ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar News: "હું બદલાઈશ તો સમાજ આપોઆપ બદલાશે" સૂત્રને સાકાર કરતો પ્લાસ્ટિક નાબુદી માટે મોટિવેશન કાર્યક્રમ યોજાયો - Dr Tejas Doshi

ભાવનગર યુનિવર્સીટીના શિક્ષણશાસ્ત્ર ભવનમાં પ્લાસ્ટિક નાબુદી માટે ડૉ. તેજસ દોશીનો મોટિવેશન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ Plastic The Terrorist of Next Generation શીર્ષક અંતર્ગત યોજાયો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રોફેસર, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને પ્લાસ્ટિકના નહિવત ઉપયોગના શપથ લીધા. Bhavnagar University Plastic The Terrorist of Next Generation

પ્લાસ્ટિક નાબુદી માટે મોટિવેશન કાર્યક્રમ યોજાયો
પ્લાસ્ટિક નાબુદી માટે મોટિવેશન કાર્યક્રમ યોજાયો

By ETV Bharat Gujarati Team

Published : Feb 7, 2024, 6:40 PM IST

"હું બદલાઈશ તો સમાજ આપોઆપ બદલાશે" સૂત્રને સાકાર કરતો સેમિનાર

ભાવનગરઃ આજે દરેક મનુષ્ય રોજબરોજ જે રીતે પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ કરે છે તેનાથી આગામી પેઢીને ભયાનક ખતરો છે. હ્યુમન બોડીથી લઈને સીફૂડમાં પ્લાસ્ટિકના કણો મળી આવ્યા છે. પ્લાસ્ટિકના આ વધતા ખતરા સંદર્ભે જાગૃતિ માટે ભાવનગરના ડૉક્ટર તેજસ દોશી દ્વારા મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન કરાયું. ભાવનગર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનમાં Plastic The Terrerist of Next Generation શીર્ષક હેઠળ આ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો. એટલું જ નહિ પરંતુ પ્લાસ્ટિક નહિવત વાપરવા માટે શપથ પણ લીધા.

આજનો વિષય પ્લાસ્ટિક ધ ટેરેરિસ્ટ ઓફ નેક્સ્ટ જનરેશન હતો. મિત્રો આપણી જનરેશનને વાંધો નહિ આવે પણ જે રીતે સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિકે ભરડો લીધો છે તે ખતરનાક છે. હ્યુમન બોડી, એનિમલ અને સી ફૂડમાં માઈક્રો પ્લાસ્ટિક મળી આવ્યું છે. આ પેન છે તો રીફીલ બદલો પેન નહીં, શાકભાજી લેવા જાવ તો કાપડની થેલી વાપરો. આમ બદલાવ કરવો પડશે. રોજ ક્રૂડનો ચાર ટકાનો જથ્થો પ્લાસ્ટિક બનાવવામાં વપરાય છે, જેથી સરકારો પણ રિસાયકલ કરવા તરફ આગળ વધી રહી છે...ડૉ. તેજસ દોશી (તબીબ અને સામાજીક કાર્યકર, ભાવનગર)

અભ્યાસક્રમમાં પ્લાસ્ટિક નાબુદીઃ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનમાંથી પાસ આઉટ થનાર વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં કોઈ અધિકારી અથવા તો શિક્ષણ જગતમાં ફરજ નિભાવશે. જો તેઓ પ્લાસ્ટિકના જોખમથી અવેર હશે તો આ જાણકારી આગળ પહોંચાડશે. તેથી આજે આ સેમિનારનું આયોજન શિક્ષણશાત્ર ભવનમાં કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત પ્લાસ્ટિક નાબુદીને અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાની રજૂઆત પણ કરવામાં આવી.

પ્લાસ્ટિકના નહિવત ઉપયોગ માટે શપથગ્રહણ

જો પ્લાસ્ટિક નાબુદી અભ્યાસક્રમનો ભાગ બને તો દરેક સુધી પહોંચાડી શકાય, પણ માત્ર અભ્યાસક્રમ નહીં જેમ તેજસ ભાઈએ કહ્યું, આવા ઋષિઓ છે તે જો કામ કરે તો આ જાણકારી દરેક વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચી શકશે...જગદીશ સોનવણી(HoD, શિક્ષણશાસ્ત્ર, ભાવનગર યુનિવર્સિટી)

પ્લાસ્ટિકના નહિવત ઉપયોગના શપથઃ શિક્ષણશાસ્ત્ર ભવનમાં યોજાયેલા મોટિવેશનલ કાર્યક્રમ બાદ ઉપસ્થિત દરેક વિદ્યાર્થીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં પ્લાસ્ટિકનો નહિવત બને ત્યાં સુધી કોઈ જ ઉપયોગ ન કરવાના શપથ લીધા હતા.

ડૉ. તેજસ દોશીનો મોટિવેશન કાર્યક્રમ

પહેલા તો પ્લાસ્ટિક ઉપર આપણે સાંભળતા હતા પણ જે રીતે આજે ડૉ. તેજસ દોશી પાસેથી સાંભળ્યા પછી બદલાવ લાવવો પડશે તેવું લાગ્યું. તેથી અમે નક્કી કર્યું છે કે અમે પેનમાં રિફીલ બદલાવશું પેન નહીં. તેમજ શાકભાજી લેવા માટે ઘર પાસે વાસણ અને બજારમાં કાપડની થેલી લઈને જઈશું. આસપાસના લોકોમાં પણ જાગૃતિ લાવીને એક ચેન બનાવવાની કોશિશ કરશું...બંસરી પંડ્યા(વિદ્યાર્થી, શિક્ષણશાસ્ત્ર ભવન, ભાવનગર યુનિવર્સિટી)

  1. Plastic Bottle Water : તમે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી નહીં ઝેર પી રહ્યા છો, જાણો આ પાછળનું સત્ય
  2. Junagadh News: ગિરનાર પર્વતને પ્લાસ્ટિક ફ્રી કરવાના અભિયાનથી પ્રવાસીઓ અને વેપારીઓ પરેશાન

ABOUT THE AUTHOR

...view details