શ્રીનગર : કોરોના વાઇરસને લઈને દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન કોઈ પણ વ્યક્તિને મુશ્કેલી ન પડે તે માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે, ત્યારે આજે ભારતીય સેનાના 62માં રાષ્ટ્રીય રાઇફલ્સે જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોને ચોખા અને અન્ય ખાદ્ય વસ્તુઓનું વિતરણ કર્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાં જવાનો દ્વારા માસ્ક, સેનિટાઇઝર અને ખાદ્ય ચીજોનું વિતરણ
જમ્મુ-કાશ્મીરના શોંપિયા જિલ્લામાં સેના અને CRPFના જવાનોએ આજે ખાદ્ય ચીજો, માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કર્યું હતું. દેશમાં કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
![જમ્મુ-કાશ્મીરમાં જવાનો દ્વારા માસ્ક, સેનિટાઇઝર અને ખાદ્ય ચીજોનું વિતરણ jammu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6577579-thumbnail-3x2-qwe.jpg)
jammu
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 14મી બટાલિયન દ્વારા શોંપિયા જિલ્લામાં કોરોના વાઇરસના ચેપથી લોકોને બચાવવા માસ્ક અને સેનિટાઇઝર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દેશમાં સેનાના જવાનો ઉપરાંત પોલીસ દળ અને અન્ય લોકો પણ જરૂરિયાતમંદ લોકોને ખાદ્ય ચીજોનું વિતરણ કરી રહ્યા છે.