્રથમ પત્નીથી અલગ થયો હતો.

તપાસમાં બહાર આવ્યું છે કે નિહારિકાના જ્યારે હરિયાણામાં કામ કરતી હતી, ત્યારે નાણાકીય છેતરપિંડીના કેસમાં તેને જેલમાં મોકલવામાં આવી હતી. પોલીસ મુજબ, જ્યારે નિહારિકા જેલમાં હતી ત્યારે તેનો સંપર્ક રમેશની હત્યામાં સંડોવાયેલા તેના એક સહયોગી સાથે થયો હતો.

આ પણ વાંચો:

  1. વડોદરામાં PM મોદી અને PM સાંચેઝે આ વ્યક્તિને મળવા કાફલો રોકાવ્યો, જાણો શું થઈ વાતચીત?
  2. 'પરમ દિવસે હું ફરી ગુજરાત આવું છું', જાણો PM મોદી કેમ ફરી આવશે ગુજરાત, શું કહ્યું તેમણે...?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.