ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ: જલારામ બેકરી પાસે બ્લાસ્ટ થતા 2 શ્રમિકો ઇજાગ્રસ્ત, FSLની ટીમ તપાસ કરી રહી છે - Blast in Rajkot Jalaram Bakery - BLAST IN RAJKOT JALARAM BAKERY

રાજકોટના જંકશન વિસ્તારમાં આવેલા સિંધી કોલોનીના જલારામ બેકરી પાસે કોઈ કારણોસર બ્લાસ્ટ થતા બેકરીમાં કામ કરતાં 2 શ્રમિકોને ઈજા થઇ હતી. GSPC ગેસ લાઈનનું કામ ચાલી રહ્યું હોવાથી તેમાં લિકેજને કારણે આગ લાગવાની સંભાવના છે. જાણો. Blast in Rajkot Jalaram Bakery

રાજકોટ બેકરી પાસે બ્લાસ્ટ થતા 2 શ્રમિકો ઇજાગ્રસ્ત
રાજકોટ બેકરી પાસે બ્લાસ્ટ થતા 2 શ્રમિકો ઇજાગ્રસ્ત (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2024, 1:06 PM IST

રાજકોટ:શહેરના જંકશન વિસ્તારમાં સિંધી કોલોનીમાં આવેલી જલારામ બેકરી પાસે બ્લાસ્ટ થયો હતો. જેને પરિણામે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ ઘટના દરમિયાન બેકરીમાં કામ કરતાં 2 શ્રમિકોને ઈજા થઇ હતી. પરિણામે સારવાર માટે આ બંને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના મુદ્દે ફાયર અધિકારી અમિત દવેએ જણાવ્યું હતું કે, "આગ કયા કારણોસર લાગી તે તપાસનો વિષય છે. હાલ 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોઈ મૃત્યુની ઘટના બની નથી. FSLની ટીમ તપાસ કરી રહી છે. ગેસની લાઈન લીકેજ નથી. GSPC દ્વારા કામ અટકાવી દેવામાં આવ્યુ છે. પરિસ્થિતિ સામાન્ય થતા રીપેરીંગ શરૂ કરી દેવામાં આવશે."

રાજકોટ બેકરી પાસે બ્લાસ્ટ થતા 2 શ્રમિકો ઇજાગ્રસ્ત (Etv Bharat Gujarat)

તેમણે વધુમાં ઉમેયું હતું કે, "આગ લાગ્યાની ઘટનાનો ફોન આવતા બે ફાયર ફાઈટર સાથે અમે અહીં પહોંચી ગયા હતા અને થોડા સમયમા જ આગ બુઝાવી લીધી હતી. બાજુમાં ગેસ લાઈન લીકેજ હોવાથી તેનું હાલ રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે."

આ પણ વાંચો:

  1. ભીમાસર-ભુજ નેશનલ હાઈવે પર નિયમ વિરુદ્ધ 36 કી.મી.ની અંદરમાં બે ટોલપ્લાઝા પર, કોંગ્રેસની કેન્દ્ર સરકારને રજૂઆત - Two tollgates on National Highway
  2. સોમનાથમાં આ જગ્યાએ પ્રવેશ કર્યો તો થશે પોલીસ ફરિયાદ ! જિલ્લા કલેકટરે આપ્યા પ્રતિબંધિત આદેશ - Somnath Demolition

ABOUT THE AUTHOR

...view details