ETV Bharat / bharat

દુષ્કર્મના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટેની ટિપ્પણી, જાતીય ગુનાઓમાં હંમેશા પુરુષ દોષિત નથી હોતો - Allahabad High Court

પ્રયાગરાજની એક યુવતીએ લગ્નનું ખોટું વચન આપીને દુષ્કર્મ આચર્યુ હોય તેવો કેસ યુવક સામે નોંધાવ્યો હતો. એસસી/એસટી એક્ટની વિશેષ અદાલતે આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. આ નિર્ણય સામે યુવતીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 14, 2024, 4:47 PM IST

અલ્હાબાદ હાઈકોર્ટે
અલ્હાબાદ હાઈકોર્ટે (Etv Bharat)

પ્રયાગરાજઃ એક યુવતીએ લગ્નનું ખોટું વચન આપીને દુષ્કર્મ આચર્યુ હોય તેવો એક યુવક વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ મામલો અલ્હાબાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટે ગુરૂવારે આરોપીને નિર્દોષ છોડવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. આ મામલે હાઈકોર્ટે પણ આકરી ટીપ્પણી કરી હતી. HC એ કહ્યું કે, મહિલાઓ સામે થતા જાતીય અપરાધોથી સંબંધિત કાયદાઓ મહિલા કેન્દ્રિત છે, પરંતુ જરૂરી નથી કે આવા દરેક કેસમાં પુરુષ જ દોષિત હોય. આ સ્થિતિમાં પુરાવા રજૂ કરવાની જવાબદારી સ્ત્રી અને પુરુષ બંનેની છે.

હાઈકોર્ટે કહ્યું કે, એવી કોઈ સીધી ફોર્મ્યુલા નથી કે જેના દ્વારા એ નક્કી કરી શકાય કે પીડિતા સાથેના જાતીય સંબંધો ખોટા વચનના આધારે બન્યા છે કે બંનેની સંમતિથી બન્યા છે. દરેક કેસના તથ્યોનું વિશ્લેષણ કરીને જ આ નિર્ણય લઈ શકાય છે. જસ્ટિસ રાહુલ ચતુર્વેદી અને જસ્ટિસ નંદ પ્રભા શુક્લાની ડિવિઝન બેન્ચે આરોપીને નિર્દોષ છોડવાના આદેશ સામે પીડિતાની અપીલને ફગાવી દેતા આ નિર્ણય આપ્યો હતો.

આ મામલો પ્રયાગરાજના કર્નલગંજનો છે. 2019માં પીડિત યુવતીએ યુવક વિરુદ્ધ લગ્નનું ખોટું વચન આપી દુષ્કર્મ આચરવા, SC/ST એક્ટ સહિત અન્ય કેસના મામલામાં દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો. SC/ST એક્ટની વિશેષ અદાલતે 08 ફેબ્રુઆરી 2024 ના આદેશ દ્વારા, આરોપીને તમામ ગંભીર આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો છે. યુવકને માત્ર મારપીટના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે અને 6 મહિનાની કેદ અને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પીડિતાએ આ આદેશ સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ટ્રાયલ કોર્ટના નિર્ણય અને ઉપલબ્ધ પુરાવાના આધારે જાણવા મળ્યું કે, પીડિતાએ 2010માં એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. બે વર્ષ પછી તે તેના પતિથી અલગ થઈ ગઈ. પરંતુ તેના પતિને છૂટાછેડા આપ્યા ન હતા. તેથી લગ્ન હજુ પણ અકબંધ છે. આવી સ્થિતિમાં, લગ્નનું કોઈ વચન પોતે સ્વીકાર્ય નથી.

કોર્ટે કહ્યું કે, તે સરળતાથી અનુમાન લગાવી શકાય છે કે એક મહિલા જે પહેલેથી પરિણીત છે. તેણીએ છૂટાછેડા લીધા વિના, કોઈ વાંધો કે ખચકાટ વગર 2014 થી 2019 એમ પાંચ વર્ષ સુધી યુવક સાથે સંબંધ જાળવી રાખ્યો. બંને અલ્હાબાદ અને લખનૌની હોટલોમાં રોકાયા છે. આવી સ્થિતિમાં કોણ કોને મૂર્ખ બનાવી રહ્યું છે તે નક્કી કરવું મુશ્કેલ છે. કોર્ટે એમ પણ કહ્યું કે, એ સ્વીકાર્ય નથી કે કોઈ મહિલા લગ્નના ખોટા વચનના બહાને આટલા લાંબા સમય સુધી સંબંધોને મંજૂરી આપતી રહી.

કોર્ટે કહ્યું કે, બંને પુખ્ત વયના છે અને તેઓ લગ્ન પહેલાના સંબંધોના પરિણામોથી વાકેફ છે. આવી સ્થિતિમાં, તે સ્વીકારી શકાય નહીં કે તેણી પર બળાત્કાર થયો હતો અથવા જાતીય સતામણી કરવામાં આવી હતી. આરોપી યુવકને નિર્દોષ છોડવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને યોગ્ય ગણીને કોર્ટે અપીલને ફગાવી દીધી હતી.

1.CM કેજરીવાલની કોર્ટ સમક્ષ માંગ, પત્ની સુનિતા મેડિકલ ચેકઅપ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહે - Arvind Kejriwal bail application

2.હવે વરસાદના જથ્થાને માપી શકાશે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવી ઓટોમેટેડ રેઈનફોલ મોનિટરિંગ સિસ્ટમ - Rainfall Monitoring System

પ્રયાગરાજઃ એક યુવતીએ લગ્નનું ખોટું વચન આપીને દુષ્કર્મ આચર્યુ હોય તેવો એક યુવક વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ મામલો અલ્હાબાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટે ગુરૂવારે આરોપીને નિર્દોષ છોડવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. આ મામલે હાઈકોર્ટે પણ આકરી ટીપ્પણી કરી હતી. HC એ કહ્યું કે, મહિલાઓ સામે થતા જાતીય અપરાધોથી સંબંધિત કાયદાઓ મહિલા કેન્દ્રિત છે, પરંતુ જરૂરી નથી કે આવા દરેક કેસમાં પુરુષ જ દોષિત હોય. આ સ્થિતિમાં પુરાવા રજૂ કરવાની જવાબદારી સ્ત્રી અને પુરુષ બંનેની છે.

હાઈકોર્ટે કહ્યું કે, એવી કોઈ સીધી ફોર્મ્યુલા નથી કે જેના દ્વારા એ નક્કી કરી શકાય કે પીડિતા સાથેના જાતીય સંબંધો ખોટા વચનના આધારે બન્યા છે કે બંનેની સંમતિથી બન્યા છે. દરેક કેસના તથ્યોનું વિશ્લેષણ કરીને જ આ નિર્ણય લઈ શકાય છે. જસ્ટિસ રાહુલ ચતુર્વેદી અને જસ્ટિસ નંદ પ્રભા શુક્લાની ડિવિઝન બેન્ચે આરોપીને નિર્દોષ છોડવાના આદેશ સામે પીડિતાની અપીલને ફગાવી દેતા આ નિર્ણય આપ્યો હતો.

આ મામલો પ્રયાગરાજના કર્નલગંજનો છે. 2019માં પીડિત યુવતીએ યુવક વિરુદ્ધ લગ્નનું ખોટું વચન આપી દુષ્કર્મ આચરવા, SC/ST એક્ટ સહિત અન્ય કેસના મામલામાં દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો. SC/ST એક્ટની વિશેષ અદાલતે 08 ફેબ્રુઆરી 2024 ના આદેશ દ્વારા, આરોપીને તમામ ગંભીર આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો છે. યુવકને માત્ર મારપીટના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે અને 6 મહિનાની કેદ અને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પીડિતાએ આ આદેશ સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ટ્રાયલ કોર્ટના નિર્ણય અને ઉપલબ્ધ પુરાવાના આધારે જાણવા મળ્યું કે, પીડિતાએ 2010માં એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. બે વર્ષ પછી તે તેના પતિથી અલગ થઈ ગઈ. પરંતુ તેના પતિને છૂટાછેડા આપ્યા ન હતા. તેથી લગ્ન હજુ પણ અકબંધ છે. આવી સ્થિતિમાં, લગ્નનું કોઈ વચન પોતે સ્વીકાર્ય નથી.

કોર્ટે કહ્યું કે, તે સરળતાથી અનુમાન લગાવી શકાય છે કે એક મહિલા જે પહેલેથી પરિણીત છે. તેણીએ છૂટાછેડા લીધા વિના, કોઈ વાંધો કે ખચકાટ વગર 2014 થી 2019 એમ પાંચ વર્ષ સુધી યુવક સાથે સંબંધ જાળવી રાખ્યો. બંને અલ્હાબાદ અને લખનૌની હોટલોમાં રોકાયા છે. આવી સ્થિતિમાં કોણ કોને મૂર્ખ બનાવી રહ્યું છે તે નક્કી કરવું મુશ્કેલ છે. કોર્ટે એમ પણ કહ્યું કે, એ સ્વીકાર્ય નથી કે કોઈ મહિલા લગ્નના ખોટા વચનના બહાને આટલા લાંબા સમય સુધી સંબંધોને મંજૂરી આપતી રહી.

કોર્ટે કહ્યું કે, બંને પુખ્ત વયના છે અને તેઓ લગ્ન પહેલાના સંબંધોના પરિણામોથી વાકેફ છે. આવી સ્થિતિમાં, તે સ્વીકારી શકાય નહીં કે તેણી પર બળાત્કાર થયો હતો અથવા જાતીય સતામણી કરવામાં આવી હતી. આરોપી યુવકને નિર્દોષ છોડવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને યોગ્ય ગણીને કોર્ટે અપીલને ફગાવી દીધી હતી.

1.CM કેજરીવાલની કોર્ટ સમક્ષ માંગ, પત્ની સુનિતા મેડિકલ ચેકઅપ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહે - Arvind Kejriwal bail application

2.હવે વરસાદના જથ્થાને માપી શકાશે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવી ઓટોમેટેડ રેઈનફોલ મોનિટરિંગ સિસ્ટમ - Rainfall Monitoring System

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.