ETV Bharat / bharat

અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, અન્ય ત્રણ ઘાયલ - ANANTNAG ENCOUNTER

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 11, 2024, 10:12 AM IST

Updated : Aug 11, 2024, 10:26 AM IST

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એકવાર અથડામણ શરૂ થઈ, જેમાં બે જવાન શહીદ થયા છે. જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. An encounter between militants and security forces

અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણ
અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણ (ANI)
અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણ (Etv Bharat)

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના અહલાન ગાડોલ વિસ્તારમાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો સાથેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેનાની 19RR અને CRPFની સંયુક્ત ટીમે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ઈનપુટ મળ્યા બાદ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેના પગલે એન્કાઉન્ટર ફાટી નીકળ્યું હતું, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ હાજર છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે સંયુક્ત ટીમ સંદિગ્ધ વિસ્તાર તરફ આગળ વધી ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સંયુક્ત ટીમ પર ગોળીબાર કર્યો, જેના પછી અથડામણ થઈ. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. સુરક્ષા દળોએ વિસ્તારને સંપૂર્ણ રીતે કોર્ડન કરી લીધો છે જેથી છુપાયેલા આતંકવાદીઓ ભાગી ન શકે.

તમને જણાવી દઈએ કે લગભગ બે અઠવાડિયા પહેલા કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT)ના હુમલાને સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન એક જવાન શહીદ થયો હતો, જ્યારે મેજર રેન્કના અધિકારી સહિત ચાર અન્ય ઘાયલ થયા હતા.

નોંધનીય છે કે જમ્મુ વિભાગના પુંછ, રાજૌરી, ડોડા, કઠુઆ, રિયાસી અને ઉધમપુર જિલ્લાઓ સહિત પહાડી જિલ્લાઓમાંથી આતંકવાદનો ખાત્મો કરવા માટે સેનાએ 4000થી વધુ જવાનોને તૈનાત કર્યા છે. સુરક્ષા દળોમાં ચુનંદા પેરા કમાન્ડો અને પર્વતીય યુદ્ધમાં તાલીમ પામેલા લોકોનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓના ગાઢ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓએ સેના, અર્ધલશ્કરી દળો અને નાગરિકો પર હિટ એન્ડ રન હુમલા કર્યા છે.

  1. જમ્મૂ-કાશ્મીરના કુપવાડામાં અથડામણમાં એક આંતકી ઠાર, સેનાના એક જવાન શહીદ - kupwara encounter

અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણ (Etv Bharat)

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના અહલાન ગાડોલ વિસ્તારમાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો સાથેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેનાની 19RR અને CRPFની સંયુક્ત ટીમે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ઈનપુટ મળ્યા બાદ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેના પગલે એન્કાઉન્ટર ફાટી નીકળ્યું હતું, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ હાજર છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે સંયુક્ત ટીમ સંદિગ્ધ વિસ્તાર તરફ આગળ વધી ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સંયુક્ત ટીમ પર ગોળીબાર કર્યો, જેના પછી અથડામણ થઈ. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. સુરક્ષા દળોએ વિસ્તારને સંપૂર્ણ રીતે કોર્ડન કરી લીધો છે જેથી છુપાયેલા આતંકવાદીઓ ભાગી ન શકે.

તમને જણાવી દઈએ કે લગભગ બે અઠવાડિયા પહેલા કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT)ના હુમલાને સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન એક જવાન શહીદ થયો હતો, જ્યારે મેજર રેન્કના અધિકારી સહિત ચાર અન્ય ઘાયલ થયા હતા.

નોંધનીય છે કે જમ્મુ વિભાગના પુંછ, રાજૌરી, ડોડા, કઠુઆ, રિયાસી અને ઉધમપુર જિલ્લાઓ સહિત પહાડી જિલ્લાઓમાંથી આતંકવાદનો ખાત્મો કરવા માટે સેનાએ 4000થી વધુ જવાનોને તૈનાત કર્યા છે. સુરક્ષા દળોમાં ચુનંદા પેરા કમાન્ડો અને પર્વતીય યુદ્ધમાં તાલીમ પામેલા લોકોનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓના ગાઢ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓએ સેના, અર્ધલશ્કરી દળો અને નાગરિકો પર હિટ એન્ડ રન હુમલા કર્યા છે.

  1. જમ્મૂ-કાશ્મીરના કુપવાડામાં અથડામણમાં એક આંતકી ઠાર, સેનાના એક જવાન શહીદ - kupwara encounter
Last Updated : Aug 11, 2024, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.