મુઝફ્ફરપુરઃ યુપીના રસ્તા પર બિહારમાં પણ આરોપીઓના ઘરે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. બિહારના મુઝફ્ફરપુરમાં મહાદલિત બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય યાદવના ઘરે પોલીસ બુલડોઝર લઈને પહોંચી છે. પોલીસે બળાત્કારના આરોપી સંજય યાદવના ઘરની બારી-બારણાં બુલડોઝરથી ઉખેડી નાખ્યા છે અને ઘરમાંથી સામાન, દરવાજા અને બારીઓ કાઢી લીધા બાદ કોર્ટના આદેશ પર પોલીસ દ્વારા જપ્તીની કાર્યવાહી કરાઈ છે.
સંજય યાદવના ઘરે બુલડોઝર પહોંચ્યુંઃ બહુજન સમાજ પાર્ટીની સાથે ભીમ આર્મીના કાર્યકરો પણ મૃતક યુવતીના ઘરે પહોંચ્યાા હતા. કાર્યકરો પોલીસની કાર્યશૈલી સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે માયાવતીએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને મુઝફ્ફરપુર રેપ અને મર્ડર કેસ પર નિશાન સાધ્યું હતું. જે બાદ કાર્યવાહીએ વેગ પકડ્યો છે.
આરોપીના મકાન પર કાર્યવાહી (Etv Bharat) 14 વર્ષની કિશોરી સાથે થઈ ક્રૂરતાઃ તમને જણાવી દઈએ કે સગીરની ઉંમર માત્ર 14 વર્ષની હતી. તેની સાથે થયેલી ક્રૂરતાની અત્યંત ભયાનક હતી. બાળકી પર માત્ર બળાત્કાર જ નહીં પરંતુ તેના પ્રાઈવેટ પાર્ટ પર પણ ઘણી વખત છરા મારવામાં આવ્યા હોવાનું અને સ્તનો પણ કપાઈ ગયા હોવાના આરોપ લગાવાયા હતા. એવું ભયંકર મોત આપવામાં આવ્યું કે કોઈની પણ આત્મા કંપી જાય.
માતાએ વ્યક્ત કરી હતી ગેંગરેપની આશંકાઃ મૃતકની માતાએ આ ઘટના અંગે મુખ્ય આરોપી સંજય યાદવ સહિત 6 લોકો સામે કેસ દાખલ કર્યો હતો. તેમણે પોતાની ફરિયાદમાં ગેંગરેપની આશંકા વ્યક્ત કરી હતી. આ ઘટના કોલકાતામાં એક ટ્રેઇની ડૉક્ટર સાથે થયેલી નિર્દયતા જેવી જ હતી. શખ્સોએ તે સગીર બાળકીના શરીરને પીંખી નાખ્યું હતું.
SSPનું નિવેદન: મુઝફ્ફરપુર SSPએ કહ્યું કે 12 ઓગસ્ટના રોજ 14 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું ત્યારે તેના માથા, ગરદન અને હાથ પર ઈજાના નિશાન મળી આવ્યા હતા. અત્યાર સુધીની તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રાઈવેટ પાર્ટ પર કોઈ ઈજા નથી.
"અમે મુખ્ય આરોપી સંજય યાદવની ધરપકડ કરવા માટે દરોડા પાડી રહ્યા છીએ અને કોર્ટને તેનું ઘર જપ્ત કરવા માટે કહેતા એક પોસ્ટર પણ ચોંટાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટના આદેશ પર મકાન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘર પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શરીરની ઇજા ત્રણ ભાગમાં છે. પ્રથમ માથામાં છે, બીજું ગરદનની પાછળ છે અને ત્રીજું હાથ પર છે. પોસ્ટમોર્ટમ દરમિયાન મૃતકના પ્રાઈવેટ પાર્ટ પર કોઈ ઈજા જોવા મળી નથી.''- રાકેશ કુમાર, એસએસપી, મુઝફ્ફરપુર.
પોલીસે મુખ્ય આરોપીનું ઘર અટેચ કર્યુંઃમુખ્ય આરોપી સંજય યાદવ ઘટના બાદથી ફરાર છે, જેના કારણે કોર્ટના આદેશ બાદ આરોપીના ઘરને બુલડોઝરથી તોડી પાડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમના ઘરનો સામાન ટ્રેક્ટરની ટ્રોલીમાં બહાર કાઢવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે સંજય યાદવને ભાગવામાં મદદ કરનાર આરોપીને પકડી લીધો છે.
- વિરાટ કોહલી લંડન શિફ્ટ થઈ ગયો ? લંડનના રસ્તાઓ પર દેખાયો - Virat Kohli spotted in London
- મારાં જીવનની બીજી સૌથી મોટી ક્ષણ છે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત થયો એ: માનસી પારેખ - actress Manasi Parekh interview