ગુજરાત

gujarat

New MSME rules : એમએસએમઇના નવા નિયમોની અસર, સુરતના કાપડ વેપારીઓ મંજીરા લઈ રામધૂન કરવા મજબૂર

By ETV Bharat Gujarati Team

Published : Feb 8, 2024, 9:07 PM IST

કાપડના વેપારીઓ એમએસએમઇના નવા નિયમોની સમસ્યાને લઈને અસમંજસની સ્થિતિમાં છે. ટેક્સટાઈલ ઉદ્યોગ કેન્દ્ર સરકાર પાસે નિયમોમાં ફેરફારની માંગ કરી રહ્યો છે. સરકારે તેમની વાત ન માની એટલે આજે કાપડ માર્કેટમાં વેપારીઓએ પણ હાથમાં ઢોલ અને મંજીરા સાથે રામ ધૂન વગાડી હતી.

New MSME rules : એમએસએમઇના નવા નિયમોની અસર, સુરતના કાપડ વેપારીઓ મંજીરા લઈ રામધૂન કરવા મજબૂર
New MSME rules : એમએસએમઇના નવા નિયમોની અસર, સુરતના કાપડ વેપારીઓ મંજીરા લઈ રામધૂન કરવા મજબૂર

નિયમોમાં ફેરફારની માંગ

સુરત : પોતાની સમસ્યા પ્રત્યે સરકારનું ધ્યાન ખેંચવા માટે સુરતના કાપડના વેપારીઓએ રામ ધૂન કરી સરકાર પાસે એમએસએમઇમાં નિયમોની જટિલતાઓને દૂર કરવા અને તેમની માંગ સ્વીકારવા રજૂઆત કરી છે.

નિયમોની જટિલતાઓને દૂર કરો: શહેરના કાપડના વેપારીઓ એમએસએમઇના નવા નિયમોને લઈને અસમંજસની સ્થિતિમાં છે. એમએસએમઇના નવા નિયમોની સમસ્યાને પગલે ટેક્સટાઈલ ઉદ્યોગ કેન્દ્ર સરકાર પાસે નિયમોમાં ફેરફારની માંગ કરી રહ્યું છે. સરકારે તેમની વાત માની એટલે આજે કાપડ માર્કેટમાં વેપારીઓએ પણ હાથમાં ઢોલ અને મંજીરા સાથે રામ ધૂન વગાડી હતી.રામ ધૂન કરી કાપડના વેપારીઓએ સરકાર પાસે એમએસસીમાં નિયમોની જટિલતાઓને દૂર કરવા અને તેમની માંગ સ્વીકારવા રજૂઆત કરી છે.

એમએસએમઇના નવા નિયમોની સમસ્યા : તહેવાર અને લગ્નસરાની સિઝન આવે ત્યારે કાપડના વેપારીઓનું ટર્નઓવર સામાન્ય રીતે બમણું થઈ જતું હોય છે અને અત્યારે એમએસએમઇનો નવો નિયમ આવ્યો છે, તેને કારણે વેપારીઓ લગ્નસાળાની સિઝનમાં લાભ ગુમાવી રહ્યાં છે. વેપારી વર્ગમાં નારાજગી છે, આ ધારાને કમસેકમ એક વર્ષ લંબાવવામાં આવે તેવો સુર છે. સુરતના કપડા વેપાર સાથે સંકળાયેલા તમામ એસોસિએશન કેન્દ્ર સરકારને આ બાબતે રજૂઆત કરી ચૂક્યા છે આ સમસ્યાનો યોગ્ય નિકાલ આવે એ માટે આજે વેપારીઓ હાથમાં કાપડની જગ્યાએ મંજીરા અને ઢોલ લઈને કાપડ માર્કેટમાં બેઠાં હતાં અને રામધૂન કરી સરકારને રજૂઆત કરી હતી કે તેઓની માંગણી સાંભળવામાં આવે.

વેપારમાં 75 ટકા અસર: વેપારી લલિત શર્માએ જણાવ્યું હતું કે, સરકારે આ નિયમ લઈને તો આવી છે પરંતુ તે પહેલાં વેપારીઓ સાથે સલાહ મસલત કે સૂચનો મંગાવાની જરૂર હતી. વેપારીઓ 90 દિવસના ધારાથી આપસી તાલમેલથી ધંધો કરે છે અને અત્યારે આ નિયમ પ્રમાણે 45 દિવસમાં પેમેન્ટ ચૂકવવાનું છે એટલે કે વેપારીઓના ધારા કરતાં અડધા દિવસ થાય. આ તો કેવી રીતે શક્ય બનશે ? લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઈ છે અને એપ્રિલ સુધી કામકાજો રહેશે. લગ્નસરાની સિઝનમાં વેપારનું ટર્નઓવર આપોઆપ ડબલ થઈ જતું હોય છે. પરંતુ હાલ વેપારમાં 75 ટકા અસર જોવા મળે છે.

માલ નહીં મોકલવાની સૂચના આપી રહ્યાં છે: વેપારી રાજીવભાઈએ જણાવ્યું હતું કે, અત્યારે એમએસએમઇના નવા નિયમોની સમસ્યાના સંજોગો ઊભા થયાં છે, તે જોતાં લગ્નસરાની સિઝનનો લાભ ગુમાવવાની ભીતિ વેપારીઓને છે. બહારગામના વેપારીઓ 15 ફેબ્રુઆરી સુધી માલ નહીં મોકલવાની સૂચના આપી રહ્યાં છે. એમએસનીના નવા ધારાનો અમલ કમસે કમ 1 વર્ષ પાછળ ઠેલવામાં આવે અને 45 દિવસના ધારાને બદલે 60 દિવસનો ધારો કરવામાં આવે તો, પણ વેપારીઓને રાહત મળી શકે છે. હાલમાં વેપારીઓએ ખરીદી અટકાવી છે નવાં ઓર્ડર પણ પૂછીને ડિસ્વચ કરવામાં આવે એવી સૂચનાઓ પણ આપી છે.

કોઈ પણ પરિભાષા સ્પષ્ટ નથી: અન્ય વેપારી સુદર્શનભાઈએ જણાવ્યું હતું કે પેમેન્ટ ચુકવણીનો ધારો 60 દિવસનો કરવામાં આવે તો બહારગામના વેપારીઓ સમજી વિચારીને ખરીદી કરશે. આ નિયમના કારણે ઘણી બધી તકલીફો આવી રહી કોઈપણ નિયમ સ્પષ્ટ નથી. કોઈ પણ પરિભાષા સ્પષ્ટ નથી. કોની ઉપર આ નિયમ લાગુ છે અને કોણી ઉપર નથી એ પણ અત્યાર સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. મોટાં વેપારીઓને રાહત આપવામાં આવી છે. તેજીની સિઝનમાં બહારગામના વેપારીઓ જરૂર હોય તેટલો જ માલ મંગાવી રહ્યાં છે. જૂના માલનો નિકાલ કરવાની કસરતો કરી રહ્યાં છે.

Credit Supply To MSMEs : એમએસએમઈ સેક્ટરમાં ક્રેડિટ ગેપનો ઘટાડો, તમામ પાસાં ધ્યાન આપવા લાયક

Union Budget 2023: વલસાડના ઉદ્યોગકારોએ બજેટ વિશે કહ્યું: ઓલ ઈઝ વેલ

ABOUT THE AUTHOR

...view details