ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોનમ વાંગચુકે લદ્દાખ ભવન ખાતે શરૂ કરી ભૂખ હડતાળ, જંતર-મંતર પર ન મળી પ્રદર્શનની મંજૂરી - SONAM WANGCHUK

સોનમ વાંગચુકઃ સોનમ વાંગચુકે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી ન મળતાં લદ્દાખ ભવન ખાતે ભૂખ હડતાળ શરૂ કરી હતી.

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

સોનમ વાંગચુકે લદ્દાખ ભવન ખાતે શરૂ કરી ભૂખ હડતાળ
સોનમ વાંગચુકે લદ્દાખ ભવન ખાતે શરૂ કરી ભૂખ હડતાળ (Etv Bharat)

નવી દિલ્હી: પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી ન મળતાં લદ્દાખ ભવન ખાતે ભૂખ હડતાળ શરૂ કરી હતી. દિલ્હી પોલીસે સોનમ વાંગચુકને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી ન હતી, જેના પછી તેણે પણ નિરાશા વ્યક્ત કરી હતી. તે જ સમયે, સોનમ વાંગચુકે દિલ્હી પોલીસના પત્રની કોપી સોશિયલ મીડિયા પર શેર કરી છે.

સોનમ વાંગચુકે જણાવ્યું કે, "જ્યારે અમે 2 ઓકટોબરના રોજ રાજઘાટ પર અમે અમારી ભૂખ હડતાળ પૂરી કરી હતી. ત્યારે અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું.કે અમને દેશના મોટા નેતાઓને મળવા માટે ગૃહ મંત્રાલયથી સમય મળશે. અમે બસ અમારા રાજનેતાઓને મળવા માંગીએ છીએ. આશ્વાાસન મેળવવા માંગીએ છીએ અને લદ્દાખ પાછા ફરવા માગીએ છીએ. અમને જણાવવામાં આવ્યું હતું કે, 4 ઓક્ટોબર સુધીમાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને મળવાનો સમય આપવામાં આવશે. પરંતુ રાજઘાટ ખાલી કરવા અને પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરવા પર અમારી માંગો પૂરી નહોતી થઇ એટલે અમારે મજબૂર થવું પડ્યું"

વિરોધ કરવાની પરવાનગી ન મળવા પર નિરાશા વ્યક્ત કરી: સોનમ વાંગચુકે એક પોસ્ટમાં લખ્યું છે કે એક બીજી સ્વીકૃતિ એક બીજી નિરાશા આજે સવારે વિરોધ પ્રદર્શન કરવા માટે આધિકારીક રુપથી અમને આ અસ્વીકૃતિ પત્ર મળ્યો છે. જો જંતર-મંતર પર પરવાનગી નથી, તો એમને જણાવો કે કઇ જગ્યાની પરવાનગી છે જ્યાં અમે ધરણા પ્રદર્શન કરવા માટે મળી શકે છે. અમે બધા નિયમોનું પાલન કરવા માગીએ છીએ. તોપણ શાંતિપૂર્ણ રીતે અમારી ફરિયાદ વ્યક્ત કરવા માટે કોઇ જગ્યા અપાતી નથી. પોતાના જ દેશમાં ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવું ખૂબ જ મુશ્કેલ છે.

જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી આપવામાં આવી નથી ((etv bharat))

દિલ્હી પોલીસનો જવાબઃ દિલ્હી પોલીસના પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઉપવાસ આયોજિત કરવાની વિનંતી ખૂબ જ ટૂંકી સૂચના પર મળી હતી. ઉપવાસ વિશે કોઈ ચોક્કસ સમયની માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કોઈપણ પ્રદર્શન માટે ઓછામાં ઓછા 10 દિવસ અગાઉ માહિતી આપવી જોઈએ. જંતર-મંતર પર પ્રદર્શન સવારે 10 થી સાંજના 5 વાગ્યાની વચ્ચે હોવું જોઈએ. પરંતુ આ કરવામાં આવ્યું નથી. "અમને તાત્કાલિક માહિતી આપવામાં આવી છે જેના કારણે અમે પ્રદર્શન યોજવાની પરવાનગી આપી શકતા નથી."

તમને જણાવી દઈએ કે, સોનમ વાંગચુક 'દિલ્હી ચલો પદયાત્રા'નું નેતૃત્વ કરી રહી હતી. આ માર્ચનું આયોજન લેહ એપેક્સ બોડી દ્વારા કરવામાં આવ્યું હતું, જે કારગીલ ડેમોક્રેટિક એલાયન્સ સાથે મળીને લદ્દાખને રાજ્યનો દરજ્જો મેળવવા અને બંધારણની છઠ્ઠી સૂચિમાં તેનો સમાવેશ કરવા માટે છેલ્લા ચાર વર્ષથી ઝુંબેશ ચલાવી રહી છે. વાંગચુકે એક મહિના પહેલા લેહથી 150 લદ્દાખીઓ સાથે પોતાની યાત્રા શરૂ કરી હતી.

  1. ચેન્નાઈમાં ભારતીય વાયુસેનાના એર શો દરમિયાન 4 દર્શકોના મોત, 230થી વધુને ડિહાઈડ્રેશન - chennai air show 2024
    5 દિવસીય યાત્રા પર ભારત પહોંચ્યા માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જૂ, પીએમ મોદી સાથે કરશે બેઠક - mohamed muizzu india visit

ABOUT THE AUTHOR

...view details