પોરબંદરઃપોરબંદરમાં ભાજપના સ્થાનીક નેતાઓ સાથે ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના નેતાઓએ બેઠક કરી હતી. આ બેઠકમાં નવા ભાજપ કાર્યાલયને લઈને નેતાગણ સાથે વાતચીત કરવામાં આવી હતી. પોતાના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રીની હાજરીને લઈને સ્થાનીક ભાજપીય નેતાઓમાં ઉમંગનો માહોલ છવાયો હતો. આજે શનિવારે સી આર પાટીલ દ્વારા અહીં પોરબંદરમાં પાર્ટીના નવીન કાર્યાલય અટલભવનનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું હતું.
પોરબંદરમાં સી આર પાટીલના હસ્તે અટલભવનનું કરાયું ઉદઘાટન - CR Patil in Porbandar
Published : Sep 14, 2024, 10:33 PM IST
પોરબંદર ખાતે આજે ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના નેતાઓ અને ભાજપ અગ્રણીઓની એક બેઠક યોજાઈ હતી. પોરબંદરમાં પાટીલ દ્વારા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું.- CR Patil in Porbandar
પોરબંદરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા અને કેન્દ્રીય મંત્રી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલનું ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા , પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ પટેલ તથા કલેકટર સહિતના અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. તદ ઉપરાંત એરપોર્ટથી સીધા પોરબંદરના ભાજપ કાર્યાલય અટલ ભવનનું સી આર પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તાજાવાલા હોલ ખાતે ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. સી આર પાટીલે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બને તે દિશામાં આગળ વધવા આહવાન કર્યું હતું.