ETV Bharat / bharat

લ્યો બોલો, 25 રૂપિયાના ચક્કરમાં 35 હજારનો ફટકો, ફૂડ પૅકેટમાં અથાણું ન આપતા રેસ્ટોરન્ટના માલિક સામે થઈ ફરિયાદ - Fine for Not Serving Pickle in Meal

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 25, 2024, 7:02 PM IST

અથાણું એ આપણા જમવાની થાળીનો સૌથી નાનો ભાગ છે, પરંતુ આ જ ભાગ જમણવારને ખૂબ સ્વાદિષ્ટ બનાવે છે. પરંતુ જો આ જ અથાણું થાળીમાં ણ હોય તો? આવી જ એક ઘટના બની હતી તામિલનાડુમાં જ્યાં ગ્રાહક ફરિયાદ પંચે પાર્સલ ભોજનમાં અથાણું ન પીરસવા બદલ તમિલનાડુના વિલ્લુપુરમ સ્થિત એક રેસ્ટોરન્ટ પર અથાણાંની કિંમત સાથે રૂપિયા 35,025નો દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો. Fine for Not Serving Pickle in Meal

ફૂડ પૅકેટમાં અથાણું ન આપતા રેસ્ટોરન્ટના માલિક સામે થઈ ફરિયાદ
ફૂડ પૅકેટમાં અથાણું ન આપતા રેસ્ટોરન્ટના માલિક સામે થઈ ફરિયાદ (Etv Bharat)

વિલ્લુપુરમ: ગ્રાહક ફરિયાદ પંચે તમિલનાડુના એક રેસ્ટોરન્ટના માલિક પર 35,025 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો તમે આખો મામલો જાણશો તો કદાચ તમે પણ ચોંકી જશો. વાસ્તવમાં ઘટના એમ હતી કે, વિલ્લુપુરમના રેસ્ટોરન્ટમાંથી ફૂડ પાર્સલના 25 પેકેટનો ઓર્ડર આવ્યો હતો. ઓર્ડર આપનાર વ્યક્તિનું નામ આરોગ્યસામી છે. તેમણે રેસ્ટોરન્ટ દ્વારા મોકલવામાં આવેલા ફૂડ પેકેટમાં અથાણું નહોતું. ઓર્ડર આપનારને રેસ્ટોરન્ટના માલિકનું આ વર્તન બિલકુલ પસંદ ન હતું. જેથી તેઓએ રેસ્ટોરન્ટના માલિક પર દંડ લાદવાનું નક્કી કર્યું. જે બાદ આરોગ્યસામીએ વિલ્લુપુરમ જિલ્લા ગ્રાહક ફરિયાદ સમિતિમાં કેસ દાખલ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, આરોગ્યસામી ઓલ કન્ઝ્યુમર્સ પબ્લિક એન્વાયરમેન્ટલ વેલફેર એસોસિએશનના રાજ્ય અધ્યક્ષ છે.

વાસ્તવમાં સંપૂર્ણ મામલો છે શું? વાસ્તવમાં, આરોગ્યસામીએ તેમના પિતરાઈ ભાઈ નેસમની પ્રથમ પુણ્યતિથિ પર 25 વૃદ્ધોને ભોજન કરાવવાનું નક્કી કર્યું હતું, જેનું 28 નવેમ્બર 2021ના રોજ અવસાન થયું હતું. આરોગ્યસામી 27 નવેમ્બર 2022ના રોજ વિલ્લુપુરમ નવી બસ પાસે બાલામુરુગન નામની રેસ્ટોરન્ટમાં ભોજનનો ઓર્ડર આપવા પહોંચ્યા. હોટલ માલિકે તેમને કહ્યું કે, હોટેલમાં ભોજન માટે 70 રૂપિયા લેવામાં આવશે અને જો પાર્સલ હશે તો પેકેટ દીઠ વધારાના 10 રૂપિયા ઉમેરવામાં આવશે. રેસ્ટોરન્ટના માલિકે આરોગ્યસમીને મેનુ સાથે ક્વોટેશનની રસીદ આપી. તે પછી તેણે 28 નવેમ્બર 2022 માટે ફૂડના 25 પેકેટનો ઓર્ડર આપ્યો. તેના ભાઈની પુણ્યતિથિના એક દિવસ પહેલા, તેણે હોટલના માલિકને પાર્સલ દીઠ 80 રૂપિયાના દરે 2,000 રૂપિયા એડવાન્સ ચૂકવ્યા.

ફૂડના 25 પેકેટનો ઓર્ડર આવ્યો હતો: પિતરાઈ ભાઈની પ્રથમ પુણ્યતિથિના દિવસે આરોગ્યસામીના ઘરે રેસ્ટોરન્ટમાંથી ફૂડના 25 પેકેટનો ઓર્ડર આવ્યો હતો. તેણે પાર્સલમાં તમામ ફૂડ પેકેટ મેળવ્યા અને પછી રસીદ માંગી. આના પર હોટલ માલિકે તેને નાની રસીદ આપી અને અસલ રસીદ આપવાનો ઇનકાર કરી દીધો. તેમના ભાઈની પ્રથમ પુણ્યતિથિ પર આરોગ્યસામીએ વડીલોને બોલાવ્યા અને ફૂડ પેકેટનું વિતરણ કર્યું. જ્યારે ફૂડ પેકેટ ખોલવામાં આવ્યું તો જાણવા મળ્યું કે ફૂડમાંથી માત્ર અથાણું ગાયબ હતું. જ્યારે તેણે આ અંગે હોટલ માલિકને ફરિયાદ કરી તો તેને ખબર પડી કે ફૂડ પેક કરતી વખતે અથાણું રાખવામાં આવ્યું નથી. આરોગ્યસામીએ હોટલના માલિકને 25 અથાણાંના પેકેટ માટે 1 રૂપિયા પ્રતિ પેકેટના દરે 25 રૂપિયાની રકમ પરત કરવા જણાવ્યું હતું. જેના વળતાં જવાબ તરીકે રેસ્ટોરન્ટના માલિકે તેને તેટલી રકમ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

ફૂડ પેકેટમાં અથાણું ન આપવું એ સેવામાં ખામી: જે બાદ આરોગ્યસામીએ વિલ્લુપુરમ જિલ્લા ગ્રાહક ફરિયાદ સમિતિમાં કેસ દાખલ કર્યો હતો. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભોજનમાં અથાણાંના અભાવે વૃદ્ધો ખૂબ પરેશાન થઈ ગયા હતા. ફરિયાદ પંચના અધ્યક્ષ સતીશ કુમાર, સભ્ય મીરામોઉદીન અને સ્ટાફે આ મામલાની તપાસ કરી હતી. તેમણે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ અને તપાસ બાદ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. ગ્રાહક ફરિયાદ સમિતિએ તેના નિર્ણયમાં કહ્યું કે, પાર્સલ કરેલા ફૂડ પેકેટમાં અથાણું ન આપવું એ સેવામાં ખામી છે અને જેના માટે રેસ્ટોરન્ટ માલિકે દંડ ભરવો પડશે.

રેસ્ટોરન્ટ માલિકે 30,000 રૂપિયાનો દંડ: ચુકાદો આપતી વખતે ગ્રાહક ફરિયાદ સમિતિએ કહ્યું હતું કે, આરોગ્યસમીને થયેલી મુશ્કેલીને કારણે રેસ્ટોરન્ટ માલિકે 30,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ સિવાય ટ્રાયલ દરમિયાન થયેલા ખર્ચ માટે રૂપિયા 5,000 અને અથાણાના પેકેટ માટે રૂપિયા 25 ખરીદવામાં આવેલા ખાદ્યપદાર્થની અસલ રસીદ સાથે ચૂકવવાના રહેશે. ગ્રાહક ફરિયાદ સમિતિએ એમ પણ કહ્યું કે, જો નિર્ણયના 45 દિવસની અંદર દંડની રકમ ચૂકવવામાં નહીં આવે તો, રેસ્ટોરન્ટના માલિકે દર મહિને 9 ટકા વ્યાજ સાથે દંડ ચૂકવવો પડશે.

  1. કર્મચારીઓને અસર કરતો મહત્વનો મુદ્દો પેન્શન યોજના માટે હવે કમિટી બેસશે, નાણાં મંત્રીનું આશ્વાસન - PENSION IN UNION BUDGET 2024
  2. વારાણસીનું રસેશ્વર મહાદેવ મંદિર, એક એવું શિવલિંગ જ્યાં છે દવાનો ભોગ ચઢાવવાની અનોખી માન્યતા - Raseshwar Mahadev Temple in BHU

વિલ્લુપુરમ: ગ્રાહક ફરિયાદ પંચે તમિલનાડુના એક રેસ્ટોરન્ટના માલિક પર 35,025 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો તમે આખો મામલો જાણશો તો કદાચ તમે પણ ચોંકી જશો. વાસ્તવમાં ઘટના એમ હતી કે, વિલ્લુપુરમના રેસ્ટોરન્ટમાંથી ફૂડ પાર્સલના 25 પેકેટનો ઓર્ડર આવ્યો હતો. ઓર્ડર આપનાર વ્યક્તિનું નામ આરોગ્યસામી છે. તેમણે રેસ્ટોરન્ટ દ્વારા મોકલવામાં આવેલા ફૂડ પેકેટમાં અથાણું નહોતું. ઓર્ડર આપનારને રેસ્ટોરન્ટના માલિકનું આ વર્તન બિલકુલ પસંદ ન હતું. જેથી તેઓએ રેસ્ટોરન્ટના માલિક પર દંડ લાદવાનું નક્કી કર્યું. જે બાદ આરોગ્યસામીએ વિલ્લુપુરમ જિલ્લા ગ્રાહક ફરિયાદ સમિતિમાં કેસ દાખલ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, આરોગ્યસામી ઓલ કન્ઝ્યુમર્સ પબ્લિક એન્વાયરમેન્ટલ વેલફેર એસોસિએશનના રાજ્ય અધ્યક્ષ છે.

વાસ્તવમાં સંપૂર્ણ મામલો છે શું? વાસ્તવમાં, આરોગ્યસામીએ તેમના પિતરાઈ ભાઈ નેસમની પ્રથમ પુણ્યતિથિ પર 25 વૃદ્ધોને ભોજન કરાવવાનું નક્કી કર્યું હતું, જેનું 28 નવેમ્બર 2021ના રોજ અવસાન થયું હતું. આરોગ્યસામી 27 નવેમ્બર 2022ના રોજ વિલ્લુપુરમ નવી બસ પાસે બાલામુરુગન નામની રેસ્ટોરન્ટમાં ભોજનનો ઓર્ડર આપવા પહોંચ્યા. હોટલ માલિકે તેમને કહ્યું કે, હોટેલમાં ભોજન માટે 70 રૂપિયા લેવામાં આવશે અને જો પાર્સલ હશે તો પેકેટ દીઠ વધારાના 10 રૂપિયા ઉમેરવામાં આવશે. રેસ્ટોરન્ટના માલિકે આરોગ્યસમીને મેનુ સાથે ક્વોટેશનની રસીદ આપી. તે પછી તેણે 28 નવેમ્બર 2022 માટે ફૂડના 25 પેકેટનો ઓર્ડર આપ્યો. તેના ભાઈની પુણ્યતિથિના એક દિવસ પહેલા, તેણે હોટલના માલિકને પાર્સલ દીઠ 80 રૂપિયાના દરે 2,000 રૂપિયા એડવાન્સ ચૂકવ્યા.

ફૂડના 25 પેકેટનો ઓર્ડર આવ્યો હતો: પિતરાઈ ભાઈની પ્રથમ પુણ્યતિથિના દિવસે આરોગ્યસામીના ઘરે રેસ્ટોરન્ટમાંથી ફૂડના 25 પેકેટનો ઓર્ડર આવ્યો હતો. તેણે પાર્સલમાં તમામ ફૂડ પેકેટ મેળવ્યા અને પછી રસીદ માંગી. આના પર હોટલ માલિકે તેને નાની રસીદ આપી અને અસલ રસીદ આપવાનો ઇનકાર કરી દીધો. તેમના ભાઈની પ્રથમ પુણ્યતિથિ પર આરોગ્યસામીએ વડીલોને બોલાવ્યા અને ફૂડ પેકેટનું વિતરણ કર્યું. જ્યારે ફૂડ પેકેટ ખોલવામાં આવ્યું તો જાણવા મળ્યું કે ફૂડમાંથી માત્ર અથાણું ગાયબ હતું. જ્યારે તેણે આ અંગે હોટલ માલિકને ફરિયાદ કરી તો તેને ખબર પડી કે ફૂડ પેક કરતી વખતે અથાણું રાખવામાં આવ્યું નથી. આરોગ્યસામીએ હોટલના માલિકને 25 અથાણાંના પેકેટ માટે 1 રૂપિયા પ્રતિ પેકેટના દરે 25 રૂપિયાની રકમ પરત કરવા જણાવ્યું હતું. જેના વળતાં જવાબ તરીકે રેસ્ટોરન્ટના માલિકે તેને તેટલી રકમ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

ફૂડ પેકેટમાં અથાણું ન આપવું એ સેવામાં ખામી: જે બાદ આરોગ્યસામીએ વિલ્લુપુરમ જિલ્લા ગ્રાહક ફરિયાદ સમિતિમાં કેસ દાખલ કર્યો હતો. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભોજનમાં અથાણાંના અભાવે વૃદ્ધો ખૂબ પરેશાન થઈ ગયા હતા. ફરિયાદ પંચના અધ્યક્ષ સતીશ કુમાર, સભ્ય મીરામોઉદીન અને સ્ટાફે આ મામલાની તપાસ કરી હતી. તેમણે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ અને તપાસ બાદ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. ગ્રાહક ફરિયાદ સમિતિએ તેના નિર્ણયમાં કહ્યું કે, પાર્સલ કરેલા ફૂડ પેકેટમાં અથાણું ન આપવું એ સેવામાં ખામી છે અને જેના માટે રેસ્ટોરન્ટ માલિકે દંડ ભરવો પડશે.

રેસ્ટોરન્ટ માલિકે 30,000 રૂપિયાનો દંડ: ચુકાદો આપતી વખતે ગ્રાહક ફરિયાદ સમિતિએ કહ્યું હતું કે, આરોગ્યસમીને થયેલી મુશ્કેલીને કારણે રેસ્ટોરન્ટ માલિકે 30,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ સિવાય ટ્રાયલ દરમિયાન થયેલા ખર્ચ માટે રૂપિયા 5,000 અને અથાણાના પેકેટ માટે રૂપિયા 25 ખરીદવામાં આવેલા ખાદ્યપદાર્થની અસલ રસીદ સાથે ચૂકવવાના રહેશે. ગ્રાહક ફરિયાદ સમિતિએ એમ પણ કહ્યું કે, જો નિર્ણયના 45 દિવસની અંદર દંડની રકમ ચૂકવવામાં નહીં આવે તો, રેસ્ટોરન્ટના માલિકે દર મહિને 9 ટકા વ્યાજ સાથે દંડ ચૂકવવો પડશે.

  1. કર્મચારીઓને અસર કરતો મહત્વનો મુદ્દો પેન્શન યોજના માટે હવે કમિટી બેસશે, નાણાં મંત્રીનું આશ્વાસન - PENSION IN UNION BUDGET 2024
  2. વારાણસીનું રસેશ્વર મહાદેવ મંદિર, એક એવું શિવલિંગ જ્યાં છે દવાનો ભોગ ચઢાવવાની અનોખી માન્યતા - Raseshwar Mahadev Temple in BHU
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.