ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બુલેટ ટ્રેન માટે વધુ એક ટનલ બનીને તૈયાર, રેલવે મંત્રીએ કહ્યું '340 કિમીનું કાર્ય ખુબ સારી રીતે પ્રગતિમાં' - TUNNEL

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર સાઈટની મુલાકાત લીધી હતી અને એડિશનલ ડ્રાઈવન ઈન્ટરમીડિયેટ ટનલના કામની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું.

એડિશનલ ડ્રાઈવન ઈન્ટરમીડિયેટ ટનલના કામની પ્રગતિનું નિરીક્ષણ કરતા રેલવે મંત્રી
એડિશનલ ડ્રાઈવન ઈન્ટરમીડિયેટ ટનલના કામની પ્રગતિનું નિરીક્ષણ કરતા રેલવે મંત્રી (ANI)

By ANI

Published : Jan 18, 2025, 5:22 PM IST

મુંબઈ:મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમયાંતરે MAHSR (મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર) સાઈટની મુલાકાત લેતા રહે છે. ત્યારે ફરી એક વખત તેમણે એડિશનલ ડ્રાઈવન ઈન્ટરમીડિયેટ ટનલના કામની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું.

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, "હું અંદરથી ટનલનું નિરીક્ષણ કર્યા પછી જ આવ્યો છું. ટનલમાં તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ટનલનું કામ સારી ગતિએ ચાલી રહ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈ પર 340 કિલોમીટરમાં હાઈસ્પીડ રેલ રૂટનું કામ ચાલી રહ્યું છે નદીઓ પરના પુલનું કામ પણ ચાલુ છે. જાપાનના લોકોએ પણ તેનું નિરીક્ષણ કર્યું છે અને તેમણે પણ આ કામથી સંતોષ વ્યક્ત કર્યો છે.

એડિશનલ ડ્રાઈવન ઈન્ટરમીડિયેટ ટનલના કામની પ્રગતિનું નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા સાથે વાત કરી હતી.

મહત્વપૂર્ણ છે કે, હાઇ સ્પીડ રેલ લાઇન કોર્પોરેશન (NHSRC) દ્વારા વિકસિત કરાઈ રહેલી હાઇ-સ્પીડ રેલ લાઇનમાં જાપાનની શિંકાનસેન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તે રેલ્વે મંત્રાલય અને ભારત સરકારની સંપૂર્ણ માલિકીની કંપની છે. જેમાં રોલિંગ સ્ટોક, સિગ્નલિંગ અને ડિઝાઇન ધોરણોનો સમાવેશ થાય છે.

  1. બુલેટ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ટ્રેન કે ટ્રેક પર દોડતા પૈડાઓનો નહીં આવે અવાજ, આવી થઈ કામગીરી
  2. બુલેટ ટ્રેનના પાટા પથરાયા, 60 કિમી પાટાનું વેલ્ડિંગ કાર્ય પૂર્ણ, જાણો કેવી રીતે થાય છે કામગીરી

ABOUT THE AUTHOR

...view details