ETV Bharat / bharat

દુર્ગમાં એક વ્યક્તિએ પોતાની ઈચ્છા પૂર્ણ કરવા ધાતક પગલું ભર્યું, પોલિસે હાથ ધરી તપાસ - DURG INCIDENT - DURG INCIDENT

દુર્ગમાં એક વ્યક્તિએ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે ઘાતક પગલું ભર્યું છે. હાલ તેની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ સમગ્ર ધટનાની તપાસ કરી રહી છે.DURG INCIDENT

DURG INCIDENT
DURG INCIDENT (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 9, 2024, 9:39 AM IST

દુર્ગઃ દુર્ગ જિલ્લામાં 35 વર્ષના એક વ્યક્તિએ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે પોતાની જીભ કાપીને મંદિરમાં ચડાવી દીધી. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ અને ગ્રામજનોની મદદથી વ્યક્તિને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન અંજોરા પોલીસ ચોકીએ આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ જીવલેણ પગલાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

જાણો શું છે સમગ્ર ધટનાઃ વાસ્તવમાં આ સમગ્ર મામલો દુર્ગ જિલ્લાના અંજોરા ચોકીનો છે. અહીંના થાનૌડ ગામમાં રહેતા એક વ્યક્તિએ ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે ભયંકર પગલું ભર્યું છે. આ ઘટનાની જાણ થતાં સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. ગામલોકોએ પોલીસને જાણ કરી, જે બાદ પોલીસે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ વ્યક્તિની સારવાર ચાલી રહી છે.

વ્યક્તિની હાલત નાજુક: આ સમગ્ર મામલે ઘાયલ વ્યક્તિના નાના ભાઈએ જણાવ્યું કે, તે ચૈત્ર નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી શિવ ભક્તિમાં મગ્ન હતો. પોતાની ઈચ્છા પૂરી કરવા માટે તેણે ભયજનક પગલું ભર્યું. હવે તે કંઈ બોલી શકે તેવી હાલતમાં નથી. તે માનસિક રીતે થોડો નબળો છે. થોડા વર્ષો પહેલા તેની સારવાર પણ કરવામાં આવી હતી.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, તે વ્યક્તિ ફૂલ રોપવાના વાસણો બનાવતો હતો. તેની પહેલી પત્ની તેને છોડીને ચાલી ગઈ છે અને તેની બીજી પત્ની મૂંગી છે. હાલ ઘાયલ વ્યક્તિની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ આ મામલાને અંધશ્રદ્ધાનો મામલો માની રહી છે. ETV ભારત આવી અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી. અંધશ્રદ્ધાના આવા કૃત્યોને પ્રોત્સાહિત ન કરવા પ્રેક્ષકોને અપીલ છે.

  1. મતદાન છે કે મજાક, મહિસાગર જિલ્લામાં બુથ કેપ્ચરિંગની ઘટનાથી રાજકારણમાં ખળભળાટ - lok sabha election 2024
  2. બારી, ધોલપુરમાં નિર્માણાધીન મકાનની છત ધરાશાયી થતાં 2 મજૂરોના મોત - collapsed in dholpur

દુર્ગઃ દુર્ગ જિલ્લામાં 35 વર્ષના એક વ્યક્તિએ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે પોતાની જીભ કાપીને મંદિરમાં ચડાવી દીધી. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ અને ગ્રામજનોની મદદથી વ્યક્તિને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન અંજોરા પોલીસ ચોકીએ આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ જીવલેણ પગલાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

જાણો શું છે સમગ્ર ધટનાઃ વાસ્તવમાં આ સમગ્ર મામલો દુર્ગ જિલ્લાના અંજોરા ચોકીનો છે. અહીંના થાનૌડ ગામમાં રહેતા એક વ્યક્તિએ ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે ભયંકર પગલું ભર્યું છે. આ ઘટનાની જાણ થતાં સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. ગામલોકોએ પોલીસને જાણ કરી, જે બાદ પોલીસે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ વ્યક્તિની સારવાર ચાલી રહી છે.

વ્યક્તિની હાલત નાજુક: આ સમગ્ર મામલે ઘાયલ વ્યક્તિના નાના ભાઈએ જણાવ્યું કે, તે ચૈત્ર નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી શિવ ભક્તિમાં મગ્ન હતો. પોતાની ઈચ્છા પૂરી કરવા માટે તેણે ભયજનક પગલું ભર્યું. હવે તે કંઈ બોલી શકે તેવી હાલતમાં નથી. તે માનસિક રીતે થોડો નબળો છે. થોડા વર્ષો પહેલા તેની સારવાર પણ કરવામાં આવી હતી.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, તે વ્યક્તિ ફૂલ રોપવાના વાસણો બનાવતો હતો. તેની પહેલી પત્ની તેને છોડીને ચાલી ગઈ છે અને તેની બીજી પત્ની મૂંગી છે. હાલ ઘાયલ વ્યક્તિની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ આ મામલાને અંધશ્રદ્ધાનો મામલો માની રહી છે. ETV ભારત આવી અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી. અંધશ્રદ્ધાના આવા કૃત્યોને પ્રોત્સાહિત ન કરવા પ્રેક્ષકોને અપીલ છે.

  1. મતદાન છે કે મજાક, મહિસાગર જિલ્લામાં બુથ કેપ્ચરિંગની ઘટનાથી રાજકારણમાં ખળભળાટ - lok sabha election 2024
  2. બારી, ધોલપુરમાં નિર્માણાધીન મકાનની છત ધરાશાયી થતાં 2 મજૂરોના મોત - collapsed in dholpur
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.