ETV Bharat / bharat

CEC on Arun Goel : અરુણ ગોયલે અંગત કારણોસર રાજીનામું આપ્યું, તેમની ' ગોપનીયતા 'નું સન્માન કરવું જોઈએ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 16, 2024, 10:09 PM IST

થોડા દિવસ પહેલાં ચૂંટણી કમિશનર પદેથી અરુણ ગોયલના અચાનક રાજીનામું આપવા અંગે હજુ પ્રશ્નો ઉઠી રહ્યાં છે. આજે લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરવા મળેલી ચૂંટણી પંચની પ્રેસમાં પણ આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો હતો. જેને લઇને સીઈસી રાજીવકુમારે જવાબ આપ્યો હતો કે તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે, તેમની ગોપનીયતાનું સન્માન કરવું જોઈએ.

CEC on Arun Goel  : અરુણ ગોયલે અંગત કારણોસર રાજીનામું આપ્યું, તેમની ' ગોપનીયતા 'નું સન્માન કરવું જોઈએ
CEC on Arun Goel : અરુણ ગોયલે અંગત કારણોસર રાજીનામું આપ્યું, તેમની ' ગોપનીયતા 'નું સન્માન કરવું જોઈએ

નવી દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે શનિવારે અરુણ ગોયલના ચૂંટણી કમિશનર પદ પરથી અચાનક રાજીનામું આપવા પાછળના કારણને લગતા પ્રશ્નોના સીધા જવાબ આપવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે તેમની 'ગોપનીયતા'નું સન્માન કરવું જોઈએ. કુમારે લોકસભા ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સમાં પણ કહ્યું હતું કે ચૂંટણી પંચમાં અસંમતિને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અસંવેદનશીલતા ન દર્શાવવી જોઈએ : અરુણ ગોયલનો કાર્યકાળ ડિસેમ્બર 2027 સુધીનો હતો, પરંતુ તેમણે ગયા શનિવારે રાજીનામું આપી દીધું હતું. જ્યારે તેમના રાજીનામા વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાજીવ કુમારે કહ્યું, 'અરુણ અમારી ટીમના ખૂબ જ પ્રતિષ્ઠિત સભ્ય હતા. મને તેમની સાથે કામ કરવાની ખૂબ મજા આવી, પરંતુ દરેક સંસ્થામાં વ્યક્તિની ગોપનીયતાનું ધ્યાન રાખવું જરૂરી છે અને મને ખાતરી છે કે ગોપનીયતાનું ઉલ્લંઘન નહીં થાય. વ્યક્તિગત પ્રશ્નો પૂછીને અસંવેદનશીલતા ન દર્શાવવી જોઈએ.

' ગોપનીયતા 'નું સન્માન કરવું જોઈએ : રાજીવ કુમારે વધુમાં કહ્યું, 'જો તેમની પાસે પદ છોડવા પાછળ અંગત કારણો છે તો આપણે તેમનું સન્માન કરવું જોઈએ.' કોઈ સીધી ટિપ્પણી ન કરતાં સીઈસીએ કહ્યું કે ચૂંટણી પંચમાં અસંમતિને પ્રોત્સાહન આપવામાં આવે છે.

જટિલ પ્રક્રિયા : તેમણે કહ્યું, 'અમારી પાસે એક મજબૂત પરંપરા છે.ઈલેક્શન કમિશનમાં અસંમતિને પ્રોત્સાહન આપવામાં આવે છે, કારણ કે તે એક જટિલ પ્રક્રિયા છે, તેથી એક કરતાં ત્રણ અભિપ્રાય વધુ સારા છે. અમે રાતોરાત સમસ્યાઓ વિશે વિચારીએ છીએ, અમે સમય લઈએ છીએ, અમે સમાવિષ્ટ કરીએ છીએ. તમારે એવા લોકોને નજીક રાખવા જોઈએ જે તમને પડકાર આપી શકે.

બે નવા સભ્યોની નિયુક્તિ : આપને જણાવીએ કે બે દિવસ પહેલાં જ ભૂતપૂર્વ ભારતીય વહીવટી સેવા ( IAS ) અધિકારીઓ જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુને ગુરુવારે ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ તેમના નામોની ભલામણ કરી હતી.

  1. 15 માર્ચ સુધી બે ચૂંટણી કમિશનરની થઈ શકે છે નિમણૂક, રાજીવ કુમાર અને અરુણ ગોયલ વચ્ચે વિવાદના સમાચાર વચ્ચે વિપક્ષના પ્રહાર
  2. Election Commissioner Arun Goel: મુખ્ય ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામું, લોકસભા ચૂંટણી પહેલાં મોટો નિર્ણય

નવી દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે શનિવારે અરુણ ગોયલના ચૂંટણી કમિશનર પદ પરથી અચાનક રાજીનામું આપવા પાછળના કારણને લગતા પ્રશ્નોના સીધા જવાબ આપવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે તેમની 'ગોપનીયતા'નું સન્માન કરવું જોઈએ. કુમારે લોકસભા ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સમાં પણ કહ્યું હતું કે ચૂંટણી પંચમાં અસંમતિને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અસંવેદનશીલતા ન દર્શાવવી જોઈએ : અરુણ ગોયલનો કાર્યકાળ ડિસેમ્બર 2027 સુધીનો હતો, પરંતુ તેમણે ગયા શનિવારે રાજીનામું આપી દીધું હતું. જ્યારે તેમના રાજીનામા વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાજીવ કુમારે કહ્યું, 'અરુણ અમારી ટીમના ખૂબ જ પ્રતિષ્ઠિત સભ્ય હતા. મને તેમની સાથે કામ કરવાની ખૂબ મજા આવી, પરંતુ દરેક સંસ્થામાં વ્યક્તિની ગોપનીયતાનું ધ્યાન રાખવું જરૂરી છે અને મને ખાતરી છે કે ગોપનીયતાનું ઉલ્લંઘન નહીં થાય. વ્યક્તિગત પ્રશ્નો પૂછીને અસંવેદનશીલતા ન દર્શાવવી જોઈએ.

' ગોપનીયતા 'નું સન્માન કરવું જોઈએ : રાજીવ કુમારે વધુમાં કહ્યું, 'જો તેમની પાસે પદ છોડવા પાછળ અંગત કારણો છે તો આપણે તેમનું સન્માન કરવું જોઈએ.' કોઈ સીધી ટિપ્પણી ન કરતાં સીઈસીએ કહ્યું કે ચૂંટણી પંચમાં અસંમતિને પ્રોત્સાહન આપવામાં આવે છે.

જટિલ પ્રક્રિયા : તેમણે કહ્યું, 'અમારી પાસે એક મજબૂત પરંપરા છે.ઈલેક્શન કમિશનમાં અસંમતિને પ્રોત્સાહન આપવામાં આવે છે, કારણ કે તે એક જટિલ પ્રક્રિયા છે, તેથી એક કરતાં ત્રણ અભિપ્રાય વધુ સારા છે. અમે રાતોરાત સમસ્યાઓ વિશે વિચારીએ છીએ, અમે સમય લઈએ છીએ, અમે સમાવિષ્ટ કરીએ છીએ. તમારે એવા લોકોને નજીક રાખવા જોઈએ જે તમને પડકાર આપી શકે.

બે નવા સભ્યોની નિયુક્તિ : આપને જણાવીએ કે બે દિવસ પહેલાં જ ભૂતપૂર્વ ભારતીય વહીવટી સેવા ( IAS ) અધિકારીઓ જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુને ગુરુવારે ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ તેમના નામોની ભલામણ કરી હતી.

  1. 15 માર્ચ સુધી બે ચૂંટણી કમિશનરની થઈ શકે છે નિમણૂક, રાજીવ કુમાર અને અરુણ ગોયલ વચ્ચે વિવાદના સમાચાર વચ્ચે વિપક્ષના પ્રહાર
  2. Election Commissioner Arun Goel: મુખ્ય ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામું, લોકસભા ચૂંટણી પહેલાં મોટો નિર્ણય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.