ગુજરાત

gujarat

ETV Bharat / state

હિંમતનગરમાં ફાયર અને રેવન્યુ વિભાગ દ્વારા ગેમ ઝોનમાં NOC અને ફાયરની સુવિધા ન હોવાથી મરાયું સીલ - Game zone seal by fire department

રાજકોટમાં અગ્નિ કાંડ બનાવ બાદ હિંમતનગરમાં ફાયર તેમજ રેવન્યુ વિભાગ દ્વારા શહેરના ગેમ ઝોનોની તપાસ હાથ ધરવામાં આવી છે. હિંમતનગરના બેરણા રોડ ઉપર આવેલ ઇકિગાઈ ગેમ ઝોન NOC તેમજ ફાયરની એક પણ સુવિધા વગર ધમધમતું હતું. ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા ઇકાઈંગ ગેમ ઝોનને સિલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. Game zone seal by fire department

By ETV Bharat Gujarati Team

Published : May 27, 2024, 4:00 PM IST

ફાયર વિભાગ ટીમ દ્વારા ઇકિગાઈ ગેમ ઝોનને સીલ કરવામાં આવી
ફાયર વિભાગ ટીમ દ્વારા ઇકિગાઈ ગેમ ઝોનને સીલ કરવામાં આવી (Etv Bharat gujarat)

સાબરકાંઠા: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોનો ભોગ લેવાયો છે ત્યારે ગુજરાતના બીજા શહેરોમાં ચાલતા ગેમ ઝોન મામલે તપાસની શરૂઆત થઇ છે. ત્યારે હિંમતનગરમાં આવેલા ઇકિગાઈ નામના ગેમ ઝોનમાં ફાયર વિભાગની કોઈપણ પ્રકારની સુવિધા ન મળતા ફાયર વિભાગ અને રેવન્યુ વિભાગની ટીમ દ્વારા ઇકિગાઈ ગેમ ઝોનને સીલ કરવામાં આવી છે.

હિંમતનગરમાં ફાયર અને રેવન્યુ વિભાગ દ્વારા ગેમ ઝોનને સીલ કર્યુ (wetv bharat gujarat)

ગેમ ઝોન વિરુદ્ધ કાર્યવાહી: હિંમતનગરમાં બેરણા રોડ પર આવેલ ઇકિગાઈ નામના ગેમ ઝોનમાં ફાયર વિભાગે તપાસ હાથ ધરી હતી. આ ગેમ ઝોનમાં ફાયરની કોઈપણ સુવિધા ન હતી અને એનઓસી પણ ન હોવાનું તંત્રને ધ્યાને આવતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગ તેમજ રેવન્યુ વિભાગ દ્વારા સીલ મારીને તજવીજ હાથ ધરવામાં આવી છે. આજે સ્થાનિક અધિકારીઓ દ્વારા તપાસ કર્યા બાદ ઇકિગાઈ કિડ્સ ઝોનને બંધ કરાયું છે.

રાજ્ય સરકારને પગલા લેવાની તાકીદ: રાજ્ય સરકારને આ મામલે લેખિત અરજીમાં આગામી સમયમાં યોગ્ય પગલાં લેવાની તાકીદ કરાઈ છે. જો કે સમગ્ર ગુજરાતમાં વિવિધ કિડ્સ ઝોન સહિત આનંદ મેળા અને અન્ય જાહેર જગ્યાઓ ઉપર પણ હાલમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે, જોકે એક તરફ રાજકોટમાં 28 લોકોના મોત થયા બાદ હવે તંત્ર જાગૃત અવસ્થામાં દેખાય છે. કોઈપણ પ્રકારની સુવિધા વગર NOC અને ફાયર સેફ્ટી વિના ચાલી રહેલા ગેમ ઝોનો સામે જવાબદાર અધિકારીઓ સામે ક્યારે પગલાં લેવાશે? તેવો પ્રશ્ન ઉભો થાય છે. આગામી સમયમાં તંત્ર દ્વારા ઉગ્ર પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

  1. રાજકોટ અગ્નિકાંડમા 7 અધિકારીઓને નોકરીમાંથી કરાયા સસ્પેન્ડ, અન્ય અધિકારીઓ પર પણ કતારમાં... - fire mishap of rajkot
  2. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વિશેષ ટનલ બનશે, 3.3 કિમી લાંબી આ ટનલની વિશેષતા - Mumbai Ahmedabad bullet train

ABOUT THE AUTHOR

...view details