ETV Bharat / bharat

ઈનાડુ સુવર્ણ જયંતી: સામાજિક જવાબદારીનું પ્રતીક અને કુદરતી આફત સમયે તારણહાર - eenadu golden jubilee

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 10, 2024, 8:03 AM IST

તેલુગુ અખબાર ઈનાડુ આજે 10 ઓગસ્ટ 2024ના રોજ 50 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. અખબારે માત્ર લોકોના ઘર સુધી માહિતી પહોંચાડવામાં જ નહીં પરંતુ કુદરતી આફતો દરમિયાન જરૂરિયાતમંદ અને પીડિત લોકોને મદદ કરવામાં પણ ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી હતી. ગ્રૂપના પ્રમુખ રામોજી રાવના નેતૃત્વ હેઠળ, ઈનાડુએ એક શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે પ્રેરિત ચળવળો દ્વારા તેની સામાજિક જવાબદારી પણ નિભાવી છે. eenadu golden jubilee

તેલુગુ અખબાર ઈનાડુના 50 વર્ષ પૂર્ણ
તેલુગુ અખબાર ઈનાડુના 50 વર્ષ પૂર્ણ (Etv Bharat)

હૈદરાબાદ: એક અખબારે માત્ર સમાચાર પ્રદાતાની ભૂમિકા સુધી મર્યાદિત ન રહેવું જોઈએ, પરંતુ તેને કોઈ આંદોલનની શૂન્યતા પણ ભરવી જોઈએ, આફતોમાં મદદ કરવી જોઈએ અને જો જરૂરી હોય તો નેતૃત્વ પણ કરવું જોઈએ. આ ઈનાડુનું સૂત્ર અને નીતિ છે, જે 2024માં તેના 50 વર્ષની ઉજવણી કરી રહી છે. ઈનાડુના શબ્દો લોક આંદોલનમાં પ્રાણ ફુંકે છે. જ્યારે કોઈ દિશા નથી હોતી, ત્યારે તે માર્ગ બતાવે છે. જો કોઈ નાગરિકો પીડિત છે તો તે માનવતા દર્શાવે છે. જો લોકો ભૂખે મરતા હોય તો તે અન્ન આપે છે. આવી જવાબદારીઓ બીજા બધા પર ભારે પડે છે. માત્ર શબ્દોથી જ નહીં, પરંતુ કરોડો રૂપિયાના રાહત ભંડોળથી ઈનાડુ જરૂરિયાતમંદો માટે મસીહા બની ગયું!

આફતના સમયમાં ઈનાડુ જરૂરિયાતમંદોની વ્હારે
આફતના સમયમાં ઈનાડુ જરૂરિયાતમંદોની વ્હારે (Etv Bharat)

ઈનાડુની દૃષ્ટિએ અખબારોનું કર્તવ્ય માત્ર સમકાલીન સમાચારોનું પ્રકાશન જ નહીં પણ સામાજિક જવાબદારી પણ છે. પાંચ દાયકાઓથી, ઈનાડુ માત્ર અક્ષરોમાં જ નહીં પરંતુ વ્યવહારમાં પણ આ પ્રમાણિકતા દર્શાવે છે. 1976ની વાત છે જ્યારે ઈનાડુ માત્ર બે વર્ષ થયાં હતાં, તેલુગુની ધરતી પર સતત ત્રણ વાવાઝોડાં ત્રાટક્યા, જેના કારણે લોકોને ભારે નુકસાન થયું હતું.

વાવાઝોડાને કારણે લાખો એકર પાક નાશ પામ્યો હતો અને તેના કારણે લોકોની આંખમાંથી આંસુ સુકાતા ન હતાં. આ દરમિયાન સર્વસ્વ ગુમાવનારાઓની ચીસો સાંભળીને ઈનાડુ ભાવુક થઈ ગયું હતું. થોડા દિવસોમાં તોફાન પીડિતો માટે 10,000 રૂપિયાની રકમથી રાહત ફંડ શરૂ કરવામાં આવ્યું હતું. લોકોને એ પણ સમજાવવામાં આવ્યું હતું કે બને એટલી મદદ કરવી જોઈએ. ઈનાડુના આહવાન પર તેલુગુ વાચકોએ પોતાનું ઉદાર દિલ દાખવ્યું અને એક મહિનામાં લગભગ 64,756 રૂપિયાનું દાન એકત્ર કરવામાં આવ્યું. ઈનાડુએ તે રકમ સરકારને આપી હતી.

પૂર પીડિતો માટે ઈનાડૂએ લોકો માટે બનાવ્યા આવાસ
પૂર પીડિતો માટે ઈનાડૂએ લોકો માટે બનાવ્યા આવાસ (Etv Bharat)

1977માં દિવિસીમા પૂર પીડિતોની મદદે

ઈનાડુએ 1977માં દિવિસીમા પૂરના પીડિતોને મદદ કરી હતી. આ દુર્ઘટનામાં હજારો લોકોએ પોતાના ઘર ગુમાવ્યા હતાં ને તેમની પાસે ભોજન હતું કે ન તો પહેરવા માટે કપડાં. આવી સ્થિતિમાં, તેમની મદદ કરવા માટે, Eenadu દ્વારા 25,000 રૂપિયાનું રાહત ફંડ શરૂ કરવામાં આવ્યું હતું. વાચકોની ઉદારતાને કારણે, ઈનાડુએ કુલ 3,73,927 રૂપિયા એકત્રિત કર્યા. આની મદદથી વેરાન થયેલું પલકાયથિપ્પા ગામને પુનર્જીવિત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે રામકૃષ્ણ મિશનની મદદથી 112 ઘરો બનાવ્યા અને આ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા ગામને પરમહંસપુરમ નામ આપવામાં આવ્યું.

ગામના પુનઃનિર્માણ પછી બચેલા પૈસાથી કોડુર નજીક કૃષ્ણપુરમમાં 22 વધુ મકાનો બાંધવામાં આવ્યા. તે દિવસની આપત્તિના ભોગ બનેલા અને ભૂખથી મરી રહેલા લોકોને અન્ન-પાણી પૂરૂ પાડવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, 50 હજાર લોકોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિશાખાપટ્ટનમમાં ડોલ્ફિન હોટલના પરિસરમાં ભોજન બનાવવામાં આવ્યું હતું અને ઈનાડુ ગ્રુપના કર્મચારીઓ દ્વારા આ ભોજન પીડિતોને પહોંચાડવામાં આવ્યું હતું. ઈનાડુના માનવતાવાદી કાર્ય માટે તેમની ખુબ સરાહના કરવામાં આવી હતી.

કુદરતી આફતોમાં સર્વસ્વ ગુમાવનારા લોકો માટે ઈનાડૂએ લોકો માટે બનાવ્યા આવાસ
કુદરતી આફતોમાં સર્વસ્વ ગુમાવનારા લોકો માટે ઈનાડૂએ લોકો માટે બનાવ્યા આવાસ (Etv Bharat)

1996માં વાવાઝોડાના પીડિતોને વ્હારે

એ જ રીતે, 1996 માં, એક ચક્રવાતે ઓક્ટોબરમાં પ્રકાશમ, નેલ્લોર, કડ્ડાપ્પા જિલ્લાઓમાં અને નવેમ્બરમાં ગોદાવરી જિલ્લામાં વિનાશ વેર્યો હતો. આ વખતે ઈનાડુએ 25 લાખ રૂપિયાનું રાહત ફંડ શરૂ કર્યું અને આ વખતે દયાળુ લોકોના સમર્થનથી કુલ 60 લાખ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા. ઈનાડુએ નક્કી કર્યું કે આ ભંડોળનો મોટાભાગ પૂર પીડિતો માટે ઉપયોગ કરવો જોઈએ. તેમણે સૂર્યા ભવનો બાંધવાનું નક્કી કર્યું, જેનો ઉપયોગ વાવાઝોડા દરમિયાન રાહત આશ્રયસ્થાનો તરીકે અને સામાન્ય દિવસોમાં શાળા તરીકે થઈ શકે. 'ઈનાડુ' ટીમોએ આવી ઈમારતો માટે જરૂરિયાતમંદ ગામોમાં શોધ કરી. માત્ર બે મહિનામાં જ 60 ગામોમાં આ ઈમારતોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું. ઈનાડુના આહ્વાન પર ફરી દાતાઓએ સિમેન્ટ, લોખંડ, ધાતુ અને રેતી પણ દાનમાં આપી હતી.

તંત્રી-વડાપાલેમ ગામમાં 80 મકાનો બનાવ્યા

ઑક્ટોબર 2009માં, કુરનૂલ અને મહબૂબનગરમાં તાત્કાલિક રાહત તરીકે લગભગ 1.20 લાખ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પીડિતોની જઠરાગ્ની ઠારવામાં આવી હતી. દાતાઓ પાસેથી મળેલા દાનમાંથી રૂ. 6.05 કરોડનું રાહત ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. તે પૈસાથી, મહબૂબનગર જિલ્લાના 1,110 હેન્ડલૂમ પરિવારોને લૂમ્સ આપવામાં આવી હતી. કુરનૂલ જિલ્લામાં 'ઉશોદય સ્કૂલ ભવન' બાંધવામાં આવ્યું હતું અને સરકારને સોંપવામાં આવી. એ જ રીતે, રૂ. 6.16 કરોડના કુલ સહાય ભંડોળથી, વિશાખાપટ્ટનમ જિલ્લાના તંત્રી-વડાપાલેમ ગામમાં 80 ઘરો, શ્રીકાકુલમ જિલ્લાના જૂના મેઘવરમમાં 36 ઘરો અને ઉમ્મીલાડામાં 28 મકાનો બાંધવામાં આવ્યા હતા.

કોરોના દરમિયાન સીએમ રિલીફ ફંડમાં રૂ. 20 કરોડનું દાન

2020માં જ્યારે ભારે વરસાદને કારણે તેલંગાણાને ભારે નુકસાન થયું હતું, ત્યારે ઈનાડુ ગ્રુપે મુખ્યમંત્રી રાહત ફંડમાં 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું! 2020માં કોરોના આપત્તિ દરમિયાન, CM રાહત ફંડ દ્વારા તેલુગુ રાજ્યોને 10 કરોડ રૂપિયા અલગથી દાન કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, રામોજી ફાઉન્ડેશન દ્વારા કૃષ્ણા જિલ્લાના પેડાપારુપુડી અને રંગા રેડ્ડી જિલ્લાના નાગનાપલ્લીને દત્તક લેવામાં આવ્યું.

5 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમનું નિર્માણ

રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવે 5 કરોડ રૂપિયાના ખર્ચે વૃદ્ધાશ્રમ બનાવ્યું અને ખેડૂતોને આશ્રય આપ્યો છે. આ માટે તેમણે 10 લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી હતી. તેમજ વાચકો અને દાતાઓના સહયોગથી 45,83,148 રૂપિયા એકત્ર થયા હતા. તે પૈસાથી રામકૃષ્ણ મિશન દ્વારા જગતસિંહપુર જિલ્લાના કોનાગુલ્લી ગામમાં 60 ઘરો બનાવવામાં આવ્યા હતા. 2001માં, ઈનાડુએ ભૂકંપથી પ્રભાવિત ગુજરાત માટે 25 લાખ રૂપિયાનું રાહત ફંડ શરૂ કર્યું. માનવતાવાદીઓ પાસેથી દાનમાંથી રૂ. 2.12 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્વામી નારાયણ ટ્રસ્ટ દ્વારા 104 મકાનો બનાવવામાં આવ્યા અને બેઘર લોકોને આશ્રય આપવામાં આવ્યો છે.

2004માં, સુનામીની આફતથી પીડિત તમિલનાડુમાં પણ ઈનાડૂએ પોતાના લોકોની મદદ કરી અને 25 લાખ રૂપિયાથી રાહત ફંડ શરૂ કર્યું. દાતાઓની મદદથી આ ફંડ 2.5 કરોડ રૂપિયાનું થયું. રામકૃષ્ણ મઠની મદદથી કુડ્ડાલોર જિલ્લાના વડુક્કુ મુદુસલ ઓડાઈ ગામમાં 104 ઘરો બનાવવામાં આવ્યા હતા અને નાગપટ્ટિનમ જિલ્લાના નામ્બિયાર નગરમાં 60 પરિવારોને ઘર આપવામાં આવ્યા હતા.

કેરળ પૂર પીડિતો માટે મદદે

2018માં કેરળના પૂર પીડિતોની મદદ માટે 3 કરોડ રૂપિયાનું રાહત ફંડ શરૂ કરવામાં આવ્યું હતું. દાતાઓની મદદથી 7 કરોડ 77 લાખ રૂપિયા એકત્ર થયા હતા. તે પૈસાથી ઈનાડુએ પાકા મકાનો બનાવ્યા અને પૂર પીડિતોની મદદ માટે ઉભા થયા. પ્રાદેશિક અખબાર તરીકે જન્મેલા ઈનાડુએ સેવાના નારા સાથે સમગ્ર દેશમાં માનવતાની સુવાસ ફેલાવી.

ઈનાડુ દ્વારા શ્રમદાનોદ્યમનું આયોજન

1995માં ઈનાડુ હેઠળ શ્રમદાનોદ્યમનું આયોજન કરવામાં આવ્યું હતું, એ વિચારધારા સાથે કે કોઈની મદદની રાહ જોયા વગર લોકોએ પોતાની સમસ્યાઓનો જાતે જ ઉકેલ લાવવો જોઈએ. ઈનાડુના આહ્વાનથી તેલુગુ લોકો પ્રભાવિત થયા. પરિણામે ગામડાઓમાં રસ્તાઓ બન્યા, પુલોનું નિર્માણ થયું, નહેરોને નવી કળા મળી. ઈનાડુ દ્વારા હાથ ધરવામાં આવેલા જલયજ્ઞએ ઘણા તળાવોને જીવનદાન આપ્યું છે. વનયજ્ઞ હજુ પણ ઘણા લોકોને મદદ કરી રહ્યો છે. 2016માં, ઈનાડુએ ભૂગર્ભજળ રિચાર્જ કરવા માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની હાકલ કરી હતી. Eenadu-ETV એ સુજલામ-સુફલામ કાર્યક્રમ સાથે લોકોને સમાજ સેવામાં જોડ્યા છે. વડાપ્રધાન મોદીએ તેમના મન કી બાત રેડિયો સંબોધનમાં લાખો કુવાઓ ખોદવા અને જળ સંરક્ષણ યજ્ઞ કરવા બદલ ઈનાડુની પ્રશંસા પણ કરી હતી.

સમાચાર સમસ્યાઓ હલ કરી શકે છે અને જીવનને આકાર આપી શકે છે. 'ઈનાડુ'ની શબ્દોના કારણે ઘણા લોકોના જીવનમાં નવો પ્રકાશ આવ્યો છે. બેરોજગારોએ ફીની સમસ્યા ઉકેલી છે અને અસાધ્ય દર્દીઓએ પુનર્જન્મ લીધો છે, Eenaduની પહેલને કારણે, ઘણી વસ્તુઓ શક્ય બની છે જે અશક્ય માનવામાં આવતી હતી. તેના શબ્દોએ હજારો પરિવારોને પ્રકાશ આપ્યો છે. ઘણી પ્રેરણાદાયી વાર્તાઓએ આવનારી પેઢીઓને નવો માર્ગ બતાવ્યો છે અને તેમનામાં નવી કલ્પના જગાવી છે. રામોજી રાવના નિર્દેશો એવા સમાચારોને પ્રાધાન્ય આપવાનું છે જે પીડિત લોકોને મદદ કરે છે. ઈનાડુની વાર્તાઓએ સિવિલ સર્વિસીસ અને ગ્રુપ પરીક્ષાઓના વિજેતાઓને પ્રેરણા આપી. ઈનાડુના શબ્દો પ્રકાશના કિરણોની જેમ કાર્ય કરે છે જે હંમેશા માટે ફેલાતા રહે છે.

  1. રામોજી રાવ: એક એવું વ્યક્તિત્વ જે અસંખ્ય લોકોને અભૂતપૂર્વ ઊંચાઈ પર લઈ ગયા - TRIBUTE TO RAMOJI RAO
  2. કોણ હતા રામોજી રાવ ? જેમણે દુનિયાની સૌથી મોટી ફિલ્મ સિટી બનાવી - ramoji rao passes away

હૈદરાબાદ: એક અખબારે માત્ર સમાચાર પ્રદાતાની ભૂમિકા સુધી મર્યાદિત ન રહેવું જોઈએ, પરંતુ તેને કોઈ આંદોલનની શૂન્યતા પણ ભરવી જોઈએ, આફતોમાં મદદ કરવી જોઈએ અને જો જરૂરી હોય તો નેતૃત્વ પણ કરવું જોઈએ. આ ઈનાડુનું સૂત્ર અને નીતિ છે, જે 2024માં તેના 50 વર્ષની ઉજવણી કરી રહી છે. ઈનાડુના શબ્દો લોક આંદોલનમાં પ્રાણ ફુંકે છે. જ્યારે કોઈ દિશા નથી હોતી, ત્યારે તે માર્ગ બતાવે છે. જો કોઈ નાગરિકો પીડિત છે તો તે માનવતા દર્શાવે છે. જો લોકો ભૂખે મરતા હોય તો તે અન્ન આપે છે. આવી જવાબદારીઓ બીજા બધા પર ભારે પડે છે. માત્ર શબ્દોથી જ નહીં, પરંતુ કરોડો રૂપિયાના રાહત ભંડોળથી ઈનાડુ જરૂરિયાતમંદો માટે મસીહા બની ગયું!

આફતના સમયમાં ઈનાડુ જરૂરિયાતમંદોની વ્હારે
આફતના સમયમાં ઈનાડુ જરૂરિયાતમંદોની વ્હારે (Etv Bharat)

ઈનાડુની દૃષ્ટિએ અખબારોનું કર્તવ્ય માત્ર સમકાલીન સમાચારોનું પ્રકાશન જ નહીં પણ સામાજિક જવાબદારી પણ છે. પાંચ દાયકાઓથી, ઈનાડુ માત્ર અક્ષરોમાં જ નહીં પરંતુ વ્યવહારમાં પણ આ પ્રમાણિકતા દર્શાવે છે. 1976ની વાત છે જ્યારે ઈનાડુ માત્ર બે વર્ષ થયાં હતાં, તેલુગુની ધરતી પર સતત ત્રણ વાવાઝોડાં ત્રાટક્યા, જેના કારણે લોકોને ભારે નુકસાન થયું હતું.

વાવાઝોડાને કારણે લાખો એકર પાક નાશ પામ્યો હતો અને તેના કારણે લોકોની આંખમાંથી આંસુ સુકાતા ન હતાં. આ દરમિયાન સર્વસ્વ ગુમાવનારાઓની ચીસો સાંભળીને ઈનાડુ ભાવુક થઈ ગયું હતું. થોડા દિવસોમાં તોફાન પીડિતો માટે 10,000 રૂપિયાની રકમથી રાહત ફંડ શરૂ કરવામાં આવ્યું હતું. લોકોને એ પણ સમજાવવામાં આવ્યું હતું કે બને એટલી મદદ કરવી જોઈએ. ઈનાડુના આહવાન પર તેલુગુ વાચકોએ પોતાનું ઉદાર દિલ દાખવ્યું અને એક મહિનામાં લગભગ 64,756 રૂપિયાનું દાન એકત્ર કરવામાં આવ્યું. ઈનાડુએ તે રકમ સરકારને આપી હતી.

પૂર પીડિતો માટે ઈનાડૂએ લોકો માટે બનાવ્યા આવાસ
પૂર પીડિતો માટે ઈનાડૂએ લોકો માટે બનાવ્યા આવાસ (Etv Bharat)

1977માં દિવિસીમા પૂર પીડિતોની મદદે

ઈનાડુએ 1977માં દિવિસીમા પૂરના પીડિતોને મદદ કરી હતી. આ દુર્ઘટનામાં હજારો લોકોએ પોતાના ઘર ગુમાવ્યા હતાં ને તેમની પાસે ભોજન હતું કે ન તો પહેરવા માટે કપડાં. આવી સ્થિતિમાં, તેમની મદદ કરવા માટે, Eenadu દ્વારા 25,000 રૂપિયાનું રાહત ફંડ શરૂ કરવામાં આવ્યું હતું. વાચકોની ઉદારતાને કારણે, ઈનાડુએ કુલ 3,73,927 રૂપિયા એકત્રિત કર્યા. આની મદદથી વેરાન થયેલું પલકાયથિપ્પા ગામને પુનર્જીવિત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે રામકૃષ્ણ મિશનની મદદથી 112 ઘરો બનાવ્યા અને આ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા ગામને પરમહંસપુરમ નામ આપવામાં આવ્યું.

ગામના પુનઃનિર્માણ પછી બચેલા પૈસાથી કોડુર નજીક કૃષ્ણપુરમમાં 22 વધુ મકાનો બાંધવામાં આવ્યા. તે દિવસની આપત્તિના ભોગ બનેલા અને ભૂખથી મરી રહેલા લોકોને અન્ન-પાણી પૂરૂ પાડવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, 50 હજાર લોકોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિશાખાપટ્ટનમમાં ડોલ્ફિન હોટલના પરિસરમાં ભોજન બનાવવામાં આવ્યું હતું અને ઈનાડુ ગ્રુપના કર્મચારીઓ દ્વારા આ ભોજન પીડિતોને પહોંચાડવામાં આવ્યું હતું. ઈનાડુના માનવતાવાદી કાર્ય માટે તેમની ખુબ સરાહના કરવામાં આવી હતી.

કુદરતી આફતોમાં સર્વસ્વ ગુમાવનારા લોકો માટે ઈનાડૂએ લોકો માટે બનાવ્યા આવાસ
કુદરતી આફતોમાં સર્વસ્વ ગુમાવનારા લોકો માટે ઈનાડૂએ લોકો માટે બનાવ્યા આવાસ (Etv Bharat)

1996માં વાવાઝોડાના પીડિતોને વ્હારે

એ જ રીતે, 1996 માં, એક ચક્રવાતે ઓક્ટોબરમાં પ્રકાશમ, નેલ્લોર, કડ્ડાપ્પા જિલ્લાઓમાં અને નવેમ્બરમાં ગોદાવરી જિલ્લામાં વિનાશ વેર્યો હતો. આ વખતે ઈનાડુએ 25 લાખ રૂપિયાનું રાહત ફંડ શરૂ કર્યું અને આ વખતે દયાળુ લોકોના સમર્થનથી કુલ 60 લાખ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા. ઈનાડુએ નક્કી કર્યું કે આ ભંડોળનો મોટાભાગ પૂર પીડિતો માટે ઉપયોગ કરવો જોઈએ. તેમણે સૂર્યા ભવનો બાંધવાનું નક્કી કર્યું, જેનો ઉપયોગ વાવાઝોડા દરમિયાન રાહત આશ્રયસ્થાનો તરીકે અને સામાન્ય દિવસોમાં શાળા તરીકે થઈ શકે. 'ઈનાડુ' ટીમોએ આવી ઈમારતો માટે જરૂરિયાતમંદ ગામોમાં શોધ કરી. માત્ર બે મહિનામાં જ 60 ગામોમાં આ ઈમારતોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું. ઈનાડુના આહ્વાન પર ફરી દાતાઓએ સિમેન્ટ, લોખંડ, ધાતુ અને રેતી પણ દાનમાં આપી હતી.

તંત્રી-વડાપાલેમ ગામમાં 80 મકાનો બનાવ્યા

ઑક્ટોબર 2009માં, કુરનૂલ અને મહબૂબનગરમાં તાત્કાલિક રાહત તરીકે લગભગ 1.20 લાખ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પીડિતોની જઠરાગ્ની ઠારવામાં આવી હતી. દાતાઓ પાસેથી મળેલા દાનમાંથી રૂ. 6.05 કરોડનું રાહત ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. તે પૈસાથી, મહબૂબનગર જિલ્લાના 1,110 હેન્ડલૂમ પરિવારોને લૂમ્સ આપવામાં આવી હતી. કુરનૂલ જિલ્લામાં 'ઉશોદય સ્કૂલ ભવન' બાંધવામાં આવ્યું હતું અને સરકારને સોંપવામાં આવી. એ જ રીતે, રૂ. 6.16 કરોડના કુલ સહાય ભંડોળથી, વિશાખાપટ્ટનમ જિલ્લાના તંત્રી-વડાપાલેમ ગામમાં 80 ઘરો, શ્રીકાકુલમ જિલ્લાના જૂના મેઘવરમમાં 36 ઘરો અને ઉમ્મીલાડામાં 28 મકાનો બાંધવામાં આવ્યા હતા.

કોરોના દરમિયાન સીએમ રિલીફ ફંડમાં રૂ. 20 કરોડનું દાન

2020માં જ્યારે ભારે વરસાદને કારણે તેલંગાણાને ભારે નુકસાન થયું હતું, ત્યારે ઈનાડુ ગ્રુપે મુખ્યમંત્રી રાહત ફંડમાં 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું! 2020માં કોરોના આપત્તિ દરમિયાન, CM રાહત ફંડ દ્વારા તેલુગુ રાજ્યોને 10 કરોડ રૂપિયા અલગથી દાન કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, રામોજી ફાઉન્ડેશન દ્વારા કૃષ્ણા જિલ્લાના પેડાપારુપુડી અને રંગા રેડ્ડી જિલ્લાના નાગનાપલ્લીને દત્તક લેવામાં આવ્યું.

5 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમનું નિર્માણ

રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવે 5 કરોડ રૂપિયાના ખર્ચે વૃદ્ધાશ્રમ બનાવ્યું અને ખેડૂતોને આશ્રય આપ્યો છે. આ માટે તેમણે 10 લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી હતી. તેમજ વાચકો અને દાતાઓના સહયોગથી 45,83,148 રૂપિયા એકત્ર થયા હતા. તે પૈસાથી રામકૃષ્ણ મિશન દ્વારા જગતસિંહપુર જિલ્લાના કોનાગુલ્લી ગામમાં 60 ઘરો બનાવવામાં આવ્યા હતા. 2001માં, ઈનાડુએ ભૂકંપથી પ્રભાવિત ગુજરાત માટે 25 લાખ રૂપિયાનું રાહત ફંડ શરૂ કર્યું. માનવતાવાદીઓ પાસેથી દાનમાંથી રૂ. 2.12 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્વામી નારાયણ ટ્રસ્ટ દ્વારા 104 મકાનો બનાવવામાં આવ્યા અને બેઘર લોકોને આશ્રય આપવામાં આવ્યો છે.

2004માં, સુનામીની આફતથી પીડિત તમિલનાડુમાં પણ ઈનાડૂએ પોતાના લોકોની મદદ કરી અને 25 લાખ રૂપિયાથી રાહત ફંડ શરૂ કર્યું. દાતાઓની મદદથી આ ફંડ 2.5 કરોડ રૂપિયાનું થયું. રામકૃષ્ણ મઠની મદદથી કુડ્ડાલોર જિલ્લાના વડુક્કુ મુદુસલ ઓડાઈ ગામમાં 104 ઘરો બનાવવામાં આવ્યા હતા અને નાગપટ્ટિનમ જિલ્લાના નામ્બિયાર નગરમાં 60 પરિવારોને ઘર આપવામાં આવ્યા હતા.

કેરળ પૂર પીડિતો માટે મદદે

2018માં કેરળના પૂર પીડિતોની મદદ માટે 3 કરોડ રૂપિયાનું રાહત ફંડ શરૂ કરવામાં આવ્યું હતું. દાતાઓની મદદથી 7 કરોડ 77 લાખ રૂપિયા એકત્ર થયા હતા. તે પૈસાથી ઈનાડુએ પાકા મકાનો બનાવ્યા અને પૂર પીડિતોની મદદ માટે ઉભા થયા. પ્રાદેશિક અખબાર તરીકે જન્મેલા ઈનાડુએ સેવાના નારા સાથે સમગ્ર દેશમાં માનવતાની સુવાસ ફેલાવી.

ઈનાડુ દ્વારા શ્રમદાનોદ્યમનું આયોજન

1995માં ઈનાડુ હેઠળ શ્રમદાનોદ્યમનું આયોજન કરવામાં આવ્યું હતું, એ વિચારધારા સાથે કે કોઈની મદદની રાહ જોયા વગર લોકોએ પોતાની સમસ્યાઓનો જાતે જ ઉકેલ લાવવો જોઈએ. ઈનાડુના આહ્વાનથી તેલુગુ લોકો પ્રભાવિત થયા. પરિણામે ગામડાઓમાં રસ્તાઓ બન્યા, પુલોનું નિર્માણ થયું, નહેરોને નવી કળા મળી. ઈનાડુ દ્વારા હાથ ધરવામાં આવેલા જલયજ્ઞએ ઘણા તળાવોને જીવનદાન આપ્યું છે. વનયજ્ઞ હજુ પણ ઘણા લોકોને મદદ કરી રહ્યો છે. 2016માં, ઈનાડુએ ભૂગર્ભજળ રિચાર્જ કરવા માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની હાકલ કરી હતી. Eenadu-ETV એ સુજલામ-સુફલામ કાર્યક્રમ સાથે લોકોને સમાજ સેવામાં જોડ્યા છે. વડાપ્રધાન મોદીએ તેમના મન કી બાત રેડિયો સંબોધનમાં લાખો કુવાઓ ખોદવા અને જળ સંરક્ષણ યજ્ઞ કરવા બદલ ઈનાડુની પ્રશંસા પણ કરી હતી.

સમાચાર સમસ્યાઓ હલ કરી શકે છે અને જીવનને આકાર આપી શકે છે. 'ઈનાડુ'ની શબ્દોના કારણે ઘણા લોકોના જીવનમાં નવો પ્રકાશ આવ્યો છે. બેરોજગારોએ ફીની સમસ્યા ઉકેલી છે અને અસાધ્ય દર્દીઓએ પુનર્જન્મ લીધો છે, Eenaduની પહેલને કારણે, ઘણી વસ્તુઓ શક્ય બની છે જે અશક્ય માનવામાં આવતી હતી. તેના શબ્દોએ હજારો પરિવારોને પ્રકાશ આપ્યો છે. ઘણી પ્રેરણાદાયી વાર્તાઓએ આવનારી પેઢીઓને નવો માર્ગ બતાવ્યો છે અને તેમનામાં નવી કલ્પના જગાવી છે. રામોજી રાવના નિર્દેશો એવા સમાચારોને પ્રાધાન્ય આપવાનું છે જે પીડિત લોકોને મદદ કરે છે. ઈનાડુની વાર્તાઓએ સિવિલ સર્વિસીસ અને ગ્રુપ પરીક્ષાઓના વિજેતાઓને પ્રેરણા આપી. ઈનાડુના શબ્દો પ્રકાશના કિરણોની જેમ કાર્ય કરે છે જે હંમેશા માટે ફેલાતા રહે છે.

  1. રામોજી રાવ: એક એવું વ્યક્તિત્વ જે અસંખ્ય લોકોને અભૂતપૂર્વ ઊંચાઈ પર લઈ ગયા - TRIBUTE TO RAMOJI RAO
  2. કોણ હતા રામોજી રાવ ? જેમણે દુનિયાની સૌથી મોટી ફિલ્મ સિટી બનાવી - ramoji rao passes away
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.