ગુજરાત

gujarat

પાટણના સમીમાં આચાર્યનું અકસ્માતે મૃત્યુ, રાજપુર પ્રાથમિક શાળાના આચાર્ય છત પરથી પટકાતા જીવ ખોયો - Patan News

By ETV Bharat Gujarati Team

Published : Jun 19, 2024, 8:01 PM IST

પાટણના સમીના રાજપુર પ્રાથમિક શાળામાં એક દુર્ઘટનામાં આચાર્યએ જીવ ખોયો હતો. શાળાની છતની સફાઈ અને પતરાની યોગ્ય ગોઠવણી કરવા છત પર ચડેલ આચાર્ય નટવરભાઈ દરજી નીચે પટકાતા મોત નીપજ્યું હતું.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

પાટણઃ સમીના રાજપુર પ્રાથમિક શાળામાં નટવરભાઈ દરજી આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. તેઓ શાળાની છત પર પતરા ગોઠવવા ચઢ્યા હતા. આ દરમિયાન પતરું તુટી જતા તેઓ નીચે પટકાયા હતા. આ ઘટનામાં આચાર્યનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક આચાર્ય સમીના ભદ્રાડા ગામના વતની હતા.

સમગ્ર ઘટનાક્રમઃ પાટણ જિલ્લા સમી તાલુકાની રાજપુર પ્રાથમિક શાળાના આચાર્યએ બુધવારે આગામી ચોમાસાને લઈ સ્કૂલની સાફ સફાઈ હાથ ધરી હતી. ઉનાળુ વેકેશનમાં સ્કૂલના પતરા પર પડેલ કચરો સાફ કરવા માટે સ્કૂલના આચાર્ય નટવરભાઈ દરજી સાફ સફાઈ કરવા માટે ચડ્યા હતા. જેનાથી ચોમાસા દરમિયાન વર્ગખંડમાં પાણી ના પડે અને વિદ્યાર્થીઓને હેરાન ન થવું પડે. આ દરમિયાન અચાનક સિમેન્ટનું પતરું તૂટતા નીચે રૂમ પટકાયા હતા. ઊંધા માથે નીચે પટકાયા ગંભીર ઈજાઓ થઈ હતી. જે બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક શાળાના આચાર્ય નટવરભાઈ વજાભાઈ દરજીનું મોત થતા પરિવાર તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

67 શાળાઓને આદેશઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. DPEOના જણાવ્યા અનુસાર શાળા જર્જરિત હોવાની કોઈ રજૂઆત મળી ન હતી. સમગ્ર જિલ્લામાં 67 શાળાના જર્જરિત રુમો ઉતારી લેવાના આદેશ કરી દેવાયા છે.

  1. શૈક્ષણિક સત્રના પ્રારંભે જ ડાંગના પીંપરી ગામના વાલીઓ વિફર્યા, આ કારણે કરી શાળાને તાળાબંધી - Peoples protest in Pinpari village
  2. ધો. 4ની વિદ્યાર્થિનીના પરિણામપત્રકમાં છબરડો, કુલ 200માંથી મેળવેલ ગુણ 212 દર્શાવાયા - Wrong Marks in Result

ABOUT THE AUTHOR

...view details