ETV Bharat / bharat

બિહારમાં 65 % અનામત કાયદો રદ, નીતિશ સરકારને હાઈકોર્ટનો મોટો ઝટકો - 65 percent reservation in Bihar

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 20, 2024, 2:00 PM IST

Updated : Jun 20, 2024, 4:57 PM IST

પટના હાઈકોર્ટે બિહારમાં 65 % જાતિ આધારિત અનામતને રદ કરી દીધી છે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 65 ટકા અનામત આપવા માટે કાયદો લાવવામાં આવ્યો હતો. જાણો વધુ વિગતો.. 65 percent reservation in Bihar PATNA HIGH COURT

પટના હાઈકોર્ટે બિહારમાં 65 % જાતિ આધારિત અનામતને રદ કરી દીધી છે.
પટના હાઈકોર્ટે બિહારમાં 65 % જાતિ આધારિત અનામતને રદ કરી દીધી છે. (Etv Bharat)

પટનાઃ પટના હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં SC, ST, EBC અને અન્ય પછાત વર્ગોને 65 ટકા અનામત આપવાના કાયદા પર પોતાનો ચુકાદો આપ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદાને પડકારતી અરજીઓ સ્વીકારતા તેને રદ કરીને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. આ કિસ્સામાં, ગૌરવ કુમાર અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી પૂર્ણ કર્યા પછી, 11 માર્ચ, 2024 ના રોજ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો, જેનો ચુકાદો આજે સંભળાવવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ કેવી ચંદ્રનની ડિવિઝન બેંચે ગૌરવ કુમાર અને અન્ય લોકોની અરજીઓ પર લાંબી સુનાવણી કરી હતી.

65 ટકા અનામતનો કાયદો રદ
65 ટકા અનામતનો કાયદો રદ (Etv Bharat)

પછાત વર્ગો માટે 65 ટકા અનામત: એડવોકેટ જનરલ પીકે શાહીએ રાજ્ય સરકાર વતી દલીલ કરતાં કોર્ટને કહ્યું હતું કે, રાજ્ય સરકારે આ વર્ગોના પર્યાપ્ત પ્રતિનિધિત્વના અભાવે આ અનામત આપ્યો છે. રાજ્ય સરકારે પ્રમાણસર ધોરણે આ અનામત આપી નથી. આ અરજીઓમાં રાજ્ય સરકાર દ્વારા 9 નવેમ્બર, 2023ના રોજ પસાર કરાયેલા કાયદાને પડકારવામાં આવ્યો હતો. જેમાં SC,ST,EBC અને અન્ય પછાત વર્ગોને 65 ટકા અનામત આપવામાં આવી હતી, જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારોને સરકારી સેવામાં માત્ર 35 ટકા જગ્યાઓ આપવામાં આવી હતી.

અનામત જાતિના પ્રમાણસર આધાર પર હતું: એડવોકેટ દિનુ કુમારે અગાઉની સુનાવણીમાં કોર્ટને કહ્યું હતું કે, સામાન્ય શ્રેણીમાં EWS માટે 10 ટકા આરક્ષણ રદ કરવું એ ભારતીય બંધારણની કલમ 14 અને કલમ 15(6)(b) ની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, જાતિ સર્વેક્ષણ બાદ અનામતનો આ નિર્ણય સરકારી નોકરીઓમાં પર્યાપ્ત પ્રતિનિધિત્વના આધારે નહીં પણ જાતિના પ્રમાણના આધારે લેવામાં આવ્યો છે.

65 ટકા અનામતનો કાયદો રદ
65 ટકા અનામતનો કાયદો રદ (Etv Bharat)

50 ટકાથી વધારીને 65 ટકા કરવામાં આવી હતીઃ દિનુ કુમારે કહ્યું હતું કે, ઈન્દિરા સ્વાહની કેસમાં સુપ્રીમ કોર્ટે અનામતની મર્યાદા પર 50 ટકાનો પ્રતિબંધ લાદ્યો હતો. હાલમાં જાતિ સર્વેક્ષણનો મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેના આધારે રાજ્ય સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેમાં તેમણે સરકારી નોકરીઓમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી હતી. જેના કારણે કોર્ટે આ વર્ગો માટે 65 ટકા અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ કર્યો હતો.

  1. 18 જૂને લેવાયેલી UGC-NETની પરીક્ષા રદ, ગેરરીતીની આશંકા બાદ નિર્ણય, CBI કરશે તપાસ - ugc net june 2024 exam cancelled
  2. NEET વિવાદ પર શિક્ષણ મંત્રાલયે બિહાર પોલીસ પાસેથી માંગ્યો વિસ્તૃત રિપોર્ટ - NEET UG EXAM 2024

પટનાઃ પટના હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં SC, ST, EBC અને અન્ય પછાત વર્ગોને 65 ટકા અનામત આપવાના કાયદા પર પોતાનો ચુકાદો આપ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદાને પડકારતી અરજીઓ સ્વીકારતા તેને રદ કરીને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. આ કિસ્સામાં, ગૌરવ કુમાર અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી પૂર્ણ કર્યા પછી, 11 માર્ચ, 2024 ના રોજ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો, જેનો ચુકાદો આજે સંભળાવવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ કેવી ચંદ્રનની ડિવિઝન બેંચે ગૌરવ કુમાર અને અન્ય લોકોની અરજીઓ પર લાંબી સુનાવણી કરી હતી.

65 ટકા અનામતનો કાયદો રદ
65 ટકા અનામતનો કાયદો રદ (Etv Bharat)

પછાત વર્ગો માટે 65 ટકા અનામત: એડવોકેટ જનરલ પીકે શાહીએ રાજ્ય સરકાર વતી દલીલ કરતાં કોર્ટને કહ્યું હતું કે, રાજ્ય સરકારે આ વર્ગોના પર્યાપ્ત પ્રતિનિધિત્વના અભાવે આ અનામત આપ્યો છે. રાજ્ય સરકારે પ્રમાણસર ધોરણે આ અનામત આપી નથી. આ અરજીઓમાં રાજ્ય સરકાર દ્વારા 9 નવેમ્બર, 2023ના રોજ પસાર કરાયેલા કાયદાને પડકારવામાં આવ્યો હતો. જેમાં SC,ST,EBC અને અન્ય પછાત વર્ગોને 65 ટકા અનામત આપવામાં આવી હતી, જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારોને સરકારી સેવામાં માત્ર 35 ટકા જગ્યાઓ આપવામાં આવી હતી.

અનામત જાતિના પ્રમાણસર આધાર પર હતું: એડવોકેટ દિનુ કુમારે અગાઉની સુનાવણીમાં કોર્ટને કહ્યું હતું કે, સામાન્ય શ્રેણીમાં EWS માટે 10 ટકા આરક્ષણ રદ કરવું એ ભારતીય બંધારણની કલમ 14 અને કલમ 15(6)(b) ની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, જાતિ સર્વેક્ષણ બાદ અનામતનો આ નિર્ણય સરકારી નોકરીઓમાં પર્યાપ્ત પ્રતિનિધિત્વના આધારે નહીં પણ જાતિના પ્રમાણના આધારે લેવામાં આવ્યો છે.

65 ટકા અનામતનો કાયદો રદ
65 ટકા અનામતનો કાયદો રદ (Etv Bharat)

50 ટકાથી વધારીને 65 ટકા કરવામાં આવી હતીઃ દિનુ કુમારે કહ્યું હતું કે, ઈન્દિરા સ્વાહની કેસમાં સુપ્રીમ કોર્ટે અનામતની મર્યાદા પર 50 ટકાનો પ્રતિબંધ લાદ્યો હતો. હાલમાં જાતિ સર્વેક્ષણનો મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેના આધારે રાજ્ય સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેમાં તેમણે સરકારી નોકરીઓમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી હતી. જેના કારણે કોર્ટે આ વર્ગો માટે 65 ટકા અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ કર્યો હતો.

  1. 18 જૂને લેવાયેલી UGC-NETની પરીક્ષા રદ, ગેરરીતીની આશંકા બાદ નિર્ણય, CBI કરશે તપાસ - ugc net june 2024 exam cancelled
  2. NEET વિવાદ પર શિક્ષણ મંત્રાલયે બિહાર પોલીસ પાસેથી માંગ્યો વિસ્તૃત રિપોર્ટ - NEET UG EXAM 2024
Last Updated : Jun 20, 2024, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.