ગુજરાત

gujarat

ફોજદારી માનહાનિ કેસમાં કોર્ટે મેધા પાટકરની સજા પર રોક લગાવી, લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને નોટિસ અપાઇ - MEDHA PATKAR VK SAXENA CASE

By ETV Bharat Gujarati Team

Published : Jul 29, 2024, 10:36 PM IST

દિલ્હીની કોર્ટે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને ફોજદારી માનહાનિ કેસમાં સામાજિક કાર્યકર્તા મેધા પાટકરની સજા પર રોક લગાવવા નોટિસ જારી કરી છે. કેસની આગામી સુનાવણી 4 સપ્ટેમ્બરે થશે.

અદાલતે ફોજદારી માનહાનિના કેસમાં મેધા પાટકરની સજા પર રોક લગાવી
અદાલતે ફોજદારી માનહાનિના કેસમાં મેધા પાટકરની સજા પર રોક લગાવી (etv bharat gujarat)

નવી દિલ્હીઃદિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં દોષિત જાહેર કરાયેલા સામાજિક કાર્યકર્તા મેધા પાટકરની સજા પર કોર્ટે રોક લગાવી દીધી છે. સાકેત કોર્ટના એડિશનલ સેશન્સ જજ વિશાલ સિંહે એલજી વીકે સક્સેનાને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના નિર્ણય પર રોક લગાવવા માટે નોટિસ જારી કરી છે. કેસની આગામી સુનાવણી 4 સપ્ટેમ્બરે થશે.

જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે 5 મહિનાની સજા ફટકારી: મેધા પાટકરે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવેલી 5 મહિનાની કેદ અને રૂ. 10 લાખના દંડની સજાને સેશન્સ કોર્ટમાં પડકારી હતી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે મેધા પાટકરને 1 જુલાઈના રોજ સજા સંભળાવી હતી. મેધા પાટકરની તબિયતને ધ્યાનમાં રાખીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને 5 મહિનાની સજા ફટકારી હતી. કોર્ટે સજાને 30 દિવસ માટે સ્થગિત કરવાનો આદેશ પણ આપ્યો હતો. કોર્ટે મેધા પાટકરને ભારતીય દંડ સંહિતાની કલમ 500 હેઠળ દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, તે સ્પષ્ટ છે કે, મેધા પાટકરે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ખોટી માહિતી સાથે વીકે સક્સેના પર આરોપો લગાવ્યા હતા.

મેધા પાટકર પર 2002માં શારીરિક હુમલો: મેધા પાટકરે કોર્ટમાં દાખલ કરેલા પોતાના બચાવમાં કહ્યું હતું કે, વીકે સક્સેના વર્ષ 2000થી ખોટા અને બદનક્ષીભર્યા નિવેદનો આપી રહ્યા છે. પાટકરે કહ્યું હતું કે, વીકે સક્સેનાએ 2002માં તેમના પર શારીરિક હુમલો પણ કર્યો હતો. જે અંગે મેધાએ અમદાવાદમાં FIR નોંધાવી હતી. મેધાએ કોર્ટમાં કહ્યું હતું કે, વીકે સક્સેના કોર્પોરેટ હિતો માટે કામ કરી રહ્યા છે અને તેઓ સરદાર સરોવર પ્રોજેક્ટનો વિરોધ કરનારાઓની માંગની વિરુદ્ધ છે.

વીકે સક્સેના પર હવાલા દ્વારા લેવડદેવડનો આરોપ: જણાવી દઈએ કે, 25 નવેમ્બર 2000ના રોજ મેધા પાટકરે એક નિવેદન જારી કરીને વીકે સક્સેના પર હવાલા દ્વારા લેવડદેવડનો આરોપ લગાવ્યો હતો અને તેમને કાયર કહ્યા હતા. મેધા પાટકરે કહ્યું હતું કે, વીકે સક્સેના ગુજરાતના લોકો અને તેમના સંસાધનોને વિદેશી હિતો માટે ગીરવે મૂકી રહ્યા છે.

વીકે સક્સેનાએ અમદાવાદમાં કેસ દાખલ કર્યો:વીકે સક્સેનાએ 2001માં અમદાવાદની કોર્ટમાં મેધા પાટકર સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 2003માં સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી ગુજરાતમાંથી દિલ્હીની સાકેત કોર્ટમાં ટ્રાન્સફર કરી હતી. 2011 માં, મેધા પાટકરે પોતાને નિર્દોષ જાહેર કર્યા અને કહ્યું કે તેણી ટ્રાયલનો સામનો કરશે. વીકે સક્સેનાએ અમદાવાદમાં કેસ દાખલ કર્યો ત્યારે તેઓ નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝના અધ્યક્ષ હતા.

  1. અફઝલ અન્સારીને હાઈકોર્ટમાંથી મોટી રાહત, ગેંગસ્ટરની સજાનો હુકમ કોર્ટે કર્યો રદ - AFZAL ANSARI GANGSTER CASE
  2. 'મોદી સરકારે મધ્યમ વર્ગને ચક્રવ્યૂહમાં ફસાવ્યો', 'બજેટ હલવો', સ્પીકર અને રાહુલ વચ્ચે ઉગ્ર દલીલો - UNION BUDGET 2024

ABOUT THE AUTHOR

...view details