ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ડેપ્યુટી CM બનતાની સાથે જ અજિત પવારને મોટી રાહત, બેનામી પ્રોપર્ટી કેસમાં આદેશ મળ્યો - BENAMI PROPERTY CASE

મહારાષ્ટ્રમાં NCP પ્રમુખ અજિત પવારને રાહત મળી છે. બેનામી પ્રોપર્ટી કેસમાં દિલ્હી ટ્રિબ્યુનલે તેમની સંપત્તિ પરત કરવાનો આદેશ આપ્યો હતો.

ડેપ્યુટી CM અજિત પવાર
ડેપ્યુટી CM અજિત પવાર (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2024, 9:55 AM IST

નવી દિલ્હી : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને દિલ્હી ટ્રિબ્યુનલ તરફથી મોટી રાહત મળી છે. બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન પ્રિવેન્શન એપેલેટ ટ્રિબ્યુનલે અજિત પવારને રાહત આપી છે. ટ્રિબ્યુનલે તેમની અને તેમના પરિવાર વિરુદ્ધ બેનામી સંપત્તિની માલિકીના આરોપોને ફગાવી દીધા છે.

અજિત પવારને મોટી રાહત :મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) નેતા અજિત પવારને મોટી રાહત આપતા આવકવેરા વિભાગે શુક્રવારે 2021ના બેનામી કેસમાં જપ્ત કરવામાં આવેલી તેમની તમામ મિલકત પરત કરવાનો આદેશ આપ્યો હતો.

બેનામી સંપત્તિની માલિકીનો કેસ :આ કેસ 7 ઓક્ટોબર, 2021 ના રોજ શરૂ થયો હતો. આવકવેરા વિભાગે ઘણી કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં દસ્તાવેજો મળી આવ્યા હતા, જે કથિત રીતે બેનામી હોવાનું જણાયું હતું. આવકવેરા વિભાગે દાવો કર્યો કે, આ મિલકતોની માલિકી કથિત રીતે અજિત પવાર અને તેમના પરિવારની છે.

ટ્રિબ્યુનલે દાવાઓ ફગાવ્યા :જોકે, ટ્રિબ્યુનલે આ દાવાઓને ફગાવી દીધા અને કહ્યું હતું કે, તેની તરફેણમાં પૂરતા પુરાવા નથી. વિવાદિત મિલકતો માટે તમામ ચૂકવણી કાયદેસર માધ્યમો દ્વારા કરવામાં આવી હતી. આરોપોને નકારી કાઢતાં ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું કે અજિત પવાર, સુનેત્રા પવાર અને પાર્થ પવારે બેનામી મિલકતો ખરીદવા માટે નાણાં ટ્રાન્સફર કર્યા હોવાનો કેસ નથી.

બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન એક્ટ :મીડિયા રિપોર્ટ્સ અનુસાર અજિત પવાર અને તેમના પરિવારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ પ્રશાંત પાટીલે ટ્રિબ્યુનલ સમક્ષ દલીલ કરી કે, તેમણે કોઈ ગુનો કર્યો નથી. પવાર પરિવારની નિર્દોષતાની દલીલ કરવા માટે બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન એક્ટના માળખા પર પ્રકાશ પાડતા કહ્યું કે, આ મામલે કોઈ કાયદાકીય આધાર નથી. અજિત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના એક દિવસ બાદ ટ્રિબ્યુનલનો નિર્ણય આવ્યો.

184 કરોડ રૂપિયાની બિનહિસાબી આવક :મીડિયા અહેવાલો અનુસાર આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે આવકવેરા વિભાગે મુંબઈમાં બે રિયલ એસ્ટેટ બિઝનેસ જૂથો પર અલગ-અલગ દરોડા દરમિયાન 184 કરોડ રૂપિયાની બિનહિસાબી આવક જાહેર કરી. આ જૂથો કથિત રીતે અજિત પવારના સંબંધીઓ સાથે જોડાયેલા હતા, જેનાથી બેનામી સંપત્તિની માલિકીના દાવાઓને વધુ બળ મળ્યું. જોકે, ટ્રિબ્યુનલને કથિત બિનહિસાબી આવક અને સંબંધિત મિલકતોને જોડતા કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.

  1. બિટકોઈન કૌભાંડ: સુપ્રિયા સુલે - અજિત પવાર સામસામે આવ્યા
  2. 'અજિત પવાર અમારા નેતા છે, NCPમાં ભાગલા નથી'-શરદ પવાર

ABOUT THE AUTHOR

...view details