ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિવેકાનંદ રોક મેમોરિયલમાં PM મોદીનું 'ધ્યાન' શરુ, જાણો શું છે પીએમનો ડાયટ પ્લાન - PM MODI MEDITATION

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરી રહ્યા છે. તે 45 કલાક માટે મૌન ઉપવાસ કરશે અને ધ્યાન ખંડમાંથી બહાર નહીં આવે. આ દરમિયાન વડાપ્રધાન માત્ર પ્રવાહી આહાર જ લેશે. તેઓ માત્ર નારિયેળ પાણી અને દ્રાક્ષનો રસ જ પીશે. PM MODI MEDITATION

By ETV Bharat Gujarati Team

Published : May 31, 2024, 1:34 PM IST

વિવેકાનંદ રોક મેમોરિયલમાં PM મોદીનું 'ધ્યાન' શરુ
વિવેકાનંદ રોક મેમોરિયલમાં PM મોદીનું 'ધ્યાન' શરુ (Etv Bharat)

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં 'ધ્યાન' કરી રહ્યા છે. તેમણે ગુરુવાર 30મી મેના રોજ સાંજે 6.45 કલાકે ધ્યાન કરવાનું શરૂ કર્યું, જે 1લી જૂનની સાંજ સુધી ચાલુ રહેશે. નોંધનીય છે કે, પીએમ મોદી એ જ ખડક પર બેસીને ધ્યાન કરી રહ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું. તેમના 45 કલાકના ધ્યાન દરમિયાન પીએમ મોદી મૌન પાળશે અને ધ્યાન ખંડમાંથી બહાર નહીં આવે. આ દરમિયાન વડાપ્રધાન માત્ર પ્રવાહી આહાર જ લેશે. તેઓ માત્ર નારિયેળ પાણી અને દ્રાક્ષનો રસ જ પીશે.

પીએમની કડક સુરક્ષા વ્યવસ્થા: તમને જણાવી દઇએ કે, વિવેકાનંદ રોક મેમોરિયલ પર ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ અહીં 2 હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને સુરક્ષા એજન્સીઓ પણ કડક તકેદારી રાખશે. વડાપ્રધાનની હાજરીને કારણે બીચ પણ શનિવાર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે. એટલું જ નહીં અહીં ખાનગી બોટને પણ મંજૂરી આપવામાં આવશે નહીં.

PMએ ભગવતી અમ્માન મંદિરમાં કરી પૂજા અર્ચના: ધ્યાન કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કન્યાકુમારીમાં ભગવતી અમ્માન મંદિરમાં જઇને પ્રાર્થના કરી હતી. આ પછી તેમણે વિવેકાનંદ રોક મેમોરિયલના ધ્યાન મંડપમની મુલાકાત લીધી હતી. આ પહેલીવાર નથી જ્યારે પીએમ મોદી ધ્યાન કરવા આવ્યા હોય. 2019ના લોકસભાના પરિણામો પહેલા પણ પીએમ મોદીએ કેદારનાથ ગુફામાં ધ્યાન કર્યું હતું. હવે 2024ના પરિણામો પહેલા, પીએમ કન્યાકુમારીમાં સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરી રહ્યા છે.

ભારતનો દક્ષિણ ભાગ: પૌરાણિક કથાઓ અનુસાર, દેવી પાર્વતીએ અહીં એક પગ પર ઉભા રહીને ભગવાન શિવની રાહ જોતા ધ્યાન કર્યું હતું. આ ભારતનું દક્ષિણ છેડો છે. આ એ જ જગ્યા છે જ્યાં ભારતની પૂર્વ અને પશ્ચિમી કિનારાની રેખાઓ મળે છે. તે હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રનું મિલન સ્થળ પણ છે.

  1. આજે “વર્લ્ડ નો ટોબેકો ડે”, 80 થી 85 ટકા કેન્સર તમાકુ-સિગરેટથી થાય છે. - World No Tobacco Day
  2. તિથલના દરિયા કિનારે 2 જૂન સુધી સહેલાણીઓ માટે પ્રતિબંધ, આ કારણે તંત્રએ લીધો નિર્ણય - Tithal beach closed to tourists

ABOUT THE AUTHOR

...view details