ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન, વડોદરામાં લીધા અંતિમ શ્વાસ - anshuman gaekwad passed away - ANSHUMAN GAEKWAD PASSED AWAY

ભારતના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું 71 વર્ષની જૈફ વયે નિધન થયું છે. 40 ટેસ્ટ મેચ તેમજ 15 વન ડે રમી ગાયકવાડે વડોદરામાં અંતિમ શ્વાસ લીધા હતા. anshuman gaekwad passed away

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Aug 1, 2024, 6:38 AM IST

વડોદરા: પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કોચ રહી ચુકેલા દિગ્ગજ વડોદરાના અંશુમાન ગાયકવાડનું 71 વર્ષની વયે વડોદરામાં નિધન થયું છે. જાણવા મળતી વિગત પ્રમાણે તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના નિધનથી તેમના પરિવાર અને ચાહકો અને ક્રિકેટજગતમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.

અંશુમાન ગાયકવાડની ક્રિકેટજગતમાં યોગદાન અંશુમાન ગાયકવાડની વાત કરીએ તો 71 વર્ષીય ગાયકવાડે 22 વર્ષની કારકિર્દીમાં 40 ટેસ્ટ અને 205 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. અંશુમાનની ભારતીય ટીમના કોચ પદે પણ પસંદગી કરવામાં આવી હતી અને તેઓ ટીમ ઈન્ડિયાના સારા સુકાની તરીકે પણ ઉભરી આવ્યા હતાં. તેમની સૌથી મોટી ક્ષણો 1998માં શારજાહમાં અને ફિરોઝશાહ કોટલામાં આવી હતી જ્યારે અનિલ કુંબલેએ 1999માં પાકિસ્તાન સામેની એક ઇનિંગમાં તમામ દસ વિકેટ લીધી હતી. એટલું જ નહીં અંશુમાન ગાયકવાડ ભારત માટે લાંબી ઈનિંગ્સ પણ રમી ચુક્યાં છે. તેઓ ગુજરાતની રણજી ટ્રોફી ટીમના કોચ પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત ભારતીય ટીમના પસંદગીકાર, ભારતીય ક્રિકેટ ટીમના કોચ અને બીસીસીઆઈના સેક્રેટરી જેવા મહત્વના પદ પણ સંભાળી ચુક્યાં છે.

અંશુમાન ગાયકવાડની ક્રિકેટ કારકિર્દી:પૂર્વ ભારતીય ક્રિકેટર અને બરોડાના દિગ્ગજ ખેલાડી અંશુમાન ગાયકવાડ છેલ્લા એકાદ વર્ષથી બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારી સામે સંઘર્ષ કરી રહ્યા હતા. ગાયકવાડની ટેસ્ટ કારકિર્દીની વાત કરીએ તો, 1975થી 1987 સુધીમાં તેમણે ટેસ્ટ ક્રિકેટમાં સર્વોત્તમ પ્રદર્શન કર્યુ હતું આ દરમિયાને તેમણે ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી હતી, તેમણે 40 ટેસ્ટમાં બે સદી અને 10 ફિફ્ટી સાથે 1985 રન ફટકાર્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. જ્યારે 15મી વનડેમાં તેમના 269 ૨ન અને એક વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ગાયકવાડ 1997થી 1999 અને પછી 2000માં ભારતીય ટીમના કોચ બન્યા. ગાયકવાડના નેતૃત્વમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ડોમેસ્ટિક સીરિઝ 2-1થી જીતી હતી જ્યારે ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરિઝ ડ્રો રહી હતી.

ABOUT THE AUTHOR

...view details