નાગપુર: પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા અને ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ કે રાધાકૃષ્ણન 12 ઓક્ટોબરે નાગપુરમાં યોજાનારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વાર્ષિક વિજયાદશમી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હશે, તેવું RSSએ ગુરુવારે જણાવ્યું હતું.
ઈસરોના પૂર્વ વડા RSSના વિજયાદશમી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ - RSS VIJAYADASHAMI EVENT
નાગપુરમાં યોજાનારી આરએસએસના વિજયાદશમી કાર્યક્રમમાં ઈસરોના પૂર્વ વડા મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.

ISRO (ANI)
Published : Oct 11, 2024, 6:26 PM IST
દર વર્ષે દશેરાના તહેવાર પર આરએસએસ વડા શહેરના રેશમબાગ મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં સંઘના સ્વયંસેવકોને સંબોધિત કરે છે. RSSએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના ભૂતપૂર્વ વડા રાધાકૃષ્ણન આ વર્ષે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હશે. જેમાં કહેવામાં આવ્યું છે કે વિજયાદશમીનો કાર્યક્રમ 12 ઓક્ટોબરે સવારે 7.40 કલાકે શરૂ થશે.
આ પણ વાંચો: