ETV Bharat / bharat

દિલ્હીમાં AAP ની સંકલન બેઠક, કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પર આતિશીએ શું કહ્યું જુઓ... - Atishi on Congress MLA resign

author img

By ETV Bharat Gujarati Team

Published : May 2, 2024, 4:20 PM IST

કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પર આતિશીએ શું કહ્યું જુઓ...
કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પર આતિશીએ શું કહ્યું જુઓ...

કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓના રાજીનામા આપી રહ્યા છે. આ મામલે દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું છે કે, આ અંગે તેમને કંઈ કહેવાનું નથી, આ કોંગ્રેસ પાર્ટીનો આંતરિક મામલો છે.

નવી દિલ્હી : આ વખતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઈન્ડિયા ગઠબંધન હેઠળ તમામ સાત લોકસભા સીટ પર ચૂંટણી લડી રહ્યા છે. જેનો વિરોધ કોંગ્રેસ પક્ષમાં ઘણા દિવસોથી જોવા મળી રહ્યો છે. આ વિરોધનો ખુલ્લો ચહેરો ત્યારે સામે આવ્યો જ્યારે અરવિંદસિંહ લવલીએ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું. ત્યારબાદ બુધવારે પણ કોંગ્રેસના ઘણા ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું.

કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક નારાજગી ? એવું માનવામાં આવે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના કારણે આ વિરોધ થઈ રહ્યો છે. જોકે, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હી સરકારમાં શિક્ષણ પ્રધાન આતિશીને જ્યારે આ અંગે સવાલ પૂછવામાં આવ્યો તો, આ કોંગ્રેસ પાર્ટીનો આંતરિક મામલો છે કહીને આ અંગે વધુ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.

AAP ની સંકલન બેઠક : મંત્રી આતિશીએ ખીડકી એક્સટેન્શનમાં આમ આદમી પાર્ટીની સંકલ્પ સભા બાદ આ વાત કહી. તેઓ નવી દિલ્હીથી આમ આદમી પાર્ટીના લોકસભા ઉમેદવાર સોમનાથ ભારતીના સમર્થનમાં વોટ માટે અપીલ કરવા આ સંકલ્પ સભામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો.

ભાજપ પર આતિશીના પ્રહાર : આ દરમિયાન આતિશીએ ભાજપ પર જોરદાર નિશાન સાધતા કહ્યું કે, આ એ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જેણે લોકોને 15-15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં બેશરમ થઈને કહ્યું કે આ એક જુમલો હતો. ગેસ અને પેટ્રોલની કિંમત પર પણ ભાજપને ઘેરતા તેમણે કહ્યું કે, સત્તામાં આવતા પહેલા ભારતીય જનતા પાર્ટીએ 30 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ આજે પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. ભારતીય જનતા પાર્ટી માત્ર લોકોને ખોટા વાયદા કરે છે, તેનાથી વધુ કંઈ નથી.

આપ નેતાનો દાવો : સોમનાથ ભારતીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ટૂંક સમયમાં દિલ્હીના મુખ્યમંત્રીને જામીન મળી જશે, કારણ કે ED પાસે દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી વિરુદ્ધ કોઈ પુરાવા નથી. જ્યારે કોર્ટ તેમની પાસેથી પુરાવા માંગશે ત્યારે તેમની પાસે કોઈ જવાબ નહીં હોય. દિલ્હીના મુખ્યમંત્રીની એક ષડયંત્ર હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને તેઓ 25 મેના રોજ તેની વિરુદ્ધ મતદાન કરશે.

ભાજપ-ઈન્ડિયા ગઠબંધન આમને સામને : આ વખતે દિલ્હીની 7 લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી અને ઈન્ડિયા એલાયન્સ વચ્ચે સીધો મુકાબલો છે. બંને પક્ષના ઉમેદવાર પોતપોતાના જિલ્લામાં મતદાન કરવા માટે લોકોને સતત અપીલ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી જેલનો જવાબ વોટથી અભિયાન ચલાવી રહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી દિલ્હી સરકાર પર ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ લગાવીને પ્રચાર કરવામાં વ્યસ્ત છે.

  1. Delhi Cabinet Reshuffled: સૌરભ ભારદ્વાજ અને આતિશી 9 માર્ચે પ્રધાન તરીકેના લેશે સપથ
  2. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ ઈડી સમક્ષ 5 પ્રશ્નો મૂક્યાં, પૂછ્યું જે પી નડ્ડાની ધરપકડ ક્યારે કરો છો?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.