ગુજરાત

gujarat

ETV Bharat / state

મંગળાચોથના દિવસે વલસાડના પેશ્વાઇ સમયના ગણેશ મંદિરમાં ભકતોની ભીડ જામી - THE FESTIVAL OF MANGALA CHAUTH

સંકટ ચોથને લઈ વિઘ્નહર્તા દેવની પૂજન અને વ્રત અનેક મહિલાઓ પોતાના પરિવારની સુખ-સંપતિની વૃદ્ધિ માટે કરે છે. આ દિવસ માગળા ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ દરમ્યાન માત્ર બે કે ત્રણ મંગળવારે આ દિવસ આવે છે. જેથી તેનું ધાર્મિક ગ્રંથોમાં અનેરું મહત્વ છે ત્યારે વલસાડના સૌથી જૂન મંદિરે લોકોની વહેલી સવારથી ભીડ જોવા મળી હતી. ચાલો જાણીએ. The festival of Mangala Chau th

By ETV Bharat Gujarati Team

Published : Jun 26, 2024, 7:39 AM IST

Updated : Jun 26, 2024, 12:51 PM IST

ભગવાન વિઘ્ન વિનાયકને રીઝવવા માટે અથર્વશીર્ષનું પઠન શાસ્ત્રોમાં ખૂબ મહત્વનું માનવામાં આવે છે
ભગવાન વિઘ્ન વિનાયકને રીઝવવા માટે અથર્વશીર્ષનું પઠન શાસ્ત્રોમાં ખૂબ મહત્વનું માનવામાં આવે છે (Etv Bharat Gujarat)

ગણેશજીને રીઝવવા માટે અથર્વશીર્ષનું પઠન શાસ્ત્રોમાં ખૂબ મહત્વનું માનવામાં આવે (Etv Bharat Gujarat)

વલસાડ: કહેવાય છે કે સુરતમાં જ્યારે પેશ્વાઇ સમયનું રાજ હતું ત્યારે વલસાડમાં પેશવાઈ રાજાના સમયમાં ગણેશજીનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું, જે આજે પણ હયાત છે અને અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આજે પણ અનેક ભક્તોની મનોકામના અહી દર્શન કરવા માત્રથી પૂર્ણ થાય છે. આથી સંકટ ચોથના દિવસે અનેક ભક્તો દર્શનાર્થે મંદિરમાં ઉમટી પડ્યા હતા.

વિઘ્નહર્તા દેવની પૂજન અને વ્રત અનેક મહિલાઓ પોતાના પરિવારની સુખ-સંપતિની વૃદ્ધિ માટે કરે છે (Etv Bharat Gujarat)

વિઘ્નહર્તાને લાલ વસ્ત્રો અને અલંકારથી શણગારવામાં આવ્યા: વલસાડના મુખ્ય બજારમાં આવેલું આ ગણપતિનું મંદિર જે વર્ષો જૂનું અને પેશવાના સમયમાં બનાવવામાં આવેલું હોવાનું ગણવામાં આવે છે. અહીં વર્ષોથી મંગળા ચોથ નિમિત્તે વિશેષ પૂજા કરવામાં આવે છે. જેથી ગઈ કાલે મંગળા ચોથ હોવાથી વહેલી સવારથી અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા હતા, જેમાં અનેક નવદંપત્તિઓ જોડાયા હતા.

મંગળાચોથનું ધાર્મિક ગ્રંથોમાં અનેરું મહત્વ છે (Etv Bharat Gujarat)

108 અથર્વશીર્ષના પાઠ કરાયા: ભગવાન વિઘ્ન વિનાયકને રીઝવવા માટે અથર્વશીર્ષનું પઠન શાસ્ત્રોમાં ખૂબ મહત્વનું માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, અથર્વશીર્ષનું પઠન કરવાથી ભગવાન ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, જેને લઇને ગણેશ મંદિરમાં મંગળા ચોથને દિવસે 108 વાર અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં યુગલો દંપત્તિઓ જોડાયા હતા.

વલસાડમાં પેશવાઈ રાજાના સમયમાં ગણેશજીનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું (Etv Bharat Gujarat)

પોલીસની સરાહનીય કામગીરી : મોટા બજારમાં આવેલા ગણપતિ મંદિર પર મંગાળા ચોથના દિવસે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી હતી. જેને જોતા કોઈ ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે પોલીસ દ્વારા પણ એક વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ હતી, જેથી લોકોને બજારમાં ટ્રાફિકની અડચણ ન થાય.

સમગ્ર દિવસ દરમિયાન મહિલાઓ વ્રત રાખે: મંગળા ચોથના દિવસે મહિલાઓ વિશેષ વ્રત પૂજન કરતી હોય છે. આ દિવસે વહેલી સવારથી નાહી ધોઈને પવિત્ર થયા બાદ ભગવાનની પૂજન વિધિ કરતી હોય છે. સાથે જ આ દિવસે ઉપવાસ રાખ્યા બાદ સમગ્ર દિવસ દરમિયાન નિર્જલા રહેવું તેમજ સાંજે ચંદ્ર ઉદય થયા બાદ તેના પૂજન કરી પ્રસાદ ગ્રહણ કરી શકાય છે. તેમજ પૂજન સાથે જોડાયેલી કથાનું પઠમ પણ કરવામાં આવે છે. કહેવાય છે કે, આ વ્રત કરવાથી જીવનમાં આવતા તમામ વિઘ્નો દૂર થઈ જાય છે.

ભગવાન ગણેશજીની પ્રાર્થના: આમ મંગળા ચોથના દિવસે વલસાડ મોટા બજારમાં આવેલા ગણપતિ મંદિર ખાતે વહેલી સવારથી ભાવિક ભક્તોની ભીડ જામી હતી અને ભગવાન ગણેશજીની પ્રાર્થના કરવામાં આવી હતી અને વ્રત કરી સુખ સમૃદ્ધિ અંગે પ્રાર્થના કરી હતી.

  1. આજે આ રાશિના લોકોને નકારાત્‍મક વિચારોને હાંકી કાઢવાની સલાહ આપવામાં આવે છે - Aajnu Rashifal
  2. જાણો આજનો શુભ સમય અને રાહુકાલનો સમય - AAJNU PANCHANG
Last Updated : Jun 26, 2024, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details