ETV Bharat / bharat

Special judge MK Nagpal transferred: દિલ્હી આબકારી નીતિ કૌભાંડ મામલે સુનાવણી કરી રહેલા જજ એમકે નાગપાલની બદલી

દિલ્હી આબકારી નીતિ કૌભાંડ કેસની સુનાવણી કરી રહેલા વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની બદલી કરવામાં આવી છે. એમકે નાગપાલ એટલે કે મનોજ કુમાર નાગપાલની કોર્ટમાં ઘણા હાઈપ્રોફાઈલ કેસ પેન્ડિંગ છે. તેમને તીસ હજારી કોર્ટમાં કોમર્શિયલ જજ તરીકે મોકલવામાં આવી રહ્યા છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 19, 2024, 10:24 PM IST

Special judge MK Nagpal transferred
Special judge MK Nagpal transferred

નવી દિલ્હીઃ દિલ્હી આબકારી નીતિ કૌભાંડ સહિત અનેક હાઈપ્રોફાઈલ કેસની સુનાવણી કરી રહેલા વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને તીસ હજારી કોર્ટના કોમર્શિયલ જજ કાવેરી બાવેજાની નિયુક્તિ કરવામાં આવી છે. જજ એમકે નાગપાલને કોમર્શિયલ જજ તરીકે તીસ હજારી કોર્ટમાં મોકલવામાં આવી રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલ દિલ્હી હાયર જ્યુડિશિયલ સર્વિસના 27 જજોની ટ્રાન્સફર લિસ્ટમાં એમકે નાગપાલનું નામ ટોચ પર છે.

એમકે નાગપાલ શરૂઆતથી જ દિલ્હી આબકારી નીતિ કૌભાંડ કેસની સુનાવણી કરી રહ્યા છે. તેમની કોર્ટમાં દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં સીબીઆઈ અને ઈડી સંબંધિત કેસ પેન્ડિંગ છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ, દિલ્હી સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ તેમની કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. એમકે નાગપાલની કોર્ટમાં દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન અને તેમની પત્ની પૂનમ જૈન વિરુદ્ધ પણ કેસ ચાલી રહ્યો છે. આ જ કેસમાં તાજેતરમાં એમ કે નાગપાલની કોર્ટમાં બીઆરએસ નેતા કે. કવિતા રજૂ થયાં હતાં જેમને કોર્ટે ED કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

દિલ્હી આબકારી નીતિ કેસ ઉપરાંત INX મીડિયા ડીલ અને એરસેલ-મેક્સિસ ડીલ જેવા હાઈ પ્રોફાઈલ કેસોની સુનાવણી પણ એમકે નાગપાલની કોર્ટમાં ચાલી રહી છે. આ કેસમાં કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ આરોપી છે. એમકે નાગપાલની આ જ કોર્ટમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમાર સામે 1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન સરસ્વતી વિહારમાં એક મામલાની પણ સુનાવણી ચાલી રહી છે.

  1. Arvind kejriwal: દિલ્હી આબકારી કૌભાંડ મામલે ઈડીના સમન્સને કેજરીવાલે હાઈકોર્ટ પડકાર્યો, આવતીકાલે સુનાવણી
  2. Tamilisai Soundararajan Resigns : તેલંગાણા ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજનના રાજીનામાનો સ્વીકાર, લોકસભા ચૂંટણી લડવાની શક્યતા ?

નવી દિલ્હીઃ દિલ્હી આબકારી નીતિ કૌભાંડ સહિત અનેક હાઈપ્રોફાઈલ કેસની સુનાવણી કરી રહેલા વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને તીસ હજારી કોર્ટના કોમર્શિયલ જજ કાવેરી બાવેજાની નિયુક્તિ કરવામાં આવી છે. જજ એમકે નાગપાલને કોમર્શિયલ જજ તરીકે તીસ હજારી કોર્ટમાં મોકલવામાં આવી રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલ દિલ્હી હાયર જ્યુડિશિયલ સર્વિસના 27 જજોની ટ્રાન્સફર લિસ્ટમાં એમકે નાગપાલનું નામ ટોચ પર છે.

એમકે નાગપાલ શરૂઆતથી જ દિલ્હી આબકારી નીતિ કૌભાંડ કેસની સુનાવણી કરી રહ્યા છે. તેમની કોર્ટમાં દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં સીબીઆઈ અને ઈડી સંબંધિત કેસ પેન્ડિંગ છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ, દિલ્હી સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ તેમની કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. એમકે નાગપાલની કોર્ટમાં દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન અને તેમની પત્ની પૂનમ જૈન વિરુદ્ધ પણ કેસ ચાલી રહ્યો છે. આ જ કેસમાં તાજેતરમાં એમ કે નાગપાલની કોર્ટમાં બીઆરએસ નેતા કે. કવિતા રજૂ થયાં હતાં જેમને કોર્ટે ED કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

દિલ્હી આબકારી નીતિ કેસ ઉપરાંત INX મીડિયા ડીલ અને એરસેલ-મેક્સિસ ડીલ જેવા હાઈ પ્રોફાઈલ કેસોની સુનાવણી પણ એમકે નાગપાલની કોર્ટમાં ચાલી રહી છે. આ કેસમાં કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ આરોપી છે. એમકે નાગપાલની આ જ કોર્ટમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમાર સામે 1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન સરસ્વતી વિહારમાં એક મામલાની પણ સુનાવણી ચાલી રહી છે.

  1. Arvind kejriwal: દિલ્હી આબકારી કૌભાંડ મામલે ઈડીના સમન્સને કેજરીવાલે હાઈકોર્ટ પડકાર્યો, આવતીકાલે સુનાવણી
  2. Tamilisai Soundararajan Resigns : તેલંગાણા ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજનના રાજીનામાનો સ્વીકાર, લોકસભા ચૂંટણી લડવાની શક્યતા ?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.