સ્વતંત્રતા પર્વે રાજકોટમાં સુપેડી ગામના મુરલી મનોહર મંદિરના શિખરે 52 ગજનો રાષ્ટ્રધ્વજ લહેરાવાયો - Independence day 2024
Published : Aug 15, 2024, 4:01 PM IST
|Updated : Aug 15, 2024, 4:38 PM IST
15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાજકોટ જીલ્લામાં આવેલ સુપેડી ગામમાં આવેલા મુરલી મનોહર મંદિરના શિખર પર 52 ગજનો રાષ્ટ્રધ્વજ લહેરાવાયો છે. ધોરાજી તાલુકામાં આવેલા આગામ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી...- Independence day 2024
રાજકોટઃ15 મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે આવેલા મુરલી મનોહર મંદિર ખાતે બાવન ગજનો રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી. મુરલી મનોહર મંદિરના શિખર પર આજે 15મી ઓગસ્ટના પાવન પર્વ નિમિત્તે 52 ગજનો રાષ્ટ્રધ્વજ લહેરાવાયો છે. અહીંયા આજ રોજ ધર્મની ધજા ચઢાવવામાં આવે છે પરંતુ સ્વતંત્રતા પર્વ નિમિત્તે 52 ગજની ધજાને બદલે 52 ગજનો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.