ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટે ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થને મુક્ત કરવાનો આદેશ આપ્યો, જાણો સમગ્ર મામલો... - Supreme Court

author img

By ETV Bharat Gujarati Team

Published : May 15, 2024, 12:50 PM IST

પ્રબીર પુરકાયસ્થાન વિરુદ્ધ તેમના ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિકને કથિત રીતે ભારતના સાર્વભૌમત્વને ખલેલ પહોંચાડવા અને દેશ સામે અસંતોષ ફેલાવવા માટે ચીનમાંથી જંગી ભંડોળ આવ્યું હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જાણો સમગ્ર મામલો

સુપ્રીમ કોર્ટે પ્રબીર પુરકાયસ્થને મુક્ત કરવાનો આદેશ આપ્યો
સુપ્રીમ કોર્ટે પ્રબીર પુરકાયસ્થને મુક્ત કરવાનો આદેશ આપ્યો (ETV Bharat Desk)

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ ન્યૂઝક્લિક એડિટર પ્રબીર પુરકાયસ્થાને મુક્ત કરવાનો આદેશ આપતા કહ્યું કે, દિલ્હી પોલીસ દ્વારા તેમની ધરપકડ ગેરકાનૂની પ્રવૃત્તિ (પ્રિવેન્શન) એક્ટ, 1967 હેઠળના કેસમાં અમાન્ય છે. તેમના ન્યૂઝ પોર્ટલને કથિત રીતે ચીનમાંથી જંગી ભંડોળ મળતું હોવાના આક્ષેપ સાથે તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ હતી.

સુપ્રીમ કોર્ટનો આદેશ : જસ્ટિસ બી. આર. ગવઈની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, આ નિષ્કર્ષ પર પહોંચવામાં કોઈ ખચકાટ નથી કે રિમાન્ડ અરજીની નકલ અને લેખિતમાં ધરપકડના કારણોનો સંદેશાવ્યવહાર આરોપી-અપીલકર્તા અથવા તેના વકીલને 4 ઓક્ટોબર 2023 ના રોજ રિમાન્ડ ઓર્ડર પાસ થયા પહેલા આપવામાં આવ્યો ન હતો.

સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રબીરનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કર્યું હતું. ખંડપીઠે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ધરપકડ અને અપીલકર્તાના અનુગામી રિમાન્ડને ખલેલ પહોંચાડે છે. અપીલકર્તા આ અદાલત દ્વારા પંકજ બંસલને આપેલા ચુકાદાના તર્કને લાગુ કરીને કસ્ટડીમાંથી મુક્ત કરવાના નિર્દેશ માટે હકદાર છે.

શું છે મામલો ? 3 ઓક્ટોબરના રોજ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા પ્રબીરની ધરપકડ કરવામાં આવી હતી. FIR મુજબ ન્યૂઝ પોર્ટલને કથિત રીતે ભારતના સાર્વભૌમત્વને ખલેલ પહોંચાડવા અને દેશ સામે અસંતોષ ફેલાવવા માટે ચીનમાંથી જંગી ભંડોળ આવ્યું હતું. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પ્રબીરે 2019 લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રક્રિયાને તોડફોડ કરવા માટે એક જૂથ - પીપલ્સ એલાયન્સ ફોર ડેમોક્રેસી એન્ડ સેક્યુલરિઝમ (PADS) સાથે કાવતરું ઘડ્યું હતું. પ્રબીર પુરકાયસ્થાન ન્યૂઝક્લિક ન્યૂઝ પોર્ટલના એડિટર અને સ્થાપક છે.

  1. સુપ્રીમ કોર્ટે આઈએમએ પ્રમુખની માફીનો અસ્વીકાર કર્યો, પતંજલિ ઉત્પાદનો મામલામાં થઇ રહી છે સુનાવણી
  2. દિલ્હી હાઈકોર્ટમાં આજે આમ આદમી પાર્ટીને ઓફિસ ફાળવવા અંગે સુનાવણી, કેન્દ્ર માટે મોટો નિર્દેશ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ ન્યૂઝક્લિક એડિટર પ્રબીર પુરકાયસ્થાને મુક્ત કરવાનો આદેશ આપતા કહ્યું કે, દિલ્હી પોલીસ દ્વારા તેમની ધરપકડ ગેરકાનૂની પ્રવૃત્તિ (પ્રિવેન્શન) એક્ટ, 1967 હેઠળના કેસમાં અમાન્ય છે. તેમના ન્યૂઝ પોર્ટલને કથિત રીતે ચીનમાંથી જંગી ભંડોળ મળતું હોવાના આક્ષેપ સાથે તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ હતી.

સુપ્રીમ કોર્ટનો આદેશ : જસ્ટિસ બી. આર. ગવઈની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, આ નિષ્કર્ષ પર પહોંચવામાં કોઈ ખચકાટ નથી કે રિમાન્ડ અરજીની નકલ અને લેખિતમાં ધરપકડના કારણોનો સંદેશાવ્યવહાર આરોપી-અપીલકર્તા અથવા તેના વકીલને 4 ઓક્ટોબર 2023 ના રોજ રિમાન્ડ ઓર્ડર પાસ થયા પહેલા આપવામાં આવ્યો ન હતો.

સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રબીરનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કર્યું હતું. ખંડપીઠે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ધરપકડ અને અપીલકર્તાના અનુગામી રિમાન્ડને ખલેલ પહોંચાડે છે. અપીલકર્તા આ અદાલત દ્વારા પંકજ બંસલને આપેલા ચુકાદાના તર્કને લાગુ કરીને કસ્ટડીમાંથી મુક્ત કરવાના નિર્દેશ માટે હકદાર છે.

શું છે મામલો ? 3 ઓક્ટોબરના રોજ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા પ્રબીરની ધરપકડ કરવામાં આવી હતી. FIR મુજબ ન્યૂઝ પોર્ટલને કથિત રીતે ભારતના સાર્વભૌમત્વને ખલેલ પહોંચાડવા અને દેશ સામે અસંતોષ ફેલાવવા માટે ચીનમાંથી જંગી ભંડોળ આવ્યું હતું. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પ્રબીરે 2019 લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રક્રિયાને તોડફોડ કરવા માટે એક જૂથ - પીપલ્સ એલાયન્સ ફોર ડેમોક્રેસી એન્ડ સેક્યુલરિઝમ (PADS) સાથે કાવતરું ઘડ્યું હતું. પ્રબીર પુરકાયસ્થાન ન્યૂઝક્લિક ન્યૂઝ પોર્ટલના એડિટર અને સ્થાપક છે.

  1. સુપ્રીમ કોર્ટે આઈએમએ પ્રમુખની માફીનો અસ્વીકાર કર્યો, પતંજલિ ઉત્પાદનો મામલામાં થઇ રહી છે સુનાવણી
  2. દિલ્હી હાઈકોર્ટમાં આજે આમ આદમી પાર્ટીને ઓફિસ ફાળવવા અંગે સુનાવણી, કેન્દ્ર માટે મોટો નિર્દેશ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.