ગુજરાત

gujarat

ETV Bharat / state

નડીયાદ સંતરામ મંદિરમાં 194માં સમાધિ મહોત્સવની ઉજવણી, મોરારિ બાપુની રામકથાનો શુભારંભ - AMADHI MAHOTSAV

સંતરામ મંદિરમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 194માં સમાધિ મહોત્સવની ભવ્ય ઉજવણીનો ગઈકાલ શનિવારથી પ્રારંભ થયો છે.

નડીયાદ સંતરામ મંદિરમાં 194માં સમાધિ મહોત્સવની ઉજવણી
નડીયાદ સંતરામ મંદિરમાં 194માં સમાધિ મહોત્સવની ઉજવણી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 2, 2025, 9:36 PM IST

નડીયાદ: સંતરામ મંદિરમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 194માં સમાધિ મહોત્સવની ભવ્ય ઉજવણીનો ગઈકાલ શનિવારથી પ્રારંભ થયો છે. જે અંતર્ગત મોરારિ બાપુના વ્યાસપીઠ પદે શ્રી રામકથાનો શુભારંભ થયો હતો. આ પૂર્વે મંદિર પરિસરમાં સંતરામ સમાધિ સ્થાન ચોકથી પોથી યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. સંતરામ ભક્તો જય મહારાજના જય ઘોષ સાથે પોથી શિર પર ગ્રહણ કરી મંડપમાં થઈ વ્યાસપીઠ સુધી લઈ આવ્યા હતા. મંદિરના સંતો, મહંતોની ઉપસ્થિતિમાં મોરારિ બાપુની રામકથાનું દીપ પ્રાગ્ટય કરાયું હતું. સમાધિ મહોત્સવની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં સંત, સપૂત અને સાક્ષરની વંદના કરવાનો પણ ઉપક્રમ છે.

શનિવારથી મોરારિ બાપુની રામકથાના શુભારંભ સાથે સમાધિ મહોત્સવની ભક્તિપુર્ણ ઉજવણીની શરૂઆત થઈ છે. આ પ્રસંગે સમગ્ર માહોલ જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યો હતો. અમેરિકાની સંસ્થા દ્વારા મંદિરને વૈશ્વિક એવોર્ડ એનાયત કરાયો તેમજ યોગીરાજ માનસ ગ્રંથનું લોકાર્પણ કરાયું હતું.

નડીયાદ સંતરામ મંદિરમાં 194માં સમાધિ મહોત્સવની ઉજવણી (Etv Bharat Gujarat)

આ અવસરે યુ.એસ એ.ની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઝેશન સંસ્થા તરફથી સંતરામ મંદિરની 54 જેટલી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ માટે લોકસેવા કેટેગરીમાં 'વર્લ્ડ અમેઝિંગ પ્લેસ'નો વૈશ્વિક એવોર્ડ પણ સંતરામ મંદિરને એનાયત કરાયો હતો. આ ઉપરાંત નડિયાદ સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજ રચિત 'યોગીરાજ માનસ' ગ્રંથનું પણ લોકાર્પણ કરાયું હતું. આ મહાગ્રંથ સંતરામ મહારાજના જીવન દર્શન અને તત્વ વિચારને હિન્દી અને વિવિધ ભાષામાં 1034 દુહા ચોપાઈ અને 1100 પંક્તિઓનું મહાકાવ્ય છે.

નડીયાદ સંતરામ મંદિરમાં 194 માં સમાધિ મહોત્સવની ઉજવણી (Etv Bharat Gujarat)

સંતો,મહંતોની ઉપસ્થિતિ

આ પ્રસંગે સંતરામ મંદિરના સંતો, મહંતો, રામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદગીરીજી મહારાજ, મહામંડલેશ્વર કનકેશ્વરીજી, જામનગરના દેવ પ્રસાદજી બાપુ, સોનીપત હરિયાણાના ઓશો અનુજ સ્વામી શૈલેન્દ્ર સરસ્વતીજી, માં અમૃતપ્રિયાજી, રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નિર્ગુણ દાસજી મહારાજ, ગણેશદાસજી મહારાજ સહિત શ્રી સંતરામ મંદિરના સંતો, મહંતોની ઉપસ્થિતિમાં મોરારિ બાપુની રામકથાનું દીપ પ્રાગટય કરાયું હતું.

સમાધિ મહોત્સવની ઉજવણી અંતર્ગત મોરારિ બાપુની રામકથાનો પણ શુભારંભ (Etv Bharat Gujarat)

સંતરામ ભૂમિ દિવ્ય ચેતનાની ભૂમિને હું વંદન કરું છું : મોરારિ બાપુ

કથા શુભારંભે મોરારિ બાપુએ પોતાની વ્યાસપીઠ પરથી વાણી ઉચ્ચારી હતી કે 'નડિયાદની આ સંતરામ ભૂમિ દિવ્ય ચેતનાની ભૂમિને હું વંદન કરું છું. યોગીરાજ અવધૂત સંતરામ મહારાજની આ ભૂમિ પણ માનસ યોગીરાજ વિશે કથા સંવાદ કરીશું. માનસમાં નવ યોગીની વાત છે તે યોગીઓની વાત કરીશું. ભગવાન શંકર પ્રથમ યોગી છે. એમ પાર્વતી માં ભવાની કહે છે'.

નડીયાદ સંતરામ મંદિરમાં 194 માં સમાધિ મહોત્સવ (Etv Bharat Gujarat)

સંતોએ શુભેચ્છા આશીર્વાદ આપ્યા

'આપણે રામ મંદિર બનાવ્યું, હવે રાષ્ટ્ર મંદિર અને રામ રાજ્ય સ્થાપવું છે. તે માટે યુવાનોએ શૌર્યવાન થવું પડશે'.- ગોવિંગીરીજી, કોષાઅધ્યક્ષ, રામ જન્મભૂમિ ટ્રસ્ટ

'હું પ્રયાગ કુંભથી આવી અહીં પુનઃકુંભમાં આવી છું, એવી લાગણી અનુભવું છે. -કનકેશ્વરીજી, મહામંડલેશ્વર

આ ઉપરાંક ઓશો અનુજ સ્વામી શૈલેન્દ્ર સરસ્વતીજીએ ધ્યાન યોગનો મહિમા ગાયો હતો. સંતરામ મંદિરના પ્રતિનિધિ સંત ગણેશદાસજી મહારાજે સહુને રામકથા અને સમાધિ મહોત્સવમાં આવનારા સૌ કોઈને આવકાર્યા હતા. જ્યારે દેવપ્રસાદજીએ શુભેચ્છા આશીર્વાદ આપ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.હર્ષિત મહેતાએ કર્યું હતું.

ગુજરાત માટે આ પ્રકારના સ્થાનકો એ હંમેશા ગુજરાતની રક્ષા કરી છે એને જ કારણે ગુજરાત ઉજળું પણ છે. ત્યારે આજથી મોરારિ બાપુની કથા શરૂ થાય છે. અનેક કાર્યક્રમો આવનારા દિવસોમાં થવાના છે. ત્યારે સમગ્ર ગુજરાતની જનતા વતી આ બધા કાર્યક્રમો એકદમ દિવ્ય અને આધ્યાત્મિક ચેતનાને જગાવનારા એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. -વિજય રૂપાણી,પૂ ર્વ મુખ્યપ્રધાન

  1. નડિયાદ કેમ ઓળખાય છે સાક્ષર નગરી ? ચાલો જાણીએ આ નગરીનો ઇતિહાસ
  2. ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે વસંત પંચમીની ઉજવણી, મંદિરમાં ધજા આરોહણ સાથે સરસ્વતી દેવીની પૂજા થઈ

ABOUT THE AUTHOR

...view details