અમદાવાદ:પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. કરોડોની સંખ્યામાં અત્યાર સુધી ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવી ચૂક્યા છે. હજુ પણ મોટી સંખ્યામાં ભક્તો સંગમમાં ડુબકી લગાવવા માટે જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારે વધુ નવી બસો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. GSRTCની વધુ પાંચ બસો દોડાવવામાં આવશે, જે શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ લઈ જશે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરીને જાણકારી આપી છે.
મહાકુંભ માટે STની 5 નવી બસો શરૂ થશે
હર્ષ સંઘવીએ X પર લખ્યું કે, ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે.
- તા. 04/02/2025થી નવી ૫ બસો (અમદાવાથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ) શરુ કરવામાં આવશે.
- સુરત તથા રાજકોટ ખાતેથી નવી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) ખાતે કરવામા આવશે.
- અમદાવાદ અને વડોદરા ખાતેથી નવી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામા આવશે.
- શરુ થનાર નવી તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે.
- પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. 7800, સુરતથી 8300, વડોદરાથી 8200 તથા રાજકોટથી 8800 નિયત કરવામાં આવ્યા છે.
- આ નવી બસનું ઓનલાઇન બુકિંગ 2 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યાથી એસ.ટી નિગમની વેબસાઈટ http://gsrtc.in પરથી થઇ શકશે.